કલર્સની ફેમસ ટીવી સીરીયલ 'Naagin ૨' ટીઆરપીનાં ચાર્ટમાં હંમેશા ઉપર રહે છે. Naagin ની પહેલી અને બીજી સીઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ હવે એવી ખબરો સામે આવી રહી છે કે, સીરીયલ 'નાગિન ૨' જૂનમાં બંધ થવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, એકતા કપૂર 'નાગિન' ની ત્રીજી સીઝન સાથે નવેમ્બરમાં પરત આવશે. પરંતુ આ વખતે મૌની રોય શોનો ભાગ બનશે નહિ.
એકતા કપૂર 'નાગિન' નાં લીડ રોલ માટે નવો ચહેરો શોધી રહી છે. સિરીયલ નાગિનમાં અત્યારે શિવાંગી તેના દુશ્મનો સાથે બદલો લઇ રહી છે. તેણે અવંતિકા, નિધિ, સુશાંતને મારી નાખ્યા છે અને હવે બહુ જલ્દી તે તેના પેરેન્ટ્સનાં બધા ગુનેગારોને મારી નાખશે. તો હવે જોવું રહ્યું કે, શિવન્યા અને શિવાંગી બંનેનાં બદલાની સ્ટોરી પૂરી થઇ ગયા પછી ત્રીજી સીઝનની સ્ટોરી લાઈન શું હશે.
ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.
The post મૌની તોડી રહી છે ‘Naagin’ સાથે સંબંધ, એકતા કપૂરને નવા ચહેરાની તલાશ appeared first on Vishva Gujarat.