કલર્સનો શો 'Naagin 2' લોકોની વચ્ચે વધારે ફેમસ છે અને ટીઆરપીની રેસમાં આ શો દરેક વખતે આગળ રહે છે. પરંતુ નાગિનના ફેંસમાં માટે એક બેડ ન્યૂઝ છે કે, 'Naagin 2' બહુ જલ્દી બંધ થવાની છે. નાગિનની પોપ્યુલારિટી જોઈ શો મેકર્સ તેની ત્રીજી સીઝન લાવવાનાં છે. તે પણ ઘણા ટ્વીસ્ટ સાથે. સીરીયલ નાગિનની ત્રીજી સીઝન ફેંસને દિવાળીના અવસર પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, ટીવીની ફેમસ એક્ટ્રેસ પૂનમ નરુલા ગોયલ નાગિનની ત્રીજી સીઝનથી કમબેક કરી રહી છે. તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ પૂનમ નરુલા આ પહેલા કોમેડી શો 'શરારત' માં જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે, એકતા કપૂર 'નાગિન' ની ત્રીજી સીઝન સાથે નવેમ્બરમાં પરત આવશે. પરંતુ આ વખતે મૌની રોય શોનો ભાગ બનશે નહિ. એકતા કપૂર 'નાગિન' નાં લીડ રોલ માટે નવો ચહેરો શોધી રહી છે. સિરીયલ નાગિનમાં અત્યારે શિવાંગી તેના દુશ્મનો સાથે બદલો લઇ રહી છે. તેણે અવંતિકા, નિધિ, સુશાંતને મારી નાખ્યા છે અને હવે બહુ જલ્દી તે તેના પેરેન્ટ્સનાં બધા ગુનેગારોને મારી નાખશે. તો હવે જોવું રહ્યું કે, શિવન્યા અને શિવાંગી બંનેનાં બદલાની સ્ટોરી પૂરી થઇ ગયા પછી ત્રીજી સીઝનની સ્ટોરી લાઈન શું હશે.
પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.
The post હવે નહિ ચાલે Naagin નો જાદુ, બદલાઈ ગઈ શોની આખી ટીમ! appeared first on Vishva Gujarat.