ભારતના પ્રથમ મેડમ તુસાદ મ્યુઝીયમમાં ફેમસ સિંગર Shreya Ghoshal ના મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. આ મ્યુઝીયમ જૂનમાં ખૂલશે. શ્રેયા તેને લઈને વધારે ઉત્સાહિત છે. શ્રેયા ઘોષાલે એક નિવેદનમાં કહ્યું કે, 'હું અહીં મેડમ તુસાદમાં ઇતિહાસનો ભાગ બનવા લઈને રોમાંચિત છુ. અહીં સ્ટાર્સ, કલાકારો, ઈતિહાસકારો અને ફેમસ હસ્તીઓ વચ્ચે હોવું સમ્માનની વાત છે. શ્રેયા ઘોષાલનું મીણનું પૂતળું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેતા અમિતાભ બચ્ચન અને અમેરિકી પોપ સ્ટાર લેડી ગગાની સાથે હશે.
ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.
તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. આ સ્ટુડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં રીગલ સિનેમાની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે અને ૨૦૧૭ માં તેનું ઉદ્દઘાટન થશે.
દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.
The post મેડમ તુસાદ મ્યુઝિયમની શોભા વધારશે ફેમસ સિંગર Shreya Ghoshal appeared first on Vishva Gujarat.