ઓમ પુરી
બોલિવુડના ફેમસ એક્ટર ઓમ પુરીનું હાર્ટએટેકના કારણે આજે સવારે નિધન થયું છે. ઓમ પુરી ૬૬ વર્ષના હતા. તાજેતરમાં ઓમ પુરી તેમના ઘણા નિવેદનોને લઈને વિવાદમાં રહ્યા હતા.
ઓમ પુરી
સર્જિકલ સ્ટ્રાઇકના થોડા દિવસ પછી ઓમ પુરીએ ટેલીવિઝન ચેનલ પર એક ચર્ચામાં કહ્યું હતું કે, શું આપણે સેનામાં સામેલ થવા માટે મજબૂર કરીએ છીએ? મારા પિતા પણ સેનામાં હતા. અમને તેમના પર ગર્વ છે. હું તમને પૂછવા માંગુ છું કે, શું તમે ભારત અને પાકિસ્તાનને ઇઝરાયલ અને ફિલીસ્તાન બનાવવા માંગો છો.
ઓમ પુરી
પાકિસ્તાની કલાકારોને લઈને આપેલ નિવેદનમાં ઓમ પુરીનું કહેવું હતું કે, ગેરકાયદેસર રીતે નહિ પરંતુ વીઝા લઈને ભારતમાં આવે છે આ કલાકાર.
ઓમ પુરી
ત્યારબાદ ઓમ પુરીએ પોતાના નિવેદન પર માફી માંગતા કહ્યું હતું કે, હું મારી ભૂલ સ્વીકારું છે અને સજાનો હકદાર છું. હું ઈચ્છું છું કે, સેના મારા પર કેસ ચલાવે. હું રચનાત્મક સજા ઈચ્છું છું. સેના મને હથિયાર ચલાવવાનું શિખવાડે, મને તે સ્થાન પર મોકલવામાં આવે જ્યાં બહાદુર જવાને દેશની ખાતિર પોતાના પ્રાણ આપ્યા. હું નથી ઈચ્છતો કે મને માફ કરવામાં આવે. હું દેશને અનુરોધ કરું છું કે, મને સજા આપવામાં આવે.
ઓમ પુરી
ઓમ પુરીનો જન્મ ૧૮ ઓક્ટોબર ૧૯૫૦ માં હરિયાણાના અંબાલા શહેરમાં થયો હતો. તેમણે પોતાની પ્રારંભિક શિક્ષા તેમના મોસાળ પટિયાલાથી પૂર્ણ કરી છે. ૧૯૭૬ માં પુણે ફિલ્મ સંસ્થાનથી તાલીમ પ્રાપ્ત કર્યા પછી ઓમપુરીએ લગભગ ડોઢ વર્ષ સુધી સ્ટુડિયોમાં એક્ટિંગની તાલીમ આપી છે. ત્યારબાદ ઓમપુરીએ પોતાના અંગત થિયેટર ગ્રુપ ‘મજમા’ ની સ્થાપના કરી છે.
The post તાજેતરમાં આ નિવેદનોના લીધે વિવાદોમાં ઘેરાયા હતા Om Puri appeared first on Vishva Gujarat.