Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

મૌની તોડી રહી છે ‘Naagin’સાથે સંબંધ, એકતા કપૂરને નવા ચહેરાની તલાશ

$
0
0

Naagin

કલર્સની ફેમસ ટીવી સીરીયલ 'Naagin ૨' ટીઆરપીનાં ચાર્ટમાં હંમેશા ઉપર રહે છે. Naagin ની પહેલી અને બીજી સીઝનને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરંતુ હવે એવી ખબરો સામે આવી રહી છે કે, સીરીયલ 'નાગિન ૨' જૂનમાં બંધ થવાની છે. પ્રાપ્ત માહિતી મુજબ, એકતા કપૂર 'નાગિન' ની ત્રીજી સીઝન સાથે નવેમ્બરમાં પરત આવશે. પરંતુ આ વખતે મૌની રોય શોનો ભાગ બનશે નહિ.

એકતા કપૂર 'નાગિન' નાં લીડ રોલ માટે નવો ચહેરો શોધી રહી છે. સિરીયલ નાગિનમાં અત્યારે શિવાંગી તેના દુશ્મનો સાથે બદલો લઇ રહી છે. તેણે અવંતિકા, નિધિ, સુશાંતને મારી નાખ્યા છે અને હવે બહુ જલ્દી તે તેના પેરેન્ટ્સનાં બધા ગુનેગારોને મારી નાખશે. તો હવે જોવું રહ્યું કે, શિવન્યા અને શિવાંગી બંનેનાં બદલાની સ્ટોરી પૂરી થઇ ગયા પછી ત્રીજી સીઝનની સ્ટોરી લાઈન શું હશે.

ઉલ્લેખનીય છે કે, પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

The post મૌની તોડી રહી છે ‘Naagin’ સાથે સંબંધ, એકતા કપૂરને નવા ચહેરાની તલાશ appeared first on Vishva Gujarat.


Virat Kohli ના દિલથી DP સુધી પહોંચી અનુષ્કા શર્મા, ફોટોસ વાયરલ

$
0
0

Virat Kohli's Instagram Profile Picture With Anushka Sharma

ક્રિકેટર Virat Kohli અને અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રેમની ચર્ચા ચારેતરફ છે. ક્યારેક આ બંને સેલિબ્રિટી કપલ ક્વોલીટી ટાઈમ વિતાવતા સ્પોટ કરવામાં આવે છે તો ક્યારેક વેકેશન મનાવતા હોય.

તેમ છતાં આ બંનેએ ક્યારેય પણ પોતાના પ્રેમના વિશે જણાવતા નથી. પરંતુ આ વખતે વિરાટ કોહલીએ જે કર્યું, તેનાથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે.

વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર કેટલા એક્ટીવ છે, તે આપણે બધા જાણીએ છીએ. વિરાટ કોહલી હંમેશા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફિટનેસ ટ્રેનિંગનો વિડીયો પોસ્ટ કરતા રહે છે જેનાથી તેમના ચાહકો તેમને ફોલો કરી શકે. તેની સાથે જયારે પણ તે પોતાની અનુષ્કા શર્મા સાથેની કોઈ તસ્વીર પોસ્ટ કરે છે તો તે સમાચાર બની જાય છે અને તેમના ચાહકો તેને વાયરલ કરી નાખે છે.

તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ પિક્ચર પર અનુષ્કા શર્માને જગ્યા આપી છે...

The post Virat Kohli ના દિલથી DP સુધી પહોંચી અનુષ્કા શર્મા, ફોટોસ વાયરલ appeared first on Vishva Gujarat.

Karisma Kapoor નાં પતિએ કર્યા ત્રીજા મેરેજ, તલાક પહેલા હતું અફેર

$
0
0

Karisma Kapoor's ex-husband Sunjay Kapur ties the knot with Priya Sachdev

ગયા મહીને ચર્ચા હતી કે, Karisma Kapoor નાં એક્સ પતિ સંજય કપૂરે ૧૩ એપ્રિલે દિલ્હીમાં એક ખાનગી સેરેમનીમાં મોડલ પ્રિયા સચદેવ સાથે મેરેજ કરી લીધા છે. બહુ જલ્દી ફેમિલી અને ફ્રેન્ડસની સાથે ન્યૂયોર્કમાં રિસેપ્શન પાર્ટી પણ હશે. આ મેરેજની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાથી વધારે થઇ રહી હતી. Karisma Kapoor અને સંજય ગયા વર્ષે અલગ થઇ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, સંજય અને તેમની પરિવાર ઈચ્છતો નથી કે, આ મેરેજની ચર્ચા થાય. આ કારણે અત્યારે કોઈ ફોટો સામે આવ્યો નથી. તેનું કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, કરિશ્મા સાથે તલાક થયા પછી સંજય કપૂર પોતાની લાઈફને ફરીથી લાઇમલાઇટમાં લાવવા માંગતા નથી.

તમને જણાવી દઈએ કે, સંજય કપૂરનાં ત્રીજા મેરેજ છે અને કરિશ્મા કપૂર સાથે મેરેજ પહેલા તેના એક તલાક થઇ ગયા છે. સંજયનાં નજીકના મિત્રોએ જણાવ્યું કે, સંજયનો પરિવાર મેરેજ વિશે વાત કરવા માંગતા નથી. સંજયનું કરિશ્મા સાથે તલાક લેવું તેમના પરિવાર માટે સરળ હતું નહિ. લોકોનું માનવું છે કે, કરિશ્મા અને સંજયની વચ્ચેના ઝઘડાનું કારણ પ્રિયા સચદેવ પણ છે.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે.

તમને જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી. ૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

The post Karisma Kapoor નાં પતિએ કર્યા ત્રીજા મેરેજ, તલાક પહેલા હતું અફેર appeared first on Vishva Gujarat.

Kapil Sharma એ સુનીલ ગ્રોવરને આપી ટક્કર, ટીઆરપીમાં આગળ નીકળ્યો કપિલનો શો

$
0
0

Comedian Kapil Sharma beats Sunil Grover in TRP War

જ્યારથી સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે ત્યારથી Kapil Sharma નાં શોની ટીઆરપી બહુ ઘટી ગઈ છે. પરંતુ જો ટીઆરપી ચાર્ટ ધ્યાનથી જોવામાં આવે તો લોકો સુનીલ ગ્રોવર કરતા વધારે Kapil Sharma ને પસંદ કરે છે. થોડા દિવસ પહેલા 'ઇન્ડિયન આઈડલ' નાં ફાઈનલ એપિસોડમાં સુનીલ ગ્રોવર નજર આવ્યા હતા. જે દિવસે આ એપિસોડનું પ્રસારણ થયું હતું તે દિવસે ધ કપિલ શર્મા શો પણ ટેલીકાસ્ટ થયો હતો. એટલે કે બંનેની ટક્કર એક જ દિવસે થઇ હતી. ટીઆરપીનાં રેકોર્ડ મુજબ, ૧ થી ૭ એપ્રિલની વચ્ચે 'ધ કપિલ શર્મા શો' ને ૪.૬ મિલિયન લોકો જોયો. તો બીજી તરફ 'ઇન્ડિયન આઈડલ' નાં ફાઈનલ એપિસોડને ૪.૨ મિલિયન લોકોએ જ જોયો. તેના પરથી કહી શકાય કે, કપિલ શર્મા ટીવી વોરમાં સુનીલ ગ્રોવરને એકવાર ફરીથી પાછળ છોડવામાં સફળ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' પર પડી છે. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, સોની ચેનલે કપિલને અલ્ટીમેટમ આપ્યું છે કે, તે બહુ જલ્દી બધાને શોમાં પરત બોલાવે અને શોની ટીઆરપી વધારે. પરંતુ લાગે છે કે, કપિલને તેનાથી કોઈ ફર્ક પડતો નથી.

The post Kapil Sharma એ સુનીલ ગ્રોવરને આપી ટક્કર, ટીઆરપીમાં આગળ નીકળ્યો કપિલનો શો appeared first on Vishva Gujarat.

Video : ‘BegumJaan’ની દમદાર એક્ટિંગે સામાજીક કુરિવાજોને આપ્યો કરારો જવાબ

જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

$
0
0

Tattoos

 Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

malika

બોલિવુડ એક્ટ્રેસ અને મોડલ મલાઈકા અરોડા ખાન ૪૩ વર્ષની થઈ ગઈ છે. મલાઈકા પોતાના ફેશન સ્ટેટમેન્ટ અને પર્સનલ લાઈફના કારણે ઘણી ચર્ચામાં રહી છે. તાજેતરમાં તેણે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જેના કારણે તે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે. આઈટમ નંબર અને બોલ્ડ ઈમેજ માટે ચર્ચામાં રહેનાર મલાઈકાએ પોતાના લુકને વધારે ફેશનેબલ બનાવવા માટે ત્રણ ટેટુ બનાવ્યા છે. મલાઈકા પોતાની બોડી પર ત્રણ ટેટુ બનાવડાવી ચૂકી છે. તેમાં એક ટેટુ તેના હાથ પર છે, જે એક રોમન નંબર છે. આ નંબર 'IX-XI-MMII' છે. બીજું ટેટુ તેની બેક પર છે, જે એક અંગ્રેજી અક્ષર છે. ત્રીજું ટેટુ તેની પીઠ પર છે જેમાં ત્રણ બર્ડ્સ છે જેઓ ઉડી રહ્યા છે.

જો કે, બોલિવુડમાં ટેટુનું ચલણ ઘણું ફેમસ છે. મલાઈકા સિવાય દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા સહિત ઘણી એક્ટ્રેસે શરીરના અલગ-અલગ અંગો પર ટેટુ બનાવ્યું છે. આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટા...

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

aliya

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Deepika

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

Esha

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

kangna

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

mandira bedi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

priyanka

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

ravina

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

shruti

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sonakshi

Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ

sushmita

The post જુઓ… Bollywood Actresses ના સ્ટાઇલીશ ટેટુ appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

$
0
0

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 1
અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે જેમાં તે બાથટબમાં છે.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 2

તે ઘણી વખત પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી રહી છે.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 3

પોતાની બર્થડેના ટાઈમ તેમણે પુલની તસ્વીર પોસ્ટ કરી હતી.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 4

તમને જણાવી દઈએ કે, આ પહેલા તેમણે એક વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે દુલ્હન બની હતી.

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 5

ઇલિયાના ડીક્રુઝે રૂસ્તમ, હૈપ્પી એન્ડિંગ અને છુપા રૂસ્તમ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 6

બોલીવુડ અભિનેત્રી Ileana D'cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ

Instagram photos of Bollywood actress Ileana D'cruz 7

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Ileana D’cruz ના ઇન્સ્ટાગ્રામ ફોટોસ appeared first on Vishva Gujarat.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

$
0
0

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-13

રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બેશરમ’ માં મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરનારી પલ્લવી શારદા ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરી છે. તેમાં પલ્લવી બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે, કેપ્શનમાં લખ્યું છે કે, “Going nuts for coconuts. #monkeyingaround”

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-11

તમને જણાવી દઈએ કે, પલ્લવી શારદાએ બોલીવુડમાં ડેબ્યુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’ થી કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે સાજીદા ખાનનું પાત્ર નિભાવ્યું હતું.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-12

ત્યાર બાદ ‘દસ તૌલા’, ‘વાકઅવે’, ‘લવ બ્રેકઅપ જિંદગી’, ‘હિરોઈન’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ પ્લે કર્યા છે.

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-1

મુખ્ય અભિનેત્રી તરીકે તેમની કારકિર્દી ફ્લોપ રહી છે. તેમની બંને ફિલ્મો ‘બેશરમ’ અને ‘હવાઈજાદા’ બોક્સઓફિસ પર ફ્લોપ રહી હતી. આગામી વર્ષે તેમની ફિલ્મ ‘બેગમ જાન’ રિલીઝ થવાની છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-14

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-2

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-3

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-4

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-6

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-7

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-8

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-9

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram-10

પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ

bollywood-actress-pallavi-sharda-pics-on-instagram

The post પલ્લવી શારદાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હોટ ફોટોસ appeared first on Vishva Gujarat.


Amitabh Bachchan એ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં તેમના લૂકનો કર્યો ખુલાસો

$
0
0

Amitabh Bachchan sports a Sikh avatar but not for Thugs of Hindostan

મહાનાયક Amitabh Bachchan એ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં તેમના લુકનો હજુ ખુલાસો થયો નથી. સોશિયલ મીડિયા પર Amitabh Bachchan નાં કેટલાક ફોટા લીક થયા છે, જેને જોઈ એવું માનવામાં આવી રહ્યું છે કે, ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં અમિતાભ બચ્ચન તે લૂકમાં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ, આમિર ખાન અને શ્રદ્ધા કપૂર પણ છે. અમિતાભ બચ્ચને આ ફોટા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'નહિ સર, આ એક જાહેરાત છે, જેમાં મેં આજે કામ કર્યું છે. આ લૂક ઠગ્સનું નથી.'

ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર આમિર ખાને ફિલ્મ 'દંગલ' માટે ઘણું વજન વધાર્યું હતું. હવે તે પોતાનું વજન ઘટાડતા નજર આવી રહ્યા છે. તેનું કારણ છે બીજી ફિલ્મ. સુપરસ્ટાર આમિર ખાને કહ્યું કે, તેમની અપકમિંગ ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' માં તે એક દુબળા-પાતળા લૂકમાં જોવા મળશે અને તેની સાથે તે તેમના વાળ પણ વધાશે અને દાઢી પણ રાખશે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ફિલ્મ ફિલિપ મીડોવ્સ ટેલરની નવલકથા 'કન્ફેશન્સ ઓફ અ ઠગ' પર આધારિત છે. આ ફિલ્મ વિજય કૃષ્ણ આચાર્ય દ્ધારા નિર્દેશિત છે. જેઓ 'ધૂમ' ફ્રેન્ચાઈઝી માટે ફેમસ છે.

The post Amitabh Bachchan એ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ માં તેમના લૂકનો કર્યો ખુલાસો appeared first on Vishva Gujarat.

Salman Khan ના ફેંસ માટે ગુડ ન્યૂઝ, વાંચી લો તમે પણ…

$
0
0

Salman Khan

યશરાજ ફિલ્મ્સે Salman Khan ફિલ્મ્સનાં બેનર હેઠળ બનેલ આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' માટે મધ્ય-પૂર્વ અને ઉત્તરી આફ્રિકાને છોડી વિદેશી વિતરણનાં અધિકાર પ્રાપ્ત કરી લીધા છે. વિદેશી ક્ષેત્રમાં Salman Khan ફિલ્મ્સનું વાઈઆરએફની સાથે આ પ્રથમ સહયોગ છે. વાઈઆરએફનાં ઇન્ટરનેશનલ ઓપરેશન્સનાં ઉપાધ્યક્ષ અવતાર પાનેસરે કહ્યું કે, સલમાન ખાન વાસ્તવમાં આજે પણ બોક્સ ઓફિસ પર મોટા સ્ટાર છે અને પ્રત્યેક ફિલ્મની સાથે આગળ વધી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, સલમાન ખાનની ફિલ્મ 'ટ્યુબલાઈટ' રિલીઝ પહેલા જ ૨૦૦ કરોડ રૂપિયા કરતા વધારે કમાવી ચૂકી છે. ફિલ્મના ડીસ્ટ્રીબ્યુશન રાઈટ્સ અને મ્યુઝીક રાઈટ્સ પહેલાથી વહેચી ચૂકી છે. એવું જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મ લગભગ ૧૦૦ કરોડ રૂપિયામાં બનીને તૈયાર થઇ છે. આ પ્રમાણે ફિલ્મે રિલીઝ પહેલા ૧૦૦ કરોડનો નફો કમાવી લીધો છે.

ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post Salman Khan ના ફેંસ માટે ગુડ ન્યૂઝ, વાંચી લો તમે પણ… appeared first on Vishva Gujarat.

શાહરૂખની નવી ફિલ્મમાં શું Deepika Padukone ની જગ્યા લેશે અનુષ્કા શર્મા?

$
0
0

Anushka Sharma to replace Deepika Padukone in Shah Rukh Khan’s next

તાજેતરમાં એવી ખબર સામે આવી હતી કે, ડિરેકટર આનંદ એલ. રાય તેમની નવી ફિલ્મમાં Deepika Padukone ને સાઈન કરી રહ્યા છે જેમાં શાહરૂખ એક ઠીંગણા માણસનો રોલ પ્લે કરી રહ્યા છે. પરંતુ હવે આ મામલો એકદમ પલટાઈ ગયો છે. દીપિકા પાદુકોણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે. જેના કારણે હવે ફિલ્મના મેકર્સ અનુષ્કા શર્માના નામ પર વિચાર કરી રહ્યા છે. શાહરૂખ અને દીપિકાની જોડી 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ યર' માં સાથે જોવા મળી છે.

ડિરેકટર આનંદ એલ. રાયની ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરુ થવાનું છે જેના માટે મુંબઈની ફિલ્મ સીટીમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. બહુ જલ્દી મેકર્સ આ વાતનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી શકે છે. કારણકે ફિલ્મમાં એક હિરોઈન કેટરીના કેફ પહેલાથી નક્કી છે અને દીપિકા ફિલ્મમાંથી બહાર નીકળી ગઈ છે. આ કારણે મેકર્સ અનુષ્કાનાં નામ પર વિચાર કરી રહ્યા છે. જો કે, સૂત્રોએ એવું પણ જણાવ્યું છે કે, જો આ ફિલ્મ માટે અનુષ્કા શર્મા નાં કહેશે તો આનંદ એલ. રાય તેમની ફેવરેટ એક્ટ્રેસ સોનમ કપૂરને કાસ્ટ કરવાનું વિચારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દીપિકા પાદુકોણને આનંદ એલ રાયની આ ફિલ્મ કરવાની ઈચ્છુક હતી પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' નાં શૂટિંગમા વ્યસ્ત છે અને તેની સાથે બંને ફિલ્મોની તારીખ કલેશ થવાના કારણે દીપિકાએ આનંદ એલ રાયને નાં પાડી છે. શાહરૂખ ખાન બહુ જલ્દી આ ફિલ્મનું શૂટિંગ શરુ કરશે અને એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શાહરૂખ ખાનની આ ફિલ્મ આગામી વર્ષે મોટા પડદા પર દસ્તક આપશે. ત્યાં સુધી શાહરૂખ ખાનના ફેંસે તેમનું નવું લૂક જોવા માટે રાહ જોવી પડશે. દીપિકા પાદુકોણની 'તનુ વેડ્સ મનુ' ફેમ ડિરેકટર આનંદ એલ રાયની સાથે આ પ્રથમ ફિલ્મ હોત.

The post શાહરૂખની નવી ફિલ્મમાં શું Deepika Padukone ની જગ્યા લેશે અનુષ્કા શર્મા? appeared first on Vishva Gujarat.

નવા જૂના મસાલાની સાથે ફિલ્મ ‘Noor’નું નવું ટ્રેલર રિલીઝ

$
0
0

2nd Trailer Of Sonakshi Sinha Starrer Noor Release

બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'Noor' નું બીજું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક અલગ અવતારમાં જોવા મળશે. સુનીલ સિપ્પીનાં નિર્દેશનમાં બનેલ ફિલ્મ Noor નું બીજું ટ્રેલર પહેલા કરતા વધારે ગંભીર છે. આ ટ્રેલરમાં બોરિંગ સોનાક્ષી પોતાની સ્ટોરી માટે ભાગતી નજર આવી રહી છે. તે તેની સ્ટોરી સાથે જોડાયેલ સત્યને સામે લાવવા માટે પ્રયત્ન કરતા નજર આવી રહી છે. તો બીજી તરફ, ફર્સ્ટ ટ્રેલરની વાત કરવામાં આવે તો તેમાં સોનાક્ષી પોતાના જીવન સાથે જોડાયેલ ફરિયાદ કરતા દેખાઈ રહી હતી.

ફિલ્મના નિર્દેશક સુનહીલ સિપ્પી છે. ફિલ્મ 'નૂર' ને ભૂષણ કુમાર અને વિક્રમ મલ્હોત્રાએ પ્રોડ્યુસ કરી છે. બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પાકિસ્તાની ફિક્શન 'કરાચી, યુ આર કિલીંગ મી' પર બની રહેલ આ ફિલ્મમાં નૂર રોય ચૌધરી નામની પત્રકારની ભૂમિકામાં નજર આવશે. ફિલ્મમાં વર્ષ ૨૦૧૪ માં પ્રકાશિત પત્રકાર-લેખક સબા ઇમ્તિયાઝની કોમેડી અને ક્રાઈમ-થ્રિલર પુસ્તકના કેન્દ્રમાં કરાચીની રહેવાસી ૨૦ વર્ષની રિપોર્ટર આયશા ખાન અને તેની કહાની છે.

પોતાનાં કેરેક્ટર વિશે જણાવતા સોનાક્ષી સિન્હાએ કહ્યું કે, હું પત્રકારોની વધારે ઈજ્જત કરું છુ. આ ફિલ્મમાં નૂરને મુંબઈ વધારે પસંદ છે અને આ જ કારણ છે કે, તે અહીં પરિવર્તન લાવવા માંગે છે. આ ફિલ્મમાં કનન ગિલ, શિબાની દાંડેકર અને પૂરબ કોહલી પણ છે. ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી સિન્હાની નવી ફિલ્મ 'નૂર' નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરમાં સોનાક્ષી અલગ-અલગ અદાઓમાં એક સાથે જોવા મળે છે.

The post નવા જૂના મસાલાની સાથે ફિલ્મ ‘Noor’ નું નવું ટ્રેલર રિલીઝ appeared first on Vishva Gujarat.

પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નહિ Begum Jaan!

$
0
0

Begum Jaan

બોક્સ ઓફિસ પર વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'Begum Jaan' રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મથી લોકોને વધારે આશા હતી. પરંતુ Begum Jaan એ પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી નથી. બેગમ જાને પ્રથમ દિવસે ૩.૯૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણી વિશેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરી જણાવી છે. તો હવે જોવું રહ્યું કે, ફિલ્મ વિકેન્ડમાં બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરે છે કે નહિ.

બેગમ જાન વર્ષ ૨૦૧૫ માં આવેલ બંગાળી ફિલ્મ ‘રાજકાહિની’ ની સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી બેગમ જાન (વિદ્યા બાલન) ની છે જે કોઠો ચલાવતી હોય છે અને ત્યાં કેટલીક મહિલાઓ રહે છે. આ મહિલાઓની દુનિયા આ કોઠા પૂરતી સીમિત હોય છે અને ત્યાં સત્તા ચાલે છે બેગમ જાનની. ફિલ્મની સ્ટોરી તે સમયની છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતને પાકિસ્તાનથી અલગ કરવા માટે એક સરહદ બનાવવામાં આવી. આ સરહદ બેગમજાનનાં કોઠામાંથી પસાર છે. ઓફિસર બેગમ જાનને તે મહેલ છોડવા માટે કહે છે. પરંતુ બેગમ જાન તેમના આદેશ નું બિલકુલ પાલન કરતી નથી. ત્યારબાદ ફિલ્મમાં સરકારી તંત્ર દ્ધારા દબાણ અને ઘણા ષડ્યંત્રો બતાવવામાં આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

વિદ્યા બાલન, ઈલા અરુણ, ગોહર ખાન, પલ્લવી શારદા સહિત ૧૧ એક્ટ્રેસીસ આ ફિલ્મ નજર આવશે. ફિલ્મમાં વધારે કિરદાર હોવાના કારણે કેટલાક કિરદારનું પરફોર્મન્સ સારું છે અને કેટલાકનું મીડીયમ. ફિલ્મનું કાસ્ટિંગ કમાલનું છે. આ સિવાય બેગમ જાન એટલે કે વિદ્યા બાલનનું પરફોર્મન્સ કમાલનું છે. વિદ્યા બાલનનું રૂપ-રંગ અને તેનો અવાજ કાનમાં લાંબા સમય સુધી ગુંજે છે. નસીરૂદ્દીન શાહનો રોલ નાનો છે પરંતુ કમાલનો છે. અમિતાભ બચ્ચનનો અવાજ પણ તમને સૂત્રધારનાં રૂપમાં સંભળાશે. જો ફિલ્મના મ્યુઝીકની વાત કરવામાં આવે તો તે લોકોને ખૂબ પસંદ આવશે.

The post પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નહિ Begum Jaan! appeared first on Vishva Gujarat.

Kapil Sharma એ ‘રિન્કુ ભાભી’અને ‘નાની’ને ટ્વિટર પર કર્યા અનફોલો

$
0
0

Kapil Sharma Unfollow Sunil Grover and Ali Asgar on Twitter

Kapil Sharma અને સુનીલ ગ્રોવરની વચ્ચે વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. સુનીલ ગ્રોવરનાં 'ધ કપિલ શર્મા શો' છોડ્યા પછી હવે Kapil Sharma સુનીલ ગ્રોવરને ટ્વીટર પરથી અનફોલો કરી દીધા છે. કપિલ માત્ર સુનીલને જ નહિ પરંતુ શોમાં નાની બનેલ અલી અસગર અને ચંદન પ્રભાકરને પણ અનફોલો કરી દીધા છે. વાસ્તવમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે થયેલ લડાઈ પછી સુનીલ ગ્રોવરે 'ધ કપિલ શર્મા શો' માં આવવાનો ઇનકાર દીધો હતો. સુનીલનાં સમર્થનમાં શોનાં અન્ય સ્ટાર્સ પણ ઉતર્યા અને શોમાં નાની બનનાર અલી અસગરે પણ શો છોડી દીધો છે. તમને જણાવી દઈએ કે, કપિલનાં શોમાં મૌસીની એન્ટ્રી થઇ છે. તો બીજી તરફ, હવે એવું લાગી રહ્યું છે કે, કપિલને અલી અસગરની જરૂર નથી અને તેનાથી નારાજ થઇ તેમણે ટ્વીટર પરથી અલીને અનફોલો કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, જ્યારથી સુનીલ ગ્રોવર, અલી અસગર અને ચંદન પ્રભાકરે 'ધ કપિલ શર્મા શો' છોડ્યો છે ત્યારથી કપિલ શર્માનાં શોની ટીઆરપી બહુ ઘટી ગઈ છે. પરંતુ જો ટીઆરપી ચાર્ટ ધ્યાનથી જોવામાં આવે તો લોકો સુનીલ કરતા વધારે કપિલને પસંદ કરે છે. થોડા દિવસ પહેલા 'ઇન્ડિયન આઈડલ' નાં ફાઈનલ એપિસોડમાં સુનીલ ગ્રોવર નજર આવ્યા હતા. જે દિવસે આ એપિસોડનું પ્રસારણ થયું હતું તે દિવસે ધ કપિલ શર્મા શો પણ ટેલીકાસ્ટ થયો હતો. એટલે કે બંનેની ટક્કર એક જ દિવસે થઇ હતી. ટીઆરપીનાં રેકોર્ડ મુજબ, ૧ થી ૭ એપ્રિલની વચ્ચે 'ધ કપિલ શર્મા શો' ને ૪.૬ મિલિયન લોકો જોયો. તો બીજી તરફ 'ઇન્ડિયન આઈડલ' નાં ફાઈનલ એપિસોડને ૪.૨ મિલિયન લોકોએ જ જોયો. તેના પરથી કહી શકાય કે, કપિલ શર્મા ટીવી વોરમાં સુનીલ ગ્રોવરને એકવાર ફરીથી પાછળ છોડવામાં સફળ રહ્યા છે.

ગયા મહિને 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

The post Kapil Sharma એ ‘રિન્કુ ભાભી’ અને ‘નાની’ ને ટ્વિટર પર કર્યા અનફોલો appeared first on Vishva Gujarat.

જાણો…કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ!

$
0
0

Dharmesh Yelande

કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ?

dharmesh5

ડાંસની દુનિયામાં પોતાનું વર્ચસ્વ બનાવ્યા પછી ડાંસર Dharmesh Yelande એ પોતાની રાહ જાતે બનાવી છે, જે સફળતાની મંજીલ તરફ જાય છે. કારકિર્દીની સફળતા પછી અંગત જીવનની એક પરીક્ષા ધર્મેશ પાસ કરી શક્યા નહિ.

ધર્મેશ યેલાન્દે

dharmesh2

ધર્મેશ આજકાલ સ્ટાર પ્લસનો શો ડાંસ પ્લસમાં જજના રૂપમાં નજર આવી રહ્યા છે અને અપકમિંગ ફિલ્મ બેન્જોમાં પણ તે એક મહત્વનો રોલ પ્લે કરી રહ્યા છે. પરંતુ પોતાના પ્રેમીને જીવનસાથી બનાવવા માટે તેણે હજુ પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh3

ખબર છે કે, ધર્મેશ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ બ્રેશના ખાન સાથે મેરેજ કરવા માંગે છે પરંતુ બંને પ્રેમીઓ માટે પરેશાની એ છે કે, તેમના પરિવારવાળાએ હજુ સુધી આ સંબંધને મંજુરી આપી નથી.

ધર્મેશ યેલાન્દે

dharmesh4

આ કારણ છે કે, બંને પોતાના મેરેજને અત્યારે પોસ્ટપોન્ડ રાખ્યા છે. જો કે, ધર્મેશ સોશિયલ સાઈટ્સ પર હંમેશા જ આ વાતની ચર્ચા કરે છે કે, તે પોતાની ગર્લફ્રેન્ડને કેવી રીતે પ્રેમ કરે છે અને કઈ રીતે તે તેની સાથે વિતાવેલા દરેક પલના ફોટા સોશિયલ સાઈટ્સ પર શેર પણ કરતા રહે છે.

ધર્મેશ યેલાન્દે

dharmesh1

ધર્મેશના ફેન્સ તો એવું જ ઈચ્છશે કે, જે પ્રકારે તેણે પોતાની કારકિર્દીમાં મુશ્કેલીનો સામનો કરી આગળ વધ્યો તે પ્રમાણે તે પોતાના જીવનમાં સફળ થાય.

ધર્મેશ યેલાન્દે

dharmesh6

ધર્મેશ યેલાન્દે

dharmesh7

 

The post જાણો… કોણ છે Dharmesh ના જીવનની લકી ગર્લ! appeared first on Vishva Gujarat.


બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ

$
0
0

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 01
મોડલ અને બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને મેક્સિમ મેગેઝિનના માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની બધી તસ્વીરોમાં ખુબ જ હોટ દેખાઈ રહી છે. તો આવો જોઈએ ફોટોશૂટ ફોટોસ....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 02

ઉલ્લેખનીય છે કે, અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ ફિલ્મથી બોલીવુડમાં એમી જેક્સને ફરીથી એન્ટ્રી કરી હતી. આ અગાઉ એમી જેક્સન ૨૦૧૨ની ‘એક દિવાના થા’ ફિલ્મમાં કામ કર્યું હતું.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 03

ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં પ્રતિક બબ્બર હતો. પરંતુ ફિલ્મ બોક્સઓફીસ પર ચાલી નહોતી. પરંતુ મૂળભૂત રૂપથી બ્રિટીસ એમી જેક્સનને હિન્દી ભાષામાં ખુબ જ રસ પડી રહ્યો છે. તેને જણાવ્યું હતું કે, અન્ય ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા સરળ છે.

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 04

એમી જેક્સને કહેવું છે કે, તેને દિલથી ઈચ્છા હતી કે, તે હિન્દી સિનેમા કામ કરે અને ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે તેને તક પણ મળી ગઈ હતી. એમી જેક્સન ઘણી સાઉથની ફિલ્મોમાં કામ કરી ચુકી છે. ફિલ્મ ‘સિંઘ ઈઝ બ્લિંગ’ માટે એમી જેક્સનની પ્રથમ પસંદગી ન હતી. ‘હિરોપંતી’ થી ચર્ચામાં આવેલી અભિનેત્રી કુર્તિ સેનનેન આ ફિલ્મ પહેલા સાઈન કરવામાં આવી હતી, પરંતુ તેણે ફિલ્મ છોડી દીધી હતી તેના કારણે એમી જેક્સનને સાઈન કરવામાં આવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ.....

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 05

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 06

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 07

બોલીવુડ અભિનેત્રી એમી જેક્સન

Bollywood Actress Amy Jackson MAXIM Magazine PhotoShoot Photos 08

The post બોલીવુડ અભિનેત્રી એમી જેક્સને Maxim Magazine માટે કરાવ્યું ફોટોશૂટ appeared first on Vishva Gujarat.

Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

$
0
0

tv-bahus-who-are-too-hottest

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-1

આમાંથી જે સૌથી મહત્વનો રોલ હોય છે તે છે વહુનો રોલ. કોઈની વાતો તો કોઈની અદાઓ દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-2

ચલો આજે તમને જણાવી દઈએ કે નાના પરદાની કેટલીક આવી જ એક્ટ્રેસ વિષે જેમણે નાની ઉંમરમાં વહુનો રોલ નિભાવી દર્શકોનું દિલ જીત્યું છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-3

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-4

આ બધી વહુઓમાં ક્રિસ્ટલ ડીસુઝા, નિયા શર્મા, દિગંગના સૂર્યવંશી, રાધિકા મદાન, પ્રત્યુશા બેનર્જી, અવિકા ગૌર, નેહા બગ્ગા જેવી અભિનેત્રીઓનો સમાવેશ થાય છે.

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-5

જેમણે જયારે ટીવી પર વહુનો રોલ નિભાવ્યો ત્યારે તેમની ઉંમર લગભગ ૨૦ વર્ષથી પણ ઓછી હતી. આવો જોઈએ આવી જ કેટલીક 'TV bahus' ના ફોટા..

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-6

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-7

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-8

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-9

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-10

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-11

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-12

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-13

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-14

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-15

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-16

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-17

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-18

રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’

tv-bahus-who-are-too-hottest-19

The post Photos : રીયલ લાઈફમાં ખૂબ જ સ્ટાઇલીશ છે આ ‘TV bahus’ appeared first on Vishva Gujarat.

મેડમ તુસાદ મ્યુઝિયમની શોભા વધારશે ફેમસ સિંગર Shreya Ghoshal

$
0
0

Shreya Ghoshal to get her wax statue at Madame Tussauds Museum

ભારતના પ્રથમ મેડમ તુસાદ મ્યુઝીયમમાં ફેમસ સિંગર Shreya Ghoshal ના મીણના પૂતળાનું અનાવરણ કરવામાં આવશે. આ મ્યુઝીયમ જૂનમાં ખૂલશે. શ્રેયા તેને લઈને વધારે ઉત્સાહિત છે. શ્રેયા ઘોષાલે એક નિવેદનમાં કહ્યું કે, 'હું અહીં મેડમ તુસાદમાં ઇતિહાસનો ભાગ બનવા લઈને રોમાંચિત છુ. અહીં સ્ટાર્સ, કલાકારો, ઈતિહાસકારો અને ફેમસ હસ્તીઓ વચ્ચે હોવું સમ્માનની વાત છે. શ્રેયા ઘોષાલનું મીણનું પૂતળું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અભિનેતા અમિતાભ બચ્ચન અને અમેરિકી પોપ સ્ટાર લેડી ગગાની સાથે હશે.

ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં સેલેબ્સના મીણના પૂતળા માટે ફેમસ મેડમ તુસાદ હવે દિલ્હીમાં જોવા મળશે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાભરના પ્રતિષ્ઠિત સંગ્રહાલય માંથી એક મેડમ તુસાદ છેલ્લા ૨૫૦ વર્ષોથી મીણનું પુતળું બનાવવા માટે ફેમસ છે. મ્યુઝિયમને દિલ્હીમાં લાવવાનું કામ યુરોપની ફેમસ મીડિયા એન્ટરટેઈનમેન્ટસ કંપની મર્લિન એન્ટરટેઈનમેન્ટસ કરશે.

તુસાદના દિલ્હી સ્ટુડિયોમાં બોલિવુડથી લઈને હોલિવુડની ફેમસ હસ્તીઓના પૂતળા હાજર હશે. માત્ર ફિલ્મી દુનિયામાંથી નહિ પરંતુ ખેલ અને મ્યુઝિક ક્ષેત્રની મોટી હસ્તીઓના પૂતળા પણ અહીં નજર આવશે. આ સ્ટુડિયો દિલ્હીના કનોટ પ્લેસમાં રીગલ સિનેમાની બાજુમાં સ્થાપિત કરવામાં આવશે અને ૨૦૧૭ માં તેનું ઉદ્દઘાટન થશે.

દિલ્હીમાં શરુ થનાર આ સ્ટુડિયો 22 મો મેડમ તુસાદ સ્ટુડિયો હશે. ન્યૂ ઓપનિંગ ઓફિસર જ્હોન જેકોબસને કહ્યું કે, વર્ષ ૨૦૦૦ માં મેડમ તુસાદમાં અમિતાભ બચ્ચનના મીણના પૂતળાને જગ્યા મળી હતી, ત્યારથી ભારતીયોની વચ્ચે મેડમ તુસાદની લોકપ્રિયતા વધી ગઈ હતી.

The post મેડમ તુસાદ મ્યુઝિયમની શોભા વધારશે ફેમસ સિંગર Shreya Ghoshal appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટર Sanjay Dutt ની વિરુધ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી

$
0
0

Non-bailable warrant against Sanjay Dutt over threat to filmmaker Shakeel Noorani

મુંબઈની એક કોર્ટે બોલિવુડ એક્ટર Sanjay Dutt ની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યો છે. આ વોરંટ શકીલ નૂરાનીને ધમકી આપવાના કેસમાં જારી કરવામાં આવ્યો છે. આ કેસમાં ચાર વર્ષ પહેલા પણ કોર્ટે Sanjay Dutt ની વિરુધ્ધ વોરંટ જારી કર્યો હતો. આ કેસ 15 વર્ષ જૂનો છે. વર્ષ ૨૦૦૨ માં શકીલ નૂરાની 'જાન કી બાજી' નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે આ ફિલ્મ માટે અભિનેતા સંજય દત્તને પચાસ લાખ રૂપિયા આપી સાઈન કર્યા હતા. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. બધું ઠીક હતું પરંતુ અચાનક સંજયે આ ફિલ્મ વચ્ચે જ છોડી દીધી હતી.

સંજય દત્તને ફિલ્મ છોડવાના કારણે નિર્માતા શકીલ નૂરાનીને લગભગ 5 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થયું હતું. આ વાતથી નૂરાની ઘણા ઉદાસ હતા. આરોપ હતો કે, ત્યારબાદ જ્યારે શકીલ નૂરાનીએ સંજય દત્ત સાથે સંપર્ક કર્યો તો સંજય દત્તે તેમને મારી નાખવાની ધમકી આપી હતી. નૂરાનીનો એવો પણ આરોપ છે કે, સંજયે તેમને અંડરવર્લ્ડ તરફથી ધમકી આપી હતી. સંજય દત્તનું વર્તન જોઈ નૂરાનીએ કાનૂનની મદદ લીધી હતી અને તેમની વિરુદ્ધ ધમકી આપવાનો કેસ નોંધાવ્યો હતો. જેના કારણે વર્ષ ૨૦૧૩ માં અંધેરી મેટ્રોપોલિટીયનકોર્ટે અભિનેતા સંજય દત્તની વિરુધ્ધ વોરંટ જારી કર્યો હતો. ત્યારથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

હવે કોર્ટે આ કેસમાં શનિવારે સંજય દત્તને સમન્સ મોકલ્યું હતું પરંતુ સંજય દત્ત કોર્ટમાં પેશી દરમિયાન હાજર રહ્યા નહિ. આ વાતથી ગુસ્સે થઇ અંધેરી મેટ્રોપોલિટીયન કોર્ટે એકવાર ફરીથી તેમની વિરુધ્ધ ગેરજમાનતી વોરંટ જારી કર્યો છે. જો કે, હજુ સુધી બોલિવુડ એક્ટર સંજય દત્ત તરફથી આ કેસમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. અત્યારે સંજય દત્ત તેમની કમબેક ફિલ્મ ભૂમિનાં શૂટિંગમાં વ્યસ્ત છે.

The post બોલિવુડ એક્ટર Sanjay Dutt ની વિરુધ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી appeared first on Vishva Gujarat.

Ajaz Khan એ ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલા હુમલા માટે મોદી-યોગીને ગણાવ્યા જવાબદાર

$
0
0

Actor Ajaz Khan Angry on Yogi And Modi On Cow Issue

ટીવી એક્ટર Ajaz Khan એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા છે. Ajaz Khan એ ફેસબુક પર એક વિડીયો અપલોડ કરી ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલ હુમલા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પરંતુ વાત કરતા જે ભાષા પર એઝાઝ પહોચી ગયા તેનાથી નવો વિવાદતો થવાનો જ હતો.

વિડીયોમાં એઝાઝ ખાન કહી રહ્યા છે કે, જો તમે લોકો મર્દ છો, માઈ કા લાલ છો - મોદીજી, યોગીજી અને ગૌરક્ષક આ છે હાર્લે ડેવિડસનનો બેલ્ટ. આ મેં કાલે એરપોર્ટ પરથી ખરીદ્યો છે. આ તેનું બીલ છે, મેં ૮ હજાર રૂપિયા ખર્ચ્યા છે. હવે હું ગૌ રક્ષકોને, મોદીજીને અને યોગીજીને કહ્યું છું કે, હાર્લે ડેવિડસન ગાય માતાની ચામડી વાળા બેલ્ટ વેચી રહ્યા છે. ધીસ ઈઝ ધ કાઉ લેધર બેલ્ટ જે પુરા હિન્દુસ્તાનમાં અને દુનિયાભરમાં વેચાઈ રહ્યા છે.

એઝાઝે યોગી આદિત્યનાથને હાર્લે ડેવિડસનની ગાયની ચામડીવાળા બેલ્ટના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો પડકાર કર્યો છે. એઝાઝનાં મેસેજ કરતા વધારે એઝાઝની બોલવાની રીતે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા છે. એઝાઝે આ નિવેદન કાશ્મીરથી આપ્યું છે. કાશ્મીરમાં તેમની ફિલ્મ 'તુઝે સલામ ઇન્ડિયા' નું શૂટિંગ ચાલી રહ્યું છે. તેની પહેલા પણ તેમની ફિલ્મ 'લવ ડે' આવી હતી તો તેમણે ગયા વર્ષે અંડરવર્લ્ડ ડોન દાઉદનાં ભાણીયાની મહેફિલમાં વિવાદિત સોંગ ગયું હતું. બિગબોસનાં એક્સ કન્ટેસ્ટંટ એઝાઝ ખાન ઘણીવાર તેમના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં રહે છે

The post Ajaz Khan એ ગૌ રક્ષાનાં નામ પર થઇ રહેલા હુમલા માટે મોદી-યોગીને ગણાવ્યા જવાબદાર appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images