ફિલ્મકાર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' નું શૂટિંગ એકવાર ફરીથી રોકવું પડ્યું છે. આ વખતે શૂટિંગ રોકવાનું કારણ ખુદ ફિલ્મની હિરોઈન Deepika Padukone છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન Deepika Padukone ની ગરદનમાં અચાનક દુખાવો થવા લાગ્યો જેના કારણે ફિલ્મનું શૂટિંગ રોકવું પડ્યું હતું. ગરદનમાં દર્દનાં કારણે દીપિકા રાણી પદ્માવતી માટે ડીઝાઈન કરેલા કપડા અને ઘરેણા પહેરી શકી નહિ. આ કારણે શૂટિંગ થઇ શક્યું નહિ. દીપિકા પાદુકોણનાં પ્રવક્તાએ જણાવ્યું કે, દીપિકા ગરદનમાં દર્દના કારણે શૂટિંગ કરી શકી નહિ. ચિંતાની કોઈ વાત નથી.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ 'પદ્માવતી' માં ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના આરોપમાં કરણી સેનાએ ફિલ્મના સેટ પર ખૂબ હંગામો કર્યો હતો. સેનાના કાર્યકર્તાઓએ નિર્દેશક સંજય લીલા ભણસાલીની સાથે અસભ્ય વર્તન પણ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ જયપુરના જયગઢ ફોર્ટમાં ચાલી રહ્યું હતું. અચાનક કરણી સેનાના કાર્યકર્તા ફિલ્મના સેટ પર પહોચ્યા અને વિરોધ-પ્રદર્શન કરવા લાગ્યા હતા. તેનો વિરોધ ઉગ્ર થઇ ગયો અને તેમણે ત્યાં હાજર શૂટિંગ ઉપકરણોને ઉઠાવી ફેંકવાનું શરુ કરી દીધું હતું. તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો તેઓ મારપીટ પર ઉતરી આવ્યા હતા.
હંગામા પછી ફિલ્મના નિર્દેશક સંજય લીલા ભણસાલીએ શૂટિંગ રોકી દીધું હતું. કરણી સેનાના સભ્ય એટલા ઉગ્ર થઇ ગયા હતા કે તેમણે ભણસાલીનું શૂટિંગ રોકી દીધું હતું. તેમણે ભણસાલી સાથે પણ ધક્કામુક્કી કરી હતી. તમને જણાવી દઈએ કે, શાહિદ કપૂર આ મુવીમાં દીપિકા પાદુકોણના પતિના રૂપમાં જોવા મળી શકે છે. આ પ્રથમ વખત હશે કે, શાહિદ સંજય લીલા ભણસાલી અને દીપિકાની સાથે કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ પહેલાથી જ મેઈન રોલ માટે ફાઈનલ થઈ ચૂક્યા છે. આ રણવીર અને દીપિકાની એક સાથે ત્રીજી ફિલ્મ હશે. તેની પહેલા બંને વર્ષ ૨૦૧૩માં 'ગોલીયો કી રાસલીલા અને ૨૦૧૫ ની હીટ ફિલ્મ 'બાજીરાવ-મસ્તાની' માં નજર આવી ચૂક્યા છે.
The post આ વખતે Deepika Padukone નાં કારણે રોકવામાં આવ્યું ‘પદ્માવતી’ નું શૂટિંગ! appeared first on Vishva Gujarat.