Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

‘બાહુબલી’ Prabhas ને બોલિવુડમાં લોન્ચ કરશે કરણ જોહર, જાણો કેવી હશે ફિલ્મ!

$
0
0

After Baahubali 2 Karan Johar to launch Prabhas in Bollywood

બોલિવુડનાં લીડ એક્ટર Prabhas બહુ જલ્દી બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, કરણ જોહર એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મને બાહુબલીનાં ડિરેક્ટર એસ. એસ.રાજમૌલી ડીરેક્ટ કરશે. આ ફિલ્મમાં Prabhas ને બોલિવુડમાં એક્શન-રોમેન્ટિક હીરો તરીકે રજૂ કરવામાં આવશે. છેલ્લા પાંચ વર્ષથી પ્રભાસ ફક્ત બાહુબલી પર ધ્યાન આપી રહ્યા છે. તે દરમિયાન તેમણે બોલિવુડનાં ઘણા મોટા બેનર્સને નાં કહ્યું છે. પરંતુ હવે સમય આવી ગયો છે પ્રભાસ બીજા પ્રોજેક્ટ્સને લઈને વિચારી શકે છે. ખબર છે કે, કરણ રાજામૌલીને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે કે તે એક હિંદી ફિલ્મ બનાવશે. હવે આ બંને ફિલ્મ મેકર્સ સાથે મળીને પ્રભાસને બોલિવુડમાં લોન્ચ કરવાનું કામ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી. બાહુબલીનો બીજો ભાગ 'બાહુબલી: ધ કનક્લુજન' ૨૮ એપ્રિલે રીલીઝ થવાનો છે.

The post ‘બાહુબલી’ Prabhas ને બોલિવુડમાં લોન્ચ કરશે કરણ જોહર, જાણો કેવી હશે ફિલ્મ! appeared first on Vishva Gujarat.


અઝાન વિવાદને લઈને ટ્રોલર્સ પર ભડક્યા Sonu Nigam, કહ્યું –તમારા વિચાર ખરાબ છે

$
0
0

Sonu Nigam

Sonu Nigam એ ગઈકાલે સવારે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી. સોનૂ નિગમે સવારે લાઉડસ્પીકરમાં મસ્જિદોમાં જે અઝાન થાય છે, તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પડે છે. તેની સાથે તેમણે મંદિરો અને ગુરુદ્ધારામાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ ખોટો જણાવ્યો છે અને આવી હરકતોને ખોટી જણાવવામાં આવી છે. ત્યારબાદ Sonu Nigam પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પણ તેમની ટીકા કરી છે.

પરંતુ હવે સોનૂ નિગમે આ મુદ્દે ચુપ્પી તોડી લગભગ ૨૪ કલાક પછી તેનો જવાબ આપ્યો છે. સોનૂ નિગમે ટ્વીટ કરી લખ્યું કે, તમે બધા જે પણ મને કહી રહ્યા છો તે તમારા વિચાર દેખાય છે. હું હજુ પણ મારા આ નિવેદન પર કાયમ છુ કે, મસ્જીદ હોય કે મંદિર, અઝાન હોય કે આરતી લાઉડસ્પીકરનો ઉપયોગ થવો જોઈએ નહિ. મ્યુઝીક કંપોઝર જોડી સાજિદ-વાજિદે સોનૂ નિગમની વાત પર નારાજગી વ્યક્ત કરી છે. તો બીજી તરફ, સાજીદ ખાને કહ્યું કે, જ્યારે લોકો વધારે ડ્રગ્સ લેતા હોય છે ત્યારે તેમને કોઈપણ અવાજ પસંદ આવતો નથી. સોનૂ નિગમની ટ્વીટ પર પૂજા ભટ્ટે પણ જવાબ આપ્યો અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પૂજા ભટ્ટે કહ્યું કે,તે દરરોજ સવારે અઝાન અને ચર્ચની ઘંટડીનો અવાજ સાંભળી ઉઠી જાય છે અને તેની સાથે તે અગરબત્તી કરે છે અને આ પ્રકારે તે ભારતીયતાને સલામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, સોનૂ નિગમે ગઈકાલે ટ્વીટ કરી હતી કે, તે મુસ્લિમ નથી પરંતુ મસ્જિદની અઝાનના અવાજથી તે કેમ રોજ સવારે ઉઠે. તેની સાથે તેમણે એવું પણ લખ્યું કે, ક્યાં સુધી આપણે આવી ધાર્મિક રીતિઓને જબરદસ્તીથી સહન કરવી પડશે. સોનૂ નિગમની આ ટ્વીટે એક નવો વિવાદ ઉભો કરી દીધો છે. પોતાની ટ્વીટ પર આવતી કમેન્ટનાં પ્રત્યુત્તરમાં સોનૂ નિગમે લખ્યું કે, જ્યારે મોહમ્મદે ઇસ્લામની સ્થાપના કરી હતી, ત્યારે વીજળી હતી નહિ. પરંતુ એડિસનના આવિષ્કાર પછી આ ઝંઝટની શું જરૂર છે. તેની સાથે સોનૂ નિગમે આવી વાતોને ગુંડાગર્દી જણાવ્યું અને એવું પણ લખ્યું કે, તે મંદિર કે ગુરુદ્ધારાનાં આ કદમને સપોર્ટ કરતા નથી કે વીજળીનો પ્રયોગ કરી તે સવારે-સવારે કોઈની ઊંઘ ખરાબ કરે.

The post અઝાન વિવાદને લઈને ટ્રોલર્સ પર ભડક્યા Sonu Nigam, કહ્યું – તમારા વિચાર ખરાબ છે appeared first on Vishva Gujarat.

સલમાન ખાનના અવાજમાં રિલીઝ થયું ‘Hanuman Da Damdaar’નું ટ્રેલર

$
0
0

Hanuman Da Damdaar

તાજેતરમાં બોલિવુડનાં દબંગ ખાન સલમાન ખાને એનીમેટેડ ફિલ્મ 'Hanuman Da Damdaar' નું પોસ્ટર લોન્ચ કર્યું હતું. સલમાન ખાનના અવાજની સાથે ફિલ્મ 'Hanuman Da Damdaar' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના એનિમેટેડ કેરેક્ટરને બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પોતાનો અવાજ આપ્યો છે. ફિલ્મમાં રવીના ટંડન, જાવેદ અખ્તર, મકરંદ દેશપાંડે અને વિનય પાઠક જેવી હસ્તીઓનાં અવાજમાં સંવાદ સાંભળવા મળશે. ટ્રેલરમાં હનુમાનના રોલમાં સલમાન ખાનના ફેમસ ડાયલોગ 'એક બાર મેને જો કમેટમેન્ટ કર દી' સાંભળવા મળી રહ્યો છે. ફિલ્મના બધા કિરદારોને વધારે મોર્ડન રીતે લોકોની સામે રજૂ કરવામાં આવ્યા છે. જો કે, આ ફર્સ્ટ ટાઈમ છે જ્યારે કોઈ એનિમેટેડ ફિલ્મમાં સલમાન ખાન પોતાનો અવાજ આપી રહ્યા છે.

'હનુમાન દા દમદાર' ને રુચિ નારાયણે લખી છે. રુચિ તેની પહેલા 'હજારો ખ્વાહિશે એસી' ની સ્ટોરી પણ લખી ચૂકી છે. એનીમેશન ફિલ્મ હનુમાન દા દમદારમાં ભગવાન હનુમાનની સ્ટોરી બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મમાં હનુમાન સિવાય ભગવાન રામ પણ હશે. ફિલ્મની સ્ટોરીમાં શરૂઆતમાં એવું બતાવવામાં આવશે કે હનુમાન ભગવાન રામને ક્યારે અને કેવી રીતે મળે છે. આ સિવાય ફિલ્મની સ્ટોરી તેના પર આધારિત છે. ફિલ્મને સલમાન ખાનનો અવાજ અને હનુમાનનું પાત્ર વધારે દમદાર બનાવશે. જે લોકોને અને ખાસ કરીને બાળકોને આ ફિલ્મ જોવા માટે ઉત્સુકતા વધારી દેશે. આ ફિલ્મ ૧૯ મેનાં રોજ રિલીઝ થશે. તો બીજી તરફ સલમાન ખાનની વાત કરીએ તો સલમાન આજકાલ તેમની અપકમિંગ ફિલ્મ 'ટાઈગર જિંદા હે' નાં શૂટિંગમાં ઘણા વ્યસ્ત છે. આ ફિલ્મમાં સલમાન કેટરીના કેફની સાથે નજર આવશે.

The post સલમાન ખાનના અવાજમાં રિલીઝ થયું ‘Hanuman Da Damdaar’ નું ટ્રેલર appeared first on Vishva Gujarat.

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

Photos : આ છે ‘Kumkum Bhagya’ની ‘આલિયા’નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ

$
0
0

Photos 'Kumkum Bhagya' actress Shikha Singh aka Aaliya with Boyfriend

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 1

ટીવી એક્ટ્રેસ શિખા સિંહ અત્યારે પોપ્યુલર સીરીયલ 'કુમકુમ ભાગ્ય' માં આલિયાનો રોલ નિભાવી રહી છે. સીરીયલમાં ભલે આલિયા પૂરવનાં પ્રેમમાં પાગલ હોય પણ રીયલ લાઈફમાં આલિયા એટલે કે શિખાને સાચ્ચો પ્રેમ મળી ગયો છે. રીપોર્ટસ મુજબ, શિખા તેના જૂના મિત્ર કરણ શાહને ડેટ કરી રહી છે.

રીપોર્ટસ મુજબ, શિખા અને કરણ ફ્રી સમયમાં હોલીડે પર એકબીજા સાથે વિતાવે છે. અત્યારે શોમાં આલિયા એટલે કે શિખાની સચ્ચાઈ બાહર આવી ગઈ છે. પ્રજ્ઞાએ મહેરા ફેમેલીની સામે આલિયાની અસલીયત લાવીને મૂકી દીધી છે. જેથી અત્યારે આલિયા પાસે શોમાં કરવા માટે કંઈ જ નથી એટલે અત્યારે તે તેના બોયફ્રેન્ડ કરણ શાહ સાથે રજાઓ ગાળી રહી છે. શિખાએ કરણ સાથે પોતાના આ ફોટા તેના ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. આગળ જુઓ વધુ ફોટા...

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 2

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 3

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 4

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 5

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 6

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 7

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 8

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 9

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 10

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 11

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 12

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 13

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 14

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 15

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 16

Shikha Singh aka Aaliya with Boyfriend

shikha 17

 

The post Photos : આ છે ‘Kumkum Bhagya’ ની ‘આલિયા’ નો રીયલ લાઈફ બોયફ્રેન્ડ appeared first on Vishva Gujarat.

Sonu Nigam નાં સમર્થનમાં ઉતર્યા સુનીલ ગ્રોવર, જાણો શું કહ્યું?

$
0
0

Sunil Grover reaction On Sonu Nigam’s tweets about azaan

બોલિવુડનાં ફેમસ સિંગર Sonu Nigam એ અઝાનને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે તે વિવાદોમાં છે. જ્યારથી Sonu Nigam એ કહ્યું છે કે, લાઉડસ્પીકર પર અઝાનનાં કારણે તેમને પરેશાની થાય છે ત્યારથી આ મુદ્દા પર ચર્ચા શરુ થઇ ગઈ છે. આ મુદ્દા પર સતત બોલિવુડથી લઈને રાજનેતાઓ સુધીનાં નિવેદન સાંભળવા મળી રહ્યા છે. હવે કોમેડિયન સુનીલ ગ્રોવરે સોનૂ નિગમનું સમર્થન કર્યું છે. સુનીલ ગ્રોવરે ટ્વીટર પર લખ્યું છે કે, હું સોનુ નિગમને ઓળખું છુ કે, તે કોઈ ધર્મની ભાવનાઓને નુકસાન પહોચાડવા માંગતા નથી. તે બધા ધર્મોનું સમ્માન કરે છે. આપણે તેમની વાતનો કોઈ અલગ અર્થ નાં નીકાળવો જોઈએ અને તે મુદ્દાને ધાર્મિક મોડ નાં આપવો જોઈએ.

સોનૂ નિગમે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી કે, સવારે લાઉડસ્પીકરમાં મસ્જિદોમાં જે અઝાન થાય છે, તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પડે છે. તેની સાથે તેમણે મંદિરો અને ગુરુદ્ધારામાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ ખોટો જણાવ્યો છે અને આવી હરકતોને ખોટી જણાવવામાં આવી છે. ત્યારબાદ સોનૂ નિગમ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પણ તેમની ટીકા કરી છે.

સોનૂ નિગમે ટ્વીટ કરી લખ્યું કે, તમે બધા જે પણ મને કહી રહ્યા છો તે તમારા વિચાર દેખાય છે. હું હજુ પણ મારા આ નિવેદન પર કાયમ છુ કે, મસ્જીદ હોય કે મંદિર, અઝાન હોય કે આરતી લાઉડસ્પીકરનો ઉપયોગ થવો જોઈએ નહિ. મ્યુઝીક કંપોઝર જોડી સાજિદ-વાજિદે સોનૂ નિગમની વાત પર નારાજગી વ્યક્ત કરી છે. તો બીજી તરફ, સાજીદ ખાને કહ્યું કે, જ્યારે લોકો વધારે ડ્રગ્સ લેતા હોય છે ત્યારે તેમને કોઈપણ અવાજ પસંદ આવતો નથી. સોનૂ નિગમની ટ્વીટ પર પૂજા ભટ્ટે પણ જવાબ આપ્યો અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પૂજા ભટ્ટે કહ્યું કે,તે દરરોજ સવારે અઝાન અને ચર્ચની ઘંટડીનો અવાજ સાંભળી ઉઠી જાય છે અને તેની સાથે તે અગરબત્તી કરે છે અને આ પ્રકારે તે ભારતીયતાને સલામ કરે છે.

The post Sonu Nigam નાં સમર્થનમાં ઉતર્યા સુનીલ ગ્રોવર, જાણો શું કહ્યું? appeared first on Vishva Gujarat.

Nach Baliye 8 માં પત્ની ગીતા બસરા સાથે ઠુમકા લગાવશે હરભજન સિંહ

$
0
0

Harbhajan Singh and Geeta Basra to be part of Nach Baliye 8

સ્ટાર પ્લસનો ફેમસ રિયાલીટી શો Nach Baliye 8 માં હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાની જોડી ધમાલ મચાવવા માટે તૈયાર છે. જો કે, આ ફક્ત એક ગેસ્ટ પરફોર્મન્સ હશે. તેની પહેલા શોમાં યુવરાજ સિંહ અને હેઝલ કિચની ચર્ચા હતી પરંતુ હેઝલે પોતાનાં એક નિવેદનમાં આ ખબરોનું ખંડન કર્યું હતું. બધા જાણે છે કે, ગીતા બસરા એક સારી ડાંસર છે પરંતુ હરભજન સિંહ પણ કોઈનાથી કમ નથી. તે 'એક ખેલાડી એક હસીના' નામના ડાંસ શોના વિજેતા રહી ચૂક્યા છે. તેમાં હરભજન સિંહની સાથે મોના સિંહ પણ નજર આવી હતી. હવે દર્શકો રીયલ લાઈફની આ જોડીને મોટા પડદા પર જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, નચ બલિએની આ સીઝનમાં ટીવીની ફેમસ જોડીઓને પહેલા જ ચેનલ અને શો ના મેકર્સે સાઈન કરી લીધા છે. નચ બલિએ સીઝન ૮ માં દિવ્યાંકા ત્રિપાઠી - વિવેક દહિયા, ભારતી સિંહ - હર્ષ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા -વિક્રાંત સિંહ રાજપૂત, દીપિકા કક્ક્ડ-શોએબ ઈબ્રાહીમ સામેલ છે. તો બીજી તરફ, સોનાક્ષી સિન્હા, ફિલ્મમેકર મોહિત સૂરી અને ડાંસર કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ શો નાં જજ છે

The post Nach Baliye 8 માં પત્ની ગીતા બસરા સાથે ઠુમકા લગાવશે હરભજન સિંહ appeared first on Vishva Gujarat.

Sonu Nigam ‘ગજની લૂક’માટે તૈયાર, કહ્યું ૧૦ લાખ રૂપિયા તૈયાર રાખો

$
0
0

Maulvi Issues Fatwa Against Sonu Nigam, Offers Rs 10 Lakh For Shaving His Head

Sonu Nigam ની અઝાન પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ માઈનોરિટી યુનાઇટેડ કાઉન્સિલનાં વાઈસ પ્રેસિડન્ટ સૈયદ શા કાદિરીએ ફતવો જારી કર્યો છે. કાદિરીએ કહ્યું કે, જે કોઈ પણ સોનુ નિગમને ટકલો કરશે અને જૂના જૂતાનો હાર પહેરાવશે તેને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જો કે, સોનૂ નિગમે ટ્વીટ કરી આ ફતવાનો ઉત્તર આપ્યો છે. તેમણે લખ્યું કે, બપોરે 2 વાગ્યે અલીમ મારા ઘરે આવી મારું મુંડન કરશે. ૧૦ લાખ રૂપિયા તૈયાર રાખજો મૌલવી.

મૌલવીએ ફતવો જારી કહ્યું કે, સિંગર સોનૂ નિગમે ધર્મનિરપેક્ષ ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે. જેના કારણે તેને દેશની બહાર નીકાળી દેવો જોઈએ. સોનૂ નિગમને રાષ્ટ્રદ્રોહી જણાવતા કાદિરીએ કહ્યું કે, કોઈની પાસે પણ અન્ય ધર્મની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો હક નથી. ત્યારબાદ સોનૂ નિગમે આ ખબરની રિટ્વીટ કરતા લખ્યું કે, શું આ ધાર્મિક ગુંડાગર્દી નથી. ત્યારબાદ તેમણે ફરીથી એક ટ્વીટ કરી કે, મીડિયા પણ બપોરે 2 વાગ્યે મારા મુંડન પ્રોગ્રામમાં સામેલ થઇ શકે છે.

બોલિવુડનાં ફેમસ સિંગર સોનૂ નિગમે અઝાનને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે તે વિવાદોમાં છે. જ્યારથી સોનૂ નિગમે કહ્યું છે કે, લાઉડસ્પીકર પર અઝાનનાં કારણે તેમને પરેશાની થાય છે ત્યારથી આ મુદ્દા પર ચર્ચા શરુ થઇ ગઈ છે. આ મુદ્દા પર સતત બોલિવુડથી લઈને રાજનેતાઓ સુધીનાં નિવેદન સાંભળવા મળી રહ્યા છે. સોનૂ નિગમે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી કે, સવારે લાઉડસ્પીકરમાં મસ્જિદોમાં જે અઝાન થાય છે, તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પડે છે. તેની સાથે તેમણે મંદિરો અને ગુરુદ્ધારામાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ ખોટો જણાવ્યો છે અને આવી હરકતોને ખોટી જણાવવામાં આવી છે. ત્યારબાદ સોનૂ નિગમ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પણ તેમની ટીકા કરી છે.

The post Sonu Nigam ‘ગજની લૂક’ માટે તૈયાર, કહ્યું ૧૦ લાખ રૂપિયા તૈયાર રાખો appeared first on Vishva Gujarat.


ભાઈજાને ફેંસને આપી ભેટ, જારી કર્યું Tubelight નું ફર્સ્ટ પોસ્ટર

$
0
0

Tubelight

સલમાન ખાનની ફિલ્મ Tubelight ની રાહ જોઈ રહેલા લોકો માટે ગુડ ન્યૂઝ છે કે, સલમાન ખાને Tubelight ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. ત્યારબાદ આ ફિલ્મના પ્રમોશનની સત્તાવાર શરૂઆત થઇ ગઈ છે. આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા સલમાને લખ્યું કે, શું તમને વિશ્વાસ છે અને ત્યારબાદ તેના પોસ્ટર પર ઈદનાં દિવસે રિલીઝ થશે ફિલ્મ તેનો સમય આપ્યો છે. સલમાનની ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષથી ઈદ પર રિલીઝ થઇ રહી છે અને એક પછી એક કમાણીના રેકોર્ડ તોડી રહી છે.

આ પોસ્ટરમાં સલમાન ખાન કોટ અને ટોપીમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે. ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post ભાઈજાને ફેંસને આપી ભેટ, જારી કર્યું Tubelight નું ફર્સ્ટ પોસ્ટર appeared first on Vishva Gujarat.

આ શોમાં કોમેડી કરતા નજર આવશે Kapil Sharma, સુનીલ ગ્રોવર અને અલી અસગર!

$
0
0

Finally Kapil Sharma, Sunil Grover and Ali Asgar are on the same show

Kapil Sharma સાથે થયેલ વિવાદ બાદ કોમેડિયન સુનીલ ગ્રોવર જ નહિ પરંતુ કપિલના શોમાં તેમની નાની બનનાર એક્ટર અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધ મિશ્રાએ શોને અલવિદા કહી દીધું છે. સુનીલ ગ્રોવરે તો સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો અને પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે કે, તે હવે કપિલનાં શોમાં ક્યારે પણ પરત આવશે નહિ પરંતુ અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રાએ આ કેસમાં હજુ સુધી ચુપ્પી તોડી નથી. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના ઝઘડા પછી આ કેસમાં રોજબરોજ કોઈ નવી અપડેટ આવતી હોય છે પરંતુ હવે ખબર છે કે, સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા ફરીથી એકસાથે નજર આવશે.  

સબસે બડા કલાકર ટીવી શોમાં આ બંને કલાકાર સાથે નજર આવવાના છે. કપિલ શર્માએ ટ્વીટ કરી જણાવ્યું કે, તે આ શો પર આવ્યા હતા. કપિલે બોમ ઈરાની સાથે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તો બીજી તરફ, સુનીલ ગ્રોવર અને અલી અસગર સોની ચેનલનાં રિયાલીટી શો 'સબસે બડા કલાકાર' માં નજર આવશે. અત્યાર સુધી કપિલ શર્માની દાદી અને નાનીનો રોલ પ્લે કરનાર અલી અસગર હવે સુનીલ ગ્રોવરની નર્સ લેલા બનીને નજર આવશે. જો કે, સુનીલ ગ્રોવર આ શોમાં એકવાર ફરીથી ડૉ. મશહૂર ગુલાટીનાં રોલમાં નજર આવશે. આ સમગ્ર વિવાદ બાદ ફર્સ્ટ ટાઈમ અલી અસગર, સુનીલ સાથે નજર આવવાના છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા મુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી. બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post આ શોમાં કોમેડી કરતા નજર આવશે Kapil Sharma, સુનીલ ગ્રોવર અને અલી અસગર! appeared first on Vishva Gujarat.

Sonu Nigam એ કરાવ્યું મુંડન, કહ્યું –૧૦ લાખ રૂપિયા લાવો મૌલવી

$
0
0

Singer Sonu Nigam keeps promise and shaves his head

 Sonu Nigam ની અઝાન પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ માઈનોરિટી યુનાઇટેડ કાઉન્સિલનાં વાઈસ પ્રેસિડન્ટ સૈયદ શા કાદિરીએ ફતવો જારી કર્યો હતો. કાદિરીએ કહ્યું હતું કે, જે કોઈ પણ  Sonu Nigam નું મુંડન કરશે અને જૂના જૂતાનો હાર પહેરાવશે તેને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જો કે, સોનૂ નિગમે પણ આ ફતવાનો કરારો ઉત્તર આપ્યો છે. સોનૂ નિગમે પોતાનું મુંડન કરાવી દીધું છે અને મૌલવી પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી છે. મૌલવીએ ફતવો જારી કહ્યું હતું કે, સિંગર સોનૂ નિગમે ધર્મનિરપેક્ષ ભારતીય સંવિધાનનું અપમાન કર્યું છે. જેના કારણે તેને દેશની બહાર નીકાળી દેવો જોઈએ. સોનૂ નિગમને રાષ્ટ્રદ્રોહી જણાવતા કાદિરીએ કહ્યું કે, કોઈની પાસે પણ અન્ય ધર્મની ભાવનાઓને ઠેસ પહોચાડવાનો હક નથી. ત્યારબાદ સોનૂ નિગમે આ ખબરની રિટ્વીટ કરતા લખ્યું કે, શું આ ધાર્મિક ગુંડાગર્દી નથી.

બોલિવુડનાં ફેમસ સિંગર સોનૂ નિગમે અઝાનને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે તે વિવાદોમાં છે. જ્યારથી સોનૂ નિગમે કહ્યું છે કે, લાઉડસ્પીકર પર અઝાનનાં કારણે તેમને પરેશાની થાય છે ત્યારથી આ મુદ્દા પર ચર્ચા શરુ થઇ ગઈ છે. આ મુદ્દા પર સતત બોલિવુડથી લઈને રાજનેતાઓ સુધીનાં નિવેદન સાંભળવા મળી રહ્યા છે. સોનૂ નિગમે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી કે, સવારે લાઉડસ્પીકરમાં મસ્જિદોમાં જે અઝાન થાય છે, તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પડે છે. તેની સાથે તેમણે મંદિરો અને ગુરુદ્ધારામાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ ખોટો જણાવ્યો છે અને આવી હરકતોને ખોટી જણાવવામાં આવી છે. ત્યારબાદ સોનૂ નિગમ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પણ તેમની ટીકા કરી છે.

The post Sonu Nigam એ કરાવ્યું મુંડન, કહ્યું – ૧૦ લાખ રૂપિયા લાવો મૌલવી appeared first on Vishva Gujarat.

Sonu Nigam વિરુદ્ધ FIR દાખલ, મૌલવીએ કહ્યું –માત્ર મુંડન કરાવવાથી નહિ મળે ૧૦ લાખ

$
0
0

After Sonu Nigam shaves head, Maulavi refuses to pay Rs 10 lakh

ઔરંગાબાદ હવે પાણીપતમાં પણ સિંગર Sonu Nigam ની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બોલિવુડનાં ફેમસ સિંગર Sonu Nigam એ અઝાનને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે તે વિવાદોમાં છે. સોનૂ નિગમની અઝાન પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ માઈનોરિટી યુનાઇટેડ કાઉન્સિલનાં વાઈસ પ્રેસિડન્ટ સૈયદ શા કાદિરીએ ફતવો જારી કર્યો હતો. કાદિરીએ કહ્યું હતું કે, જે કોઈ પણ સોનુ નિગમનું મુંડન કરશે અને જૂના જૂતાનો હાર પહેરાવશે તેને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

જો કે, સોનૂ નિગમે પણ આ ફતવાનો કરારો ઉત્તર આપ્યો છે. સોનૂ નિગમે પોતાનું મુંડન કરાવી દીધું છે અને મૌલવી પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી છે. સોનુ નિગમની ૧૦ લાખ રૂપિયાની માંગણી પછી ફતવો જારી કરનાર મૌલવી પોતાના નિવેદનથી પલટી ગયા છે. મૌલવીએ દાવો કર્યો છે કે, મુંડન કરાવવાની વાત તેમણે કહી નથી. જો કે, હવે તેઓ એવું કહી રહ્યા છે કે, જે પણ સોનૂ નિગમને ફાટેલા જૂતાની માળા પહેરાવશે અને આખા દેશમાં ફેરવશે તેને દસ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

બોલિવુડ સિંગર સોનૂ નિગમે પોતાના નિવેદનથી સર્જાયેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતનું બતંગડ બનાવવામાં આવે છે. જો કે, હું માનું છુ કે, ધર્મના નામે શોર મચાવવો ગુંડાગર્દી છે. જ્યારથી સોનૂ નિગમે કહ્યું છે કે, લાઉડસ્પીકર પર અઝાનનાં કારણે તેમને પરેશાની થાય છે ત્યારથી આ મુદ્દા પર ચર્ચા શરુ થઇ ગઈ છે. આ મુદ્દા પર સતત બોલિવુડથી લઈને રાજનેતાઓ સુધીનાં નિવેદન સાંભળવા મળી રહ્યા છે. સોનૂ નિગમે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી કે, સવારે લાઉડસ્પીકરમાં મસ્જિદોમાં જે અઝાન થાય છે, તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પડે છે. તેની સાથે તેમણે મંદિરો અને ગુરુદ્ધારામાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ ખોટો જણાવ્યો છે અને આવી હરકતોને ખોટી જણાવવામાં આવી છે. ત્યારબાદ સોનૂ નિગમ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પણ તેમની ટીકા કરી છે.

The post Sonu Nigam વિરુદ્ધ FIR દાખલ, મૌલવીએ કહ્યું – માત્ર મુંડન કરાવવાથી નહિ મળે ૧૦ લાખ appeared first on Vishva Gujarat.

કંઇક આવું હશે Aishwarya -અભિષેકની ૧૦ મી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન

$
0
0

How Abhishek and Aishwarya plan to celebrate their 10th Anniversary

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનાં મેરેજને કાલે ૧૦ વર્ષ પૂર્ણ થવાના છે. પરંતુ કપલ આ વર્ષે પોતાની વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરશે નહિ કારણકે Aishwarya નાં પિતા કૃષ્ણરાજ રાયનું ગયા મહિને નિધન થયું છે તો આ વર્ષે જલસામાં કોઈ પાર્ટી થશે નહિ. ગયા વર્ષે અભિષેક બચ્ચને Aishwarya માટે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એશ્વર્યાની સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે એશ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

તાજેતરમાં એવી ખબર સામે આવી હતી કે, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની જોડી એકવાર ફરીથી મણિરત્નમની આગામી ફિલ્મમાં નજર આવશે. જો કે, આ કપલે હજુ સુધી આ વાતની પુષ્ટી કરી નથી. ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનના મેરેજ ખુબ જ ખાસ અને પ્રાઇવેટ સેરેમનીમાં થયા હતા. મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેકે ૨૦ એપ્રિલ ૨૦૦૭ પૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય સાથે મેરેજ કર્યા હતા.

અભિષેક-ઐશ્વર્યાના મેરેજના કાલે ૧૦ વર્ષ પૂર્ણ થશે. ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’માં એશ્વર્યા અને અભિષેકે ફર્સ્ટ ટાઈમ સાથે કામ કર્યું હતું. ત્યાર પછી તે બંને ફિલ્મ ‘ઉમરાવ જાન’માં પણ જોવા મળ્યા. આ દરમિયાન બંને વચ્ચે સબંધ વધ્યો તેવું કહેવામાં આવતું હતું, ત્યારબાદ ફિલ્મ ‘ગુરુ’ના સેટ પર અભિષેકે એશ્વર્યાને પ્રપોઝ કર્યો હતો. એશ્વર્યા અને અભિષેકનાં મેરેજમાં બોલીવુડની સાથે રાજનેતા, ક્રિકેટરર્સ, બિઝનેસમેન અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા.

The post કંઇક આવું હશે Aishwarya -અભિષેકની ૧૦ મી વેડિંગ એનિવર્સરીનું સેલિબ્રેશન appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

$
0
0

Love Affairs

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.

જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

$
0
0

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-1
આ સ્ટાર પ્લસનો શો સાથ નિભાના સાથિયાની પ્રખ્યાત ગોપી વહુ છે. હંમેશા તમે તેમણે ઇન્ડીયન લુકમાં જ જોઈ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, ટીવીની આ વહુ સંસ્કારી હોવાની સાથે હોટ પણ છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-2

દેવોલીના અત્યારના દિવસોમાં કેલેન્ડર શૂટ માટે મલેશિયા ગઈ છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-3

ગોપી વહુ એટલે દેવોલીનાએ આ ફોટોશૂટના ફોટોસ શેર કર્યા છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-4

ટીવી શોમાં ભલે તે દાદીના રોલમાં જોવા મળે છે. પરંતુ રિયલ લાઈફમાં શું છે તેમણે તે તેમણે દેખાડ્યું છે. હકીકતમાં ગોપી આ ફોટોસમાં ઘણી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ દેખાઈ રહી છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-6

દેવોલીના ટીવી શો સાથ નિભાના સાથિયાનો જાણીતો ચહેરો છે. આ શો સાંજે ૭ વાગે સ્ટાર પલ્સ પર આવે છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-7

દેવોલીના ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટીવ છે. તે ઘણી વખત તસ્વીરો શેર કરતી રહે છે.

સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ

bold-and-hot-avatar-of-saath-nibhana-saathiya-actress-devoleena-bhattacharjee-8

દેવોલીનાને ડાન્સ ઇન્ડિયા ડાન્સ સીઝન ૨ ના ઓડિશનના દ્વ્રારા નોટિસ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એનડીટીવી ઇમેજિનનો શો સંવારે સબકે સપને પ્રીતોમાં કામ કરવાની ઓફર મળી હતી.

The post જુઓ…સાથ નિભાના સાથિયાની સંસ્કારી ગોપી વહુના બોલ્ડ ફોટોસ appeared first on Vishva Gujarat.


જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Latest Instagram pics of Jackie shroff's Daughter Krishna Shroff

જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તસ્વીર જૈકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન Krishna Shroff ની છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

આ તાજા તસ્વીર તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ ટાઈમલાઈન પર પોસ્ટ કરી છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બીજા સ્ટાર કિડ્સની જેમ જ કૃષ્ણા શ્રોફ પણ આજકાલ તેના ડ્રેસિંગને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફ મોટે ભાગે સોશિયલ મીડિયા પર એક્ટીવ જોવા મળે છે તેના કારણે તેમના ચાહકોમાં વધારો થયો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

પોતાના ભાઈ ટાઇગરની જેમ ફિલ્મોમાં ના હોવા છતાં કૃષ્ણા શ્રોફના પણ ઘણા ચાહકો છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

કૃષ્ણા શ્રોફે ઘણા ટેટૂઝ બનાવી રાખ્યા છે જેનું કોમ્બીનેશન પોતાના ડ્રેસની સાથે બનાવી પોતાની તસ્વીર પોસ્ટ કરતી રહે છે.

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

તેની અસર એવી હોય છે કે તેમના ચાહકો દીવાના થઈ જાય છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જૈકી શ્રોફની પુત્રીની કૃષ્ણા શ્રોફની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ…જૈકી શ્રોફની પુત્રીની Krishna Shroff ની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

જ્યારે કુમાર વિશ્વાસે Sonu Nigam ને કહ્યું, હવે કોઈ તમારો વાળ વાંકો નહિ કરી શકે….

$
0
0

Sonu Nigam

બોલિવુડનાં ફેમસ સિંગરSonu Nigam એ અઝાનને લઈને જે નિવેદન આપ્યું છે તેના કારણે તે વિવાદોમાં છે. Sonu Nigam ની અઝાન પર કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીની વિરુદ્ધ પશ્ચિમ બંગાળ માઈનોરિટી યુનાઇટેડ કાઉન્સિલનાં વાઈસ પ્રેસિડન્ટ સૈયદ શા કાદિરીએ ફતવો જારી કર્યો હતો. કાદિરીએ કહ્યું હતું કે, જે કોઈ પણ સોનુ નિગમનું મુંડન કરશે અને જૂના જૂતાનો હાર પહેરાવશે તેને ૧૦ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

જો કે, સોનૂ નિગમે પણ આ ફતવાનો કરારો ઉત્તર આપ્યો છે. સોનૂ નિગમે પોતાનું મુંડન કરાવી દીધું છે અને મૌલવી પાસે ૧૦ લાખ રૂપિયાની માંગણી કરી છે. સોનુ નિગમે જ્યારે મુંડન કરાવ્યું તો તેમને આમ આદમી પાર્ટી (આપ) નાં નેતા તેમજ કવિ કુમાર વિશ્વાસનો સાથ મળી ગયો છે. જેમણે હસ્યપ્રદ રીતે સોનૂ નિગમને શાબાસી આપી છે. કુમાર વિશ્વાસે ટ્વીટર પર લખ્યું, 'તમારો હવે કોઈ વાળ પણ વાંકો કરી શકશે નહિ... પોતે વાળ કપાવી નફરતનું મુંડન કરાવી દીધું છે....' સોનુ નિગમે પણ તુરંત કુમાર વિશ્વાસનો આભાર વ્યક્ત કર્યો....

ઉલ્લેખનીય છે કે, સોનુ નિગમની ૧૦ લાખ રૂપિયાની માંગણી પછી ફતવો જારી કરનાર મૌલવી પોતાના નિવેદનથી પલટી ગયા છે. મૌલવીએ દાવો કર્યો છે કે, મુંડન કરાવવાની વાત તેમણે કહી નથી. જો કે, હવે તેઓ એવું કહી રહ્યા છે કે, જે પણ સોનૂ નિગમને ફાટેલા જૂતાની માળા પહેરાવશે અને આખા દેશમાં ફેરવશે તેને દસ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

બોલિવુડ સિંગર સોનૂ નિગમે પોતાના નિવેદનથી સર્જાયેલા વિવાદ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતનું બતંગડ બનાવવામાં આવે છે. જો કે, હું માનું છુ કે, ધર્મના નામે શોર મચાવવો ગુંડાગર્દી છે. જ્યારથી સોનૂ નિગમે કહ્યું છે કે, લાઉડસ્પીકર પર અઝાનનાં કારણે તેમને પરેશાની થાય છે ત્યારથી આ મુદ્દા પર ચર્ચા શરુ થઇ ગઈ છે. આ મુદ્દા પર સતત બોલિવુડથી લઈને રાજનેતાઓ સુધીનાં નિવેદન સાંભળવા મળી રહ્યા છે.

સોનૂ નિગમે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી હતી કે, સવારે લાઉડસ્પીકરમાં મસ્જિદોમાં જે અઝાન થાય છે, તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પડે છે. તેની સાથે તેમણે મંદિરો અને ગુરુદ્ધારામાં પણ લાઉડસ્પીકરનો ઉપયોગ ખોટો જણાવ્યો છે અને આવી હરકતોને ખોટી જણાવવામાં આવી છે. ત્યારબાદ સોનૂ નિગમ પર સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે. બોલિવુડનાં ઘણા સ્ટાર્સે પણ તેમની ટીકા કરી છે.

The post જ્યારે કુમાર વિશ્વાસે Sonu Nigam ને કહ્યું, હવે કોઈ તમારો વાળ વાંકો નહિ કરી શકે…. appeared first on Vishva Gujarat.

Tubelight નું બીજું પોસ્ટર રિલીઝ, જોવા મળ્યો સલમાનનો દિલચસ્પ અંદાજ

$
0
0

Salman Khan is innocent in Second Poster of Tubelight

ગઈકાલે જ સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ Tubelight નું પોસ્ટ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટરને ઘણા લોકોએ પસંદ કર્યું છે. પરંતુ સલમાનનાં ફેંસ માટે એક બીજા ગુડ ન્યૂઝ છે. સલમાનની ફિલ્મ ટ્યુબલાઈટનું બીજું પોસ્ટર આજે રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં સલમાન વધારે માસૂમ નજર આવી રહ્યા છે. તેમનું આ લૂક જોયા પછી કોઈપણ આ ફિલ્મને જોવા માટે બેતાબ થઇ શકે છે. આ પોસ્ટરમાં સલમાન વાદળી રંગના ચેક શર્ટ અને ભૂરા રંગના સ્વેટરમાં નજર આવી રહ્યા છે. સલમાન પોસ્ટરમાં કોઈને સલામી કરતા નજર આવી રહ્યા છે. તેની સાથે બે બુટ્સ પણ તેમના ખભા પર લટકાવેલા નજર આવી રહ્યા છે. આ લૂકમાં સલમાન વધારે ક્યુટ નજર આવી રહ્યા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે હકીકતમાં આ ફિલ્મ વધારે શાનદાર હશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સલમાન ખાને આ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કર્યું હતું. ત્યારબાદ આ ફિલ્મના પ્રમોશનની સત્તાવાર શરૂઆત થઇ ગઈ છે. આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા સલમાને લખ્યું કે, શું તમને વિશ્વાસ છે અને ત્યારબાદ તેના પોસ્ટર પર ઈદનાં દિવસે રિલીઝ થશે ફિલ્મ તેનો સમય આપ્યો છે. સલમાનની ફિલ્મો છેલ્લા કેટલાક વર્ષથી ઈદ પર રિલીઝ થઇ રહી છે અને એક પછી એક કમાણીના રેકોર્ડ તોડી રહી છે. ફર્સ્ટ પોસ્ટરમાં સલમાન ખાન કોટ અને ટોપીમાં જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. ફિલ્મ 'ટ્યુબલાઈટ' ૧૯૬૨ માં ભારત અને ચીન યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ છે જેમાં એક ભારતીય યુવક અને ચીની યુવતીને પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મમાં ચીની અભિનેત્રી ઝૂ-ઝૂ નજર આવશે.

ફિલ્મની સ્ટોરી નીલેશ મિશ્રાએ લખી છે જ્યારે કબીર ખાન ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મના ડિરેક્ટર છે કબીર ખાન જેમની સાથે સલમાન 'એક થા ટાઈગર' અને 'બજરંગી ભાઈજાન' જેવી સુપરહીટ ફિલ્મો કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

The post Tubelight નું બીજું પોસ્ટર રિલીઝ, જોવા મળ્યો સલમાનનો દિલચસ્પ અંદાજ appeared first on Vishva Gujarat.

જુઓ… Karisma Kapoor નાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

$
0
0

Karisma Kapoor’s ex-husband Sunjay Kapur and Priya Sachdev’s wedding reception

Karisma Kapoor નાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

થોડા દિવસ પહેલા જ બોલિવુડ એક્ટ્રેસ Karisma Kapoor નાં પૂર્વ પતિ અને બિઝનેશમેન સંજય કપૂરે તેની ગર્લફ્રેન્ડ પ્રિયા સચદેવ સાથે મેરેજ કર્યા હતા. ત્યારબાદ ગઈકાલે ન્યૂયોર્કમાં તેમનું ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.

કરિશ્મા કપૂરનાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

આ રિસેપ્શન પાર્ટીમાં તેમની ફેમિલીના લોકો અને કેટલાક નજીક સંબંધી સામેલ થયા હતા. તમને જણાવી દઈએ કે, સંજય કપૂરનાં આ ત્રીજા મેરેજ છે. તો બીજી તરફ, પ્રિયા સચદેવનાં બીજા મેરેજ છે. પ્રિયાના મેરેજ તેની પહેલા હોટલ બિઝનેશમેન વિક્રમ ચટવાલ સાથે થયા હતા.

કરિશ્મા કપૂરનાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

કરિશ્મા કપૂર અને સંજય કપૂર ગયા વર્ષે અલગ થયા હતા. સંજય અને તેમનો પરિવાર ઈચ્છતો નથી કે, સંજય અને પ્રિયાનાં મેરેજની ચર્ચા થાય. આ કારણે તેમના મેરેજનો અત્યારે કોઈ ફોટો સામે આવ્યો નથી. તેનું કારણ એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, કરિશ્મા સાથે તલાક થયા પછી સંજય કપૂર પોતાની લાઈફને ફરીથી લાઇમલાઇટમાં લાવવા માંગતા નથી.

કરિશ્મા કપૂરનાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

તમને જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન ૨૦૦૩ માં થયા હતા. પરંતુ બહુ જલ્દી બંને વચ્ચેના સબંધો ખરાબ થવા લાગ્યા. દિલ્હી હાઈકોર્ટે બંનેને સેટલમેન્ટની સલાહ પણ આપી હતી. ૨૦૧૦ માં કરિશ્મા સંજયનું ઘર છોડીને મુંબઈમાં સેટલ થઇ ગઈ હતી.

કરિશ્મા કપૂરનાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

૨૦૧૪માં બંનેએ પોતાના ૧૨ વર્ષ લાંબા સબંધને ખતમ કરવાનો નિર્ણય લીધો અને તલાકની અરજી દાખલ કરી હતી. સંજય કપૂરે કરિશ્મા પર પૈસા માટે તેમના બાળકોને પ્યાદાની જેમ યુઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંજયનું પણ કહેવું છે કે, કરિશ્માએ બાળકોને તેમના બીમાર માતા-પિતાને મળવાથી પણ રોક્યા હતા.

કરિશ્મા કપૂરનાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ગયા વર્ષે જૂનમાં બિઝનેસમેન સંજય કપૂરથી તલાક લીધા હતા. બંને તેમની લાઈફમાં આગળ વધી ગયા છે. એક તરફ જ્યાં, કરિશ્મા કપૂર બિઝનેશમેન સંદીપ તોશનીવાલની સાથે ઘણીવાર નજર આવી ચૂકી છે તો બીજી તરફ સંજયનું નામ પણ પ્રિયા સચદેવની સાથે જોડાયું છે.

કરિશ્મા કપૂરનાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી

The post જુઓ… Karisma Kapoor નાં એક્સ પતિ સંજય કપૂર અને પ્રિયા સચદેવની ગ્રાંડ રિસેપ્શન પાર્ટી appeared first on Vishva Gujarat.

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે Harbhajan Singh નો જાદૂ

$
0
0

Harbhajan Singh posing with his wife Geeta & Baby Hinaya123

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે Harbhajan Singh નો જાદૂ

સ્ટાર પ્લસનો ફેમસ રિયાલીટી શો નચ બલિએ ૮ માં હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરાની જોડી ધમાલ મચાવવા માટે તૈયાર છે. જો કે, આ ફક્ત એક ગેસ્ટ પરફોર્મન્સ હશે. 

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

તેની પહેલા શોમાં યુવરાજ સિંહ અને હેઝલ કિચની ચર્ચા હતી પરંતુ હેઝલે પોતાનાં એક નિવેદનમાં આ ખબરોનું ખંડન કર્યું હતું. બધા જાણે છે કે, ગીતા બસરા એક સારી ડાંસર છે પરંતુ હરભજન સિંહ પણ કોઈનાથી કમ નથી. તે ‘એક ખેલાડી એક હસીના’ નામના ડાંસ શોના વિજેતા રહી ચૂક્યા છે.

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

તેમાં હરભજન સિંહની સાથે મોના સિંહ પણ નજર આવી હતી. હવે દર્શકો રીયલ લાઈફની આ જોડીને મોટા પડદા પર જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

તમને જણાવી દઈએ કે, નચ બલિએની આ સીઝનમાં ટીવીની ફેમસ જોડીઓને પહેલા જ ચેનલ અને શો ના મેકર્સે સાઈન કરી લીધા છે. નચ બલિએ સીઝન ૮ માં દિવ્યાંકા ત્રિપાઠી – વિવેક દહિયા, ભારતી સિંહ – હર્ષ, ભોજપુરી એક્ટ્રેસ મોનાલીસા -વિક્રાંત સિંહ રાજપૂત, દીપિકા કક્ક્ડ-શોએબ ઈબ્રાહીમ સામેલ છે. તો બીજી તરફ, સોનાક્ષી સિન્હા, ફિલ્મમેકર મોહિત સૂરી અને ડાંસર કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ શો નાં જજ છે. આગળ જુઓ વધુ ફોટા....

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે હરભજન સિંહનો જાદૂ

The post ક્રિકેટ પછી હવે ડાંસનાં મંચ પર ચાલશે Harbhajan Singh નો જાદૂ appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images