Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

હવે નહિ ચાલે Naagin નો જાદુ, બદલાઈ ગઈ શોની આખી ટીમ!

0
0

Poonam Narula Goel to enter as new Vamp in Naagin 3

કલર્સનો શો 'Naagin 2' લોકોની વચ્ચે વધારે ફેમસ છે અને ટીઆરપીની રેસમાં આ શો દરેક વખતે આગળ રહે છે. પરંતુ નાગિનના ફેંસમાં માટે એક બેડ ન્યૂઝ છે કે, 'Naagin 2' બહુ જલ્દી બંધ થવાની છે. નાગિનની પોપ્યુલારિટી જોઈ શો મેકર્સ તેની ત્રીજી સીઝન લાવવાનાં છે. તે પણ ઘણા ટ્વીસ્ટ સાથે. સીરીયલ નાગિનની ત્રીજી સીઝન ફેંસને દિવાળીના અવસર પર જોવા મળશે. પ્રાપ્ત માહિતી મુજબ, ટીવીની ફેમસ એક્ટ્રેસ પૂનમ નરુલા ગોયલ નાગિનની ત્રીજી સીઝનથી કમબેક કરી રહી છે. તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસ પૂનમ નરુલા આ પહેલા કોમેડી શો 'શરારત' માં જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે, એકતા કપૂર 'નાગિન' ની ત્રીજી સીઝન સાથે નવેમ્બરમાં પરત આવશે. પરંતુ આ વખતે મૌની રોય શોનો ભાગ બનશે નહિ. એકતા કપૂર 'નાગિન' નાં લીડ રોલ માટે નવો ચહેરો શોધી રહી છે. સિરીયલ નાગિનમાં અત્યારે શિવાંગી તેના દુશ્મનો સાથે બદલો લઇ રહી છે. તેણે અવંતિકા, નિધિ, સુશાંતને મારી નાખ્યા છે અને હવે બહુ જલ્દી તે તેના પેરેન્ટ્સનાં બધા ગુનેગારોને મારી નાખશે. તો હવે જોવું રહ્યું કે, શિવન્યા અને શિવાંગી બંનેનાં બદલાની સ્ટોરી પૂરી થઇ ગયા પછી ત્રીજી સીઝનની સ્ટોરી લાઈન શું હશે.

પ્રોડ્યુસર એકતા કપૂરનાં શો 'નાગિન' માં મૌની મુખ્ય ભૂમિકા કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા મૌની 'દેવો કે દેવ મહાદેવ' માં સીતાનો રોલ નિભાવી ચુકી છે. આ સિવાય તે 'ક્યુકી સાસ ભી કભી બહુ થી', 'કસ્તુરી', 'જૂનુન : એસી નફરત તો કેસા ઈશ્ક' સહીત અન્ય સીરીયલમાં પણ અભિનય કરી ચુકી છે.

The post હવે નહિ ચાલે Naagin નો જાદુ, બદલાઈ ગઈ શોની આખી ટીમ! appeared first on Vishva Gujarat.


ઘરમાં કન્સ્ટ્રકશન માટે Rishi Kapoor એ કાપ્યા ૬ ઝાડ, BMC એ મોકલી નોટીસ

0
0

Rishi Kapoor

ફિલ્મ અભિનેતા Rishi Kapoor એકવાર ફરીથી વિવાદોમાં આવી ગયા છે અને આ વખતે તેમનું વિવાદમાં આવવાનું કારણ બીએમસી દ્ધારા મોકલવામાં આવેલ નોટીસ છે. વાત જાણે એમ છે કે, રિશી કપૂરને બીએમસી તરફથી નોટીસ મોકલવામાં આવી છે અને તેનું કારણ છે તેમના ઘરની બહાર આવેલ વૃક્ષો કાપવામાં આવ્યા છે. રિશી કપૂર મુંબઈનાં બાંદ્રાનાં પાલી હિલ સ્થિત કૃષ્ણારાજ બંગલામાં રહે છે અને તેમને તેમના ઘરમાં કન્સ્ટ્રકશન કામ કરાવવાનું હતું જેના કારણે તેમને ઘરની બહારનાં વૃક્ષો કાપવા પડ્યા હતા.

જો કે, વૃક્ષોની કાપણી માટે બકાયદા બીએમસી પાસેથી મંજૂરી પણ લેવામાં આવી હતી. પરંતુ રિશી કપૂરે પણ બીએમસીનાં નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. જે ૬ વૃક્ષોની ડાળીઓ કાપવાની હતી તેને સીધા કાપી દેવામાં આવ્યા હતા. રિશી કપૂરને મોકલવામાં આવેલ નોટીસમાં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેમને ૬ વૃક્ષોની છટણીની પરવાનગી આપવામાં હતી પરંતુ તેમના કોન્ટ્રાકટર દ્ધારા ફક્ત વૃક્ષોની શાખાઓને સંપૂર્ણ કાપી દેવામાં આવી છે આ સિવાય ૬ કરતા વધુ શાખાઓ કાપી દેવામાં આવી છે. જો કે, મહારાષ્ટ્ર પ્રોટેકશન એન્ડ પ્રિવેંશન ઓફ ટ્રી એક્ટ હેઠળ ખોટું છે અને તેની પર કાર્યવાહી કરવામાં આવશે.

રિશી કપૂરને બુધવારે નોટીસ મોકલવામાં આવી છે અને અત્યારે રિશી કપૂરની તરફથી આ કેસમાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી. બીએમસીએ તેમને ૨૪ કલાકનો સમય આપ્યો છે ત્યારબાદ જોવું રહ્યું કે, આ કેસમાં શું વળાંક આવે છે.

The post ઘરમાં કન્સ્ટ્રકશન માટે Rishi Kapoor એ કાપ્યા ૬ ઝાડ, BMC એ મોકલી નોટીસ appeared first on Vishva Gujarat.

બોક્સ ઓફિસ પર ટકરાશે Akshay kumar અને શાહરૂખ ખાન!

0
0

Akshay kumar

Akshay kumar ની ફિલ્મ 'ટોઈલેટ એક પ્રેમ કથા' ની રીલીઝ ડેટ પોસ્ટપોંડ થઇ ગઈ છે. આ ફિલ્મ હવે ૧૧ ઓગસ્ટે રીલીઝ થશે.પહેલા આ ફિલ્મ ૨ જૂને રીલીઝ થવાની હતી. ૧૧ ઓગસ્ટે જ ઈમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મ માટે બોક્સ ઓફિસ બુક કરાવ્યું છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા છે. તો બીજી તરફ, હવે ઓગસ્ટમાં Akshay kumar અને શાહરૂખ ખાન વચ્ચે બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટક્કર થશે.

જો કે, ઈમ્તિયાઝ અલીએ આ ફિલ્મનું ટાઈટલ હજુ જારી કર્યું નથી. જ્યારે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ભૂમિ પેડનેકર પણ નજર આવશે. આ ફિલ્મ એક સામાજીક મુદ્દા પર બનેલી ફિલ્મ છે. તો હવે જોવું રહ્યું કે, શું ઈમ્તિયાઝ અલી તેમની ફિલ્મની રીલીઝ ડેટ બદલશે કે બોક્સ ઓફીસ પર જબરદસ્ત ટક્કર આપશે.

અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ એક તરફ વડાપ્રધાનના 'સ્વચ્છ ભારત' અભિયાનને સમર્થન કરે છે તો બીજી તરફ, સ્વચ્છતાનું ધ્યાન ના રાખનાર માટે વ્યંગ કટાક્ષ દર્શકોને હસાવે છે. ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર અક્ષય કુમાર આજકાલ ઘણા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. અક્ષયના ફેંસને તે જાણી વધારે ખુશી થશે કે, તે એક અન્ય ફિલ્મમાં કામ કરવાના છે. ટોયલેટ-એક પ્રેમ કથા, પેડ મેન અને ગોલ્ડ સિવાય અક્ષય કુમાર ફિલ્મ મોગુલમાં કામ કરવાના છે. આ ફિલ્મ ગુલશન કુમારના જીવન પર આધારિત હશે.

The post બોક્સ ઓફિસ પર ટકરાશે Akshay kumar અને શાહરૂખ ખાન! appeared first on Vishva Gujarat.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર Neha Bhasin નો બોલ્ડ અવતાર

0
0

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર Neha Bhasin નો બોલ્ડ અવતાર

પ્લેબેક સિંગર Neha Bhasin ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. નેહા ભસીને ફરીથી પોતાના ઇન્સ્ટાગ્રામ પર પર ટેટુઝ વાળી તસ્વીરો શેર કરી છે. તો આવો જોઈએ તેમની તસ્વીરો...

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ફિલ્મ સુલતાનમાં જગ ઘુમિયા તેરે જૈસા ના કોઈ ગીત ગાવા માટે ફિલ્મફેયર ૨૦૧૭ ની બેસ્ટ સિંગર એવોર્ડ જીતનાર સિંગર Neha Bhasin એ આ શૂટની તસ્વીર પોસ્ટ કરી છે જે તેમને ડીલેટ કરી દીધી હતી.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

તસ્વીરોની સાથે તેમને પોસ્ટમાં લખ્યું છે કે, દરરોજ લોકો રોજિંદા જીવનને કેટલીક શરતોની સાથે જીવતા હોય છે આ શરતો સાથે આપણે બંધાયેલા છીએ. તે આગળ જણાવે છે કે, તેમને સ્ત્રી શરીરથી થનારી નૈતિકતાની ચર્ચામાં પડવાનો છોડી દીધું છે.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

તે લખે છે કે, તેમને તેના પર ચર્ચા છોડી દીધી છે છોકરીઓ પોતાની જાતને કેવી રીતે કેટલી છુપાવે છે. આગળ જણાવે છે કે, તે પોતાના વિવેકના આધાર પર કામ કરે છે અને તેમને પોતાના શરીરને એક-એક ઇંચ પર ગર્વ છે.

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

તેમને જણાવ્યું છે કે, તે યુવાન છે, સુંદર છે પરંતુ આ બધાથી ઉપર તે જીવંત છે. તે જણાવે છે કે, આ જિંદગીને ભરપુર આનંદથી જીવશે. તેમને વધુ જણાવ્યું કે, જો કોઈના જીવન જીવવા માટે પ્રેમનો અભાવ છે તો તે પોતાની જાતને પ્રેમ કરવા માટે સક્ષમ નથી. નેહા પોતાના જીવનને આવી રીતે જીવવાનું વચન આપે છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર નેહા ભસીનનો બોલ્ડ અવતાર

The post ફરીથી જોવા મળ્યો ઇન્સ્ટાગ્રામ પર Neha Bhasin નો બોલ્ડ અવતાર appeared first on Vishva Gujarat.

“Tarak Maheta Ka Ulta Chasma”નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ના Unseen Photos !

0
0

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બઘાની ગર્લફ્રેન્ડ બાવરી ઉર્ફે મોનિકા બદોરીયાની એંટ્રી લોકોને હસાવવા પર મજબુર કરી દે છે કારણ કે, બાવરીનો રોલ પણ તેમનાં અંદાજની જેમ જ એકદમ ખુશમિજાજ છે પરંતુ, જયારે વાત કરીએ રીયલ લાઈફની તો તે ઘણી હોટ છે.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંમાં બાવરી કાનપુરિયાનો રોલ નિભાવે છે. જેનાથી તે ઘણી પોપ્યુલર થઇ છે. તેણે પહેલા પણ ઘણી સિરીયલ્સમાં કામ કરેલું છે. આ ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 'યે રીશ્તા કયા કહેલાતા હૈ', 'સજદા' તેરે પ્યાર મેં' જે ઘણા હીટ ટીવી શો છે. જણાવી દઈએ કે મોનિકાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ રીટર્નસમાં પણ કામ કર્યું છે. આગળ જુઓ વધુ ફોટા....

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 3

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 5.

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 6

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 7

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 10

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 11

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 12

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

monika 13

Unseen Pics Of Tarak Maheta Ka Ulta Chasma's Bawari

Monika bhadoriya

 

The post “Tarak Maheta Ka Ulta Chasma” નાં બાઘાની ગર્લફ્રેન્ડ ‘બાવરી’ ના Unseen Photos ! appeared first on Vishva Gujarat.

Movie Review: સારા વિષય પર નબળી સ્ટોરી છે ફિલ્મ Noor

0
0

Sonakshi Sinha Starrer Noor Movie Review

વર્ષ ૨૦૧૪ માં પાકિસ્તાની પત્રકાર-રાઈટર સબા સૈયદે 'કરાચી યુ આર કિલિંગ મી' નામની નોવેલ લખી જે બેસ્ટ સેલરનાં રૂપમાં બધાની સામે લાવવામાં આવી છે. નોવેલમાં ૨૦ વર્ષની પત્રકાર આયશાની સ્ટોરી હતી જેને Noor ફિલ્મ દ્ધારા સામે લાવવામાં આવી છે. તો આવો જાણીએ ફિલ્મ Noor નાં રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી મુંબઈની રહેવાસી ૨૮ વર્ષની પત્રકાર નૂર રોય ચૌધરી (સોનાક્ષી સિન્હા) ની છે, જે તેના પિતાની સાથે રહે છે. નૂરની માતાનું બાળપણમાં જ મૃત્યુ થઇ ગયું હોય છે. નૂરનાં જીવનમાં તેના બે ફ્રેન્ડ જારા પટેલ (શિબાની દાંડેકર) અને સાદ સહેગલ (કનન ગિલ) વધારે મહત્વ રાખે છે. નૂર હંમેશા વાસ્તવિક મુદ્દા પર આધારિત સ્ટોરી કરવા માંગે છે પરંતુ તેનો બોસ શેખર દાસ (મનીષ ચૌધરી) હંમેશા તેને એન્ટરટેનમેન્ટ સ્ટોરી કરવા માટે કહે છે. તે દરમિયાન નૂરને એક એવી ગેંગની સ્ટોરી ખબર પડે છે જે બહુ મોટું રેકેટ ચલાવે છે અને તેમાં શહેરનાં મોટા-મોટા લોકો પણ સામેલ છે. નૂર આ સ્ટોરી કરે પણ છે પરંતુ તેની સ્ટોરી ચોરાઈ જાય છે. તે દરમિયાન ફિલ્મની સ્ટોરીમાં યાન બેનર્જી (પૂરબ કોહલી) ની એન્ટ્રી થાય છે. ત્યારબાદ ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વિસ્ટ આવે છે. તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મમાં સોનાક્ષી સિન્હાની એક્ટિંગ શ્રેષ્ઠ છે. તો બીજી તરફ ફિલ્મના અન્ય કલાકારોની એક્ટિંગ પણ સહજ છે. ફિલ્મની સ્ટોરી વધારે રસપ્રદ છે અને સંવાદ પણ ઘણા સારા છે. ફિલ્મનો ફર્સ્ટ અને લાસ્ટ સીન તમને વિચારવા પર વિવશ કરી દે છે. ફિલ્મનું સંગીત ઠીક છે પરંતુ 'ગુલાબી આંખે' સોંગ હીટ છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે સોનાક્ષી સિન્હાનાં ફેન છો તો આ ફિલ્મ તમને ચોક્કસ ગમશે અને આ ફિલ્મમાં તમને સોનાક્ષીનું એક અલગ લૂક જોવા મળશે.

The post Movie Review: સારા વિષય પર નબળી સ્ટોરી છે ફિલ્મ Noor appeared first on Vishva Gujarat.

Baahubali 2: આખરે કેમ ‘કટપ્પા’થી નારાજ છે કર્ણાટક?

0
0

Baahubali 2 ban in Karnataka Unfair to target the film over Sathyaraj's comments

ફિલ્મ 'Baahubali' ની સફળતાનાં પૂરા 2 વર્ષ પછી ડિરેક્ટર રાજામૌલીની 'Baahubali 2' કટપ્પાએ બાહુબલી કેમ માર્યો..' તે રાઝ ખોલવા માટે તૈયાર છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ બાહુબલી 2 વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યરાજનાં ૧ વર્ષ જૂના નિવેદન પર વિવાદ શરુ થઇ ગયો છે જેના કારણે ફિલ્મનો કર્ણાટકમાં વિરોધ થઇ રહ્યો છે. પરંતુ હવે ફિલ્મના ડિરેકટર રાજામૌલીએ આ વિવાદથી પોતાને અને ફિલ્મને અલગ કરી લીધા છે.

ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજામૌલીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કરી લોકોને અપીલ કરી છે કે, જો તમે કોઈ મુદ્દાને લઈને નારાજ છો તો હું તે વસ્તુ સ્પષ્ટ કરવા માંગુ છે. જે વાતથી તમને દુઃખ થયું છે તેનો ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. તે તેમની વ્યક્તિગત રાય હતી જે તેમણે 9 વર્ષ પહેલા બોલી હતી. રાજામૌલીએ કહ્યું કે, સત્યરાજ નાં તો આ ફિલ્મનાં નિર્દેશક છે અને નાં નિર્માતા. આ કારણે જો ફિલ્મનું પ્રદર્શન રોકવામાં આવશે તો તેમની પર કોઈ અસર પડશે નહિ. આ કારણે તેમના નિવેદનના લીધે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવી ઠીક નથી.

વાત જાણે એમ છે કે,૨૦૦૦ કન્નડ સંગઠને નક્કી કરી લીધું છે કે, તે બાહુબલીને કર્ણાટકમાં રિલીઝ થવા દેશે નહિ. કન્નડ સંગઠનોનાં ગુસ્સાનું કારણ છે ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યરાજ. કન્નડ સંગઠનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર વતલ નાગરાજે સત્યરાજ પર આરોપ લગાવ્યો છે કે, તે કાવેરી જળ વિવાદના સમય સભ્યતાની બધી મર્યાદાઓ ઓળંગી ગયા હતા. તેમણે કર્ણાટક અને અહીંના રહેવાસીઓ વિરુદ્ધ મૂર્ખતાભરી વાત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, એક ઇન્ટરવ્યૂમાં વતલે કહ્યું કે, અમે કર્ણાટકનાં એકપણ થિયેટરમાં આ ફિલ્મ રિલીઝ થવા દઈશું નહિ. અમે ફિલ્મનો વિરોધ નથી કરતા પરંતુ તેમાં કટપ્પાનો રોલ પ્લે કરનાર એક્ટર સત્યરાજનો વિરોધ કરીએ છીએ. વતલનો દાવો છે કે, જ્યારે ફિલ્મ 'બાહુબલી: ધ બિગનિંગ' ૭ એપ્રિલે ફરીથી રિલીઝ કરવામાં આવી તો કાર્યકરોએ સિનેમાઘરોનાં માલિકોને આગ્રહ કર્યો હતો કે, તે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવે અને તેમણે તે માંગણી સ્વીકારી પણ હતી.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

The post Baahubali 2: આખરે કેમ ‘કટપ્પા’ થી નારાજ છે કર્ણાટક? appeared first on Vishva Gujarat.

Rajkummar Rao નો આ લૂક જોઈ દંગ રહી જશો તમે!

0
0

Bollywood Actor Rajkummar Rao plays 324-year-old in Raabta

કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂતની અપકમિંગ ફિલ્મ 'રાબ્તા' માં દિગ્ગજ અભિનેતા Rajkummar Rao એકદમ અલગ જ લૂકમાં નજર આવશે. Rajkummar Rao નું આ લૂક જોઈ બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અપકમિંગ ફિલ્મ 'રાબ્તા' માં રાજકુમાર રાવ ૩૨૪ વર્ષના વૃધ્ધનાં રોલમાં નજર આવશે. રાજકુમાર રાવે ફિલ્મમાં પોતાના કિરદારનો લૂક ટ્વીટર પર શેર કર્યો છે જેને જોઈ તેમને ઓળખવો પણ મુશ્કેલ છે. ફિલ્મમાં રાજકુમાર ગેસ્ટ અપીયરેન્સમાં નજર આવશે.

તમને જણાવી દઈએ કે, અભિનેતા રાજકુમાર રાવનું આ લૂક સોશિયલ મીડિયા પર વધારે વાયરલ થઇ રહ્યું છે. જો વાત કરવામાં આવે તાજેતરમાં રિલીઝ થયેલ 'રાબ્તા' નાં ટ્રેલરની તો એક્શન-રોમાંશથી ભરપૂર આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની મોહબ્બતની સ્ટોરી એક જન્મમાં નહિ પરંતુ જન્મો-જન્મમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એવી છે જેમાં બે પીરીયડ બતાવવામાં આવશે. ટ્રેલર જોઈ એવું લાગે છે કે, બંને સમયમાં સુશાંત અને કૃતિ એક-બીજાને વધારે પ્રેમ કરે છે પરંતુ ફિલ્મમાં બંને વચ્ચે ખલનાયક બને છે જીમ સારભ.

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન તેની અપકમિંગ ફિલ્મ ‘રાબ્તા’માં જોરદાર એક્શન કરતી જોવા મળશે. દિનેશ વિજનનાં નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘રાબ્તા’માં કૃતિ સેનન સુશાંત સિંહ રાજપુતની સાથે રોમાંસ કરતા જોવા મળશે. અભિનેત્રી કૃતિ સેનને વર્ષ ૨૦૧૪ માં રિલીઝ થયેલ ફિલ્મ હિરોપંતીથી બોલિવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

The post Rajkummar Rao નો આ લૂક જોઈ દંગ રહી જશો તમે! appeared first on Vishva Gujarat.


અંતે ખબર પડી ગઈ કોનો પુત્ર છે Dhanush, જીતી લીધો કેસ

0
0

Dhanush

સાઉથ ઇન્ડસ્ટ્રીનાં ફેમસ એક્ટર અને બોલીવુડમાં ફિલ્મ 'રાંઝણા' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર Dhanush એ પેટરનિટી કેસ જીતી લીધો છે. તમને જણાવી દઈએ કે, એક દંપતિએ ધનુષને પોતાનો પુત્ર જણાવતા મદ્રાસ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેમણે Dhanush પાસેથી માસિક ભરણપોષણ પેટે રૂપિયા ૬૫૦૦૦ ની માંગણી કરી હતી. પરંતુ હવે કોર્ટે આ કેસમાં તે દંપતિનો દાવો ફગાવતા ધનુષનાં હકમાં નિર્ણય સંભળાવ્યો છે. આ કેસ ઉકેલવા માટે કોર્ટે ધનુષનો ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો. ત્યારબાદ ઘ્નુશના બર્થમાર્કનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો..

પ્રાપ્ત માહિતી મુજબ, દંપત્તિએ કોર્ટમાં અરજી દાખલ કરી દાવો કર્યો હતો કે, ધનુષ તેમનો ત્રીજો પુત્ર છે. સ્કુલનાં દિવસોમાં તે ભાગી ચેન્નાઈ આવી ગયો હતો. ત્યારથી આ દંપતિ ધનુષને શોધી રહ્યા છે. ત્યારબાદ ફિલ્મોમાં જોઈ તેમણે ધનુષને ઓળખી લીધો. જો કે, ધનુષ આ દંપત્તિનાં દાવાનો પહેલાથી ઇનકાર કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કેસ પર સુનવણી કરતા કોર્ટે ધનુષનો મેડીકલ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટને સોંપવામાં આવેલ મેડિકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અત્યારે ધનુષના ખભા પર કોઈ તલનું નિશાન નથી. ધનુષના મેડીકલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, એવું પણ થઇ શકે છે તેના ખભા પરના તલને દૂર કરી દેવામાં આવ્યો હોય. દંપતીએ એવી પણ દલીલ કરી હતી કે, અભિનેતા તરફથી દાખલ પ્રમાણપત્ર વાસ્તવિક નથી અને તેમાં તેના નામ અને પંજીકરણ સંખ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

The post અંતે ખબર પડી ગઈ કોનો પુત્ર છે Dhanush, જીતી લીધો કેસ appeared first on Vishva Gujarat.

Movie Review: માતાના જીવન સંઘર્ષને બખૂબી પ્રદર્શિત કરે છે ફિલ્મ Maatr

0
0

Actress Raveena Tandon Starrer Maatr Movie Review

અભિનેત્રી રવીના ટંડનની કારકિર્દીનો ગ્રાફ ઘણો મોટો છે અને લગભગ ૨૫ વર્ષોમાં રવીનાએ રોમેન્ટિક, કોમેડીથી લઈને ગંભીર મુદ્દા પર આધારિત ફિલ્મો કરી છે. રવીનાને ફિલ્મ દમન માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે અને હવે એકવાર ફરીથી રવીના ટંડન એક ગંભીર મુદ્દા પર આધારિત ફિલ્મ Maatr સાથે કમબેક કરી છે. તો આવો જાણીએ ફિલ્મ Maatr ના રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી દિલ્હીની છે. વિદ્યા ચૌહાણ (રવિના ટંડન) એક સ્કૂલ ટીચર છે, જે તેની પુત્રી ટિયા ચૌહાણ (અલીશા ખાન) નું વધારે ધ્યાન રાખે છે, વિદ્યા અને તેના પતિ રવિ (રુષાદ રાણા) ની વચ્ચે સારા સંબંધ નથી. બંને એક જ ઘરમાં રહે છે પરંતુ અલગ-અલગ રૂમમાં. એક રાત્રે ટિયાનાં એન્યુઅલ ફંકશન પછી જ્યારે વિદ્યા અને ટિયા કારમાં બેસી ઘર તરફ રવાના થઇ રહ્યા હતા ત્યારે મિનિસ્ટર ગોવર્ધન મલિક (શૈલેન્દ્ર ગોયલ) નો પુત્ર અપૂર્વ ગોયલ (મધુર મિત્તલ) પોતાના ચાર સાથીઓની સાથે તેમની ગાડીઓનો પીછો કરે છે અને માતા-પુત્રીનું કીડનેપ કરી ઘરે લઇ જાય છે. ત્યાં પાંચ યુવકો માતા-પુત્રીની સાથે દુષ્કર્મ કરે છે અને બંનેને નજીકના સૂમસામ વિસ્તારમાં ફેંકી દે છે.

પોલીસ આવે છે અને વિદ્યાને ટિયાને હોસ્પિટલ લઇ જાય છે. ત્યારબાદ થોડા મહિના પછી કેવી રીતે એક માતા આ પાંચ કુકર્મ કરનાર લોકો સાથે બદલો છે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મનું ડીરેક્શન, ડાયલોગ્સ કમાલનાં છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ વધારે દિલચસ્પ છે. જો કે, ફિલ્મની સ્ટોરી વધારે કમજોર છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક સારું છે.

ફિલ્મ જોવી કે નહિ?
આ ફિલ્મ એક મુદ્દા પર આધારિત છે, તો એકવાર આ ફિલ્મ જરૂર જોઈ શકો છો.

The post Movie Review: માતાના જીવન સંઘર્ષને બખૂબી પ્રદર્શિત કરે છે ફિલ્મ Maatr appeared first on Vishva Gujarat.

આર્મ્સ એક્ટ કેસ: Salman Khan ને કોર્ટમાં હાજર થવાનો આદેશ

0
0

Salman Khan

બોલિવુડ સ્ટાર Salman Khan ને ગેરકાનૂની હથિયાર કેસમાં સીજેએમ કોર્ટ દ્ધારા બરી કર્યા પછી રાજ્ય સરકાર તરફથી જીલ્લા અને સેશન કોર્ટમાં અપીલ રજૂ કરવામાં આવી છે. જીલ્લા અને સેશન ન્યાયાધીશ જોધપુર ગ્રામીણમાં આજે અપીલ પર સુનવણી શરુ થઇ અને Salman Khan ના અધિવક્તાને વીસ હજાર રૂપિયા બોન્ડ તરીકે રજૂ કરવાનો આદેશ આપ્યો છે. અપીલની સુનવણી દરમિયાન આજે સલામન ખાનને કોર્ટમાં રજૂ થવાનું હતું પરંતુ સલમાન ખાન કોર્ટ પહોચ્યા નહિ. સલમાનના અધિવક્તા આનંદ દેસાઈ અને હસ્તીમલ સારસ્વતે વકીલાતનામું રજૂ કરવા માટે કહ્યું છે. ડીજે ભગવાનદાસ અગ્રવાલે આગામી ૬ જુલાઈએ સલમાનને વ્યક્તિગત રૂપે રજૂ થવા માટે આદેશ આપ્યો છે તો બીજી તરફ, જમાનત બોન્ડ રજૂ કરવાના નિર્દેશ પણ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૧૯૯૮માં ૧-૨ ઓકટોબરની રાત્રે ૨ કાળા હરણનાં શિકાર સાથે જોડાયેલા કેસમાં સલમાન સિવાય બોલીવુડ સ્ટાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આરોપી છે. સલમાન અને અન્ય વિરુદ્ધ કુલ ચાર કેસ જોધપુર પોલીસે નોંધ્યા હતા. તેમાંથી ત્રણ કેસ કાળા હરણનાં શિકારના હતા જયારે એક મામલો સલમાન વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો હતો. જો કે, ૧૮ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલ ગેરકાનૂની હથિયાર રાખવાના કેસમાં જોધપુર કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા. ફિલ્મ હમ સાથ સાથ હે ના શૂટિંગ દરમિયાન આ કેસ સામે આવ્યો હતો. સલમાન પર આરોપ હતો કે, તેણે શૂટિંગ દરમિયાન બે કાળિયારનો શિકાર કર્યો હતો. જ્યારે તેમનો શિકાર કાનૂની રીતે પ્રતિબંધિત છે. સલમાન પર બીજો આરોપ હતો કે, તેમને કાળિયાર શિકારમાં જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું લાયસન્સ એક્સ્પાયર થઇ ગયું હતું.

The post આર્મ્સ એક્ટ કેસ: Salman Khan ને કોર્ટમાં હાજર થવાનો આદેશ appeared first on Vishva Gujarat.

કર્ણાટકમાં ‘Baahubali 2’નો વિરોધ, ‘કટપ્પા’એ માંગી માફી!

0
0

Baahubali 2 Sathyaraj apologises for anti-Kannada comments

ફિલ્મ 'Baahubali 2' ને લઈને કર્ણાટકમાં વિરોધ ચાલુ છે અને હવે આ કેસ વધારે ગંભીર થતો જોઈ અભિનેતા સત્યરાજે માફી માંગતા એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓ કર્ણાટકનાં લોકોની માફી માંગતા નજર આવી રહ્યા છે. ટ્વીટર પર આ વિડીયો એક્ટર રાજા સેકરે શેર કર્યો છે જેમાં સત્યરાજ પોતાના નિવેદન પર કર્ણાટકનાં લોકોની માફી માંગતા નજર આવી રહ્યા છે.

વાત જાણે એમ છે કે,૨૦૦૦ કન્નડ સંગઠને નક્કી કરી લીધું છે કે, તે બાહુબલીને કર્ણાટકમાં રિલીઝ થવા દેશે નહિ. કન્નડ સંગઠનોનાં ગુસ્સાનું કારણ છે ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યરાજ. કન્નડ સંગઠનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર વતલ નાગરાજે સત્યરાજ પર આરોપ લગાવ્યો છે કે, તે કાવેરી જળ વિવાદના સમય સભ્યતાની બધી મર્યાદાઓ ઓળંગી ગયા હતા. તેમણે કર્ણાટક અને અહીંના રહેવાસીઓ વિરુદ્ધ મૂર્ખતાભરી વાત કરી છે.

ફિલ્મ 'બાહુબલી' ની સફળતાનાં પૂરા 2 વર્ષ પછી ડિરેક્ટર રાજામૌલીની 'બાહુબલી 2' કટપ્પાએ બાહુબલી કેમ માર્યો..' તે રાઝ ખોલવા માટે તૈયાર છે. પરંતુ રિલીઝ પહેલા જ ફિલ્મ બાહુબલી 2 વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મમાં કટપ્પાનો રોલ પ્લે કરી રહેલ સત્યરાજનાં ૧ વર્ષ જૂના નિવેદન પર વિવાદ શરુ થઇ ગયો છે જેના કારણે ફિલ્મનો કર્ણાટકમાં વિરોધ થઇ રહ્યો છે. પરંતુ હવે ફિલ્મના ડિરેકટર રાજામૌલીએ આ વિવાદથી પોતાને અને ફિલ્મને અલગ કરી લીધા છે.

ફિલ્મના ડિરેક્ટર એસ એસ રાજામૌલીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર એક વિડીયો પોસ્ટ કરી લોકોને અપીલ કરી છે કે, જો તમે કોઈ મુદ્દાને લઈને નારાજ છો તો હું તે વસ્તુ સ્પષ્ટ કરવા માંગુ છે. જે વાતથી તમને દુઃખ થયું છે તેનો ફિલ્મ સાથે કોઈ સંબંધ નથી. તે તેમની વ્યક્તિગત રાય હતી જે તેમણે 9 વર્ષ પહેલા બોલી હતી. રાજામૌલીએ કહ્યું કે, સત્યરાજ નાં તો આ ફિલ્મનાં નિર્દેશક છે અને નાં નિર્માતા. આ કારણે જો ફિલ્મનું પ્રદર્શન રોકવામાં આવશે તો તેમની પર કોઈ અસર પડશે નહિ. આ કારણે તેમના નિવેદનના લીધે ફિલ્મ

The post કર્ણાટકમાં ‘Baahubali 2’ નો વિરોધ, ‘કટપ્પા’ એ માંગી માફી! appeared first on Vishva Gujarat.

એકવાર ફરીથી રેકોર્ડ બનાવશે Salman Khan, પાંચમી વાર એક વર્ષમાં આપશે બે હીટ ફિલ્મ

0
0

Salman Khan

દબંગ પછી બોક્સ ઓફિસ પર Salman Khan ના દમદાર પ્રદર્શનને લઈને ઘણુબધું કહેવામાં આવ્યું છે. એવી ચર્ચા હંમેશા થતી રહે છે કે, સુપરસ્ટાર Salman Khan સતત બોક્સ ઓફીસ પર હીટ ફિલ્મો આપી રહ્યા છે. સલમાનની ફિલ્મોનાં અલગ-અલગ રેકોર્ડ્સ સિવાય તેમનો એક અન્ય રેકોર્ડ છે. ૨૫ વર્ષની કારકિર્દીમા સલમાને અત્યાર સુધી ચાર વખત એક વર્ષમાં બે હિટ ફિલ્મો આપી ચુક્યા છે.

એક તરફ જ્યાં શાહરૂખ ખાને તેની કારકિર્દીમા આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે તો બીજી તરફ આમિર ખાન આ મેજીક એકવાર કરી શક્યા છે. તેવામાં આ વર્ષે સલમાન એકવાર ફરીથી બે મોટી ફિલ્મોમાં નજર આવશે. એક છે ટ્યુબલાઈટ અને બીજી છે ટાઈગર જિન્દા હે. આ બંને ફિલ્મોને 'બાહુબલી: ધ કનક્લુજન' પછી બ્લોકબસ્ટર ફિલ્મો કહેવામાં આવે છે. જો બંને ફિલ્મો દર્મદાર પ્રદર્શન કરશે તો આ પાંચમી વખત હશે જ્યારે એક વર્ષમાં સલમાનની બે ફિલ્મો મોટી કમાણી કરનાર ફિલ્મ બની જશે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અત્યારે ખૂબ જ ડિમાંડમાં છે. સલમાનની ફિલ્મ 'સુલતાન' બ્લોકબસ્ટર સાબિત થઈ છે અને આગામી ફિલ્મ 'ટ્યુબલાઈટ' ની ચર્ચા અત્યારથી શરુ થઈ ગઈ છે. 'ટ્યુબલાઈટ' નું શૂટિંગ લેહ અને લદ્દાખની સુંદર વાદીઓમાં થયું છે. ફિલ્મમાં સલમાન એક સૈનિકના રોલમાં નજર આવશે. તો બીજી તરફ તેમની સાથે ફિલ્મમાં તેમના ભાઈ સોહેલ ખાન પણ મેઈન રોલમાં નજર આવશે.

સલમાન ખાને ફિલ્મ 'સુલતાન' માટે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ તેમણે કબીર ખાનની ફિલ્મ ટ્યુબલાઈટનું શૂટિંગ શરુ કરી દીધું હતું. આ ફિલ્મ માટે સલમાને તેમનુ વજન ઘટાડવાની અથવા વધારવાની જરૂરિયાત હતી નહિ. હવે ટ્યુબલાઈટનું શૂટિંગ પૂર્ણ થઇ ગયું છે અને સલમાન 'એક થા ટાઈગર' ની સિકવલ 'ટાઈગર જિંદા હે' નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મ માટે સલમાનને એક પરફેક્ટ બોડીની જરૂર છે અને તેના માટે તેમણે ૧૮ કિલો વજન ઘટાડ્યું છે.

The post એકવાર ફરીથી રેકોર્ડ બનાવશે Salman Khan, પાંચમી વાર એક વર્ષમાં આપશે બે હીટ ફિલ્મ appeared first on Vishva Gujarat.

અભિનેત્રી Rhea Chakraborty એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસ્વીરો

0
0

અભિનેત્રી Rhea Chakraborty ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી રિયા ચક્રવર્તીની એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફોટો પોતે Rhea Chakraborty એ સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે બોલ્ડ દેખાઈ રહી છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રિયા ચક્રવર્તી ફિલ્મ ‘મેરે ડેડ કી મારૂતિ’ થી પોપ્યુલર થઈ હતી.

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

જો તમે ધ્યાનથી જોશો તો આ ફોટોસમાં રિયા ટોપલેસ દેખાઈ રહી છે. તેમણે માત્ર Dangri Jeans પહેર્યું છે.

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રિયા ચક્રવર્તી ૨૦૧૪ માં ‘સોનાલી કેબલ’ માં પણ જોવા મળી ચુકી છે અને હાલમાં, ‘હાફ ગર્લફ્રેન્ડ’ ની શુટિંગ કરી રહી છે, જે ૧૯ મે રિલીઝ થશે.

જુઓ આગળ વધુ ફોટોસ.....

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

અભિનેત્રી રિયા ચક્રવર્તીની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post અભિનેત્રી Rhea Chakraborty એ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસ્વીરો appeared first on Vishva Gujarat.

સૈફ અલી ખાન બનશે મામા, બહેન Soha Ali Khan છે પ્રેગનન્ટ

0
0

Soha Ali Khan is pregnant, confirms husband Kunal Khemu

સૈફ અલી ખાન બનશે મામા, બહેન Soha Ali Khan છે પ્રેગનન્ટ

બોલિવુડ એક્ટર કૃણાલ ખેમુએ તેની પત્ની અભિનેત્રી Soha Ali Khan ની પ્રેગ્નન્સીની ખબર આપી છે. કૃણાલે સોહાનાં પ્રેગ્નન્સીનાં ન્યૂઝ સાથે જોડાયેલ એક નિવેદનમાં કહ્યું કે, આ વાત સત્ય છે. તેમણે કહ્યું કે, સોહા અને મને આ વર્ષના અંતમાં આવી રહેલ એક જોઈન્ટ પ્રોડક્શનની ઘોષણા કરવામાં વધારે ખુશીનો અનુભવ થઇ રહ્યો છે, જો કે, આ અમારું પ્રથમ બાળક છે.

સૈફ અલી ખાન બનશે મામા, બહેન સોહા અલી ખાન છે પ્રેગનન્ટ

કૃણાલે કહ્યું કે, અમે પોતાને ભાગ્યશાળી અનુભવી રહ્યા છે અને તમારા બધાની શુભકામનાઓ માટે આભાર. સોહા અને કૃણાલે ૯૯ અને ઢુંઢતે રહ જાઓગે જેવી ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. સોહા અલી ખાન શર્મિલા ટેગોર અને મન્સૂર અલી ખાન પટૌડીની પુત્રી અને સૈફ અલી ખાનની બહેન છે. સોહાએ ૨૦૧૫ માં 33 વર્ષીય અભિનેતા કૃણાલ ખેમુ સાથે મેરેજ કર્યા હતા.

સૈફ અલી ખાન બનશે મામા, બહેન સોહા અલી ખાન છે પ્રેગનન્ટ

સોહા અલી ખાને ૨૦૦૪ માં આવેલ ફિલ્મ 'દિલ માંગે મોર' થી બોલિવુડમાં એન્ટ્રી કરી છે. આ સિવાય તેમણે રંગ દેબસંતી,ખોયા ખોયા ચાંદ,સાહેબ બીવી ઔર ગેંગસ્ટર, જેવી મોટી ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી છે. આગળ જુઓ વધુ ફોટા....

સૈફ અલી ખાન બનશે મામા, બહેન સોહા અલી ખાન છે પ્રેગનન્ટ

સૈફ અલી ખાન બનશે મામા, બહેન સોહા અલી ખાન છે પ્રેગનન્ટ

સૈફ અલી ખાન બનશે મામા, બહેન સોહા અલી ખાન છે પ્રેગનન્ટ

The post સૈફ અલી ખાન બનશે મામા, બહેન Soha Ali Khan છે પ્રેગનન્ટ appeared first on Vishva Gujarat.


દિવાળી પર રિલીઝ થશે નહિ Rajinikanth ની 2.0, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ

0
0

Rajinikanth-Akshay Kumar’s ‘2.0’ Has a New Release Date

સુપરસ્ટાર Rajinikanth અને અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ૨.૦ ની રિલીઝ ડેટ ટળી ગઈ છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની હતું પરંતુ હવે આ ફિલ્મ આગામી વર્ષે ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ પર અજય દેવગણની 'ગોલમાલ અગેન' અને આમિર ખાનની 'સિક્રેટ સુપરસ્ટાર' સાથે થવાની હતી. આ કારણે છેલ્લા ઘણા દિવસોથી ફિલ્મ ચર્ચામાં હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક વૈજ્ઞાનિકની ભૂમિકામાં જોવા મળશે. અક્ષયના રોલનું નામ રિચર્ડ હશે. અક્ષયે આ રોલ માટે પોતાનો લૂક એકદમ બદલી નાખ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રજનીકાંતની આગામી ફિલ્મ '2.0' નો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના પોસ્ટરને રજનીકાંત અને અક્ષય કુમારે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનો રોલ પ્લે કરતા નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મનો ફર્સ્ટ વિડીયો લૂક ૨૦ નવેમ્બરે મુંબઈમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૨૦૧૦ માં રિલીઝ થયેલ ફિલ્મ 'ઇન્થીરન' ની સિકવલ હશે. એસ.શંકર દ્ધારા નિર્દેશિત ફિલ્મ 2.૦ માં એમી જેક્સન,સુધાંશુ પાંડે અને આદિલ હુસૈન પણ મેઈન રોલમાં હશે.

The post દિવાળી પર રિલીઝ થશે નહિ Rajinikanth ની 2.0, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ appeared first on Vishva Gujarat.

Baahubali 2 ગ્રાંડ પ્રીમિયર માટે તૈયાર, જાણો સંપૂર્ણ વિગત

0
0

Baahubali

Baahubali 2 રિલીઝ થવામાં બસ હવે થોડા જ દિવસ બાકી છે અને તેવામાં ફિલ્મ Baahubali એક શાનદાર પ્રીમિયર માટે તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાનો દાવો છે કે, ૨૭ એપ્રિલે મુંબઈમાં આયોજિત થનાર આ ભવ્ય પ્રીમિયર આંતરરાષ્ટ્રીય પ્રીમિયરને ટક્કર આપતા નજર આવશે. આ ભવ્ય આયોજનમાં પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવવાની સંભાવના છે. તેની સાથે ટીમ બાહુબલી ભવિષ્યમાં ભારતીય પ્રીમિયર માટે તેને એક ઉદાહરણ બનાવવા માટે ઉત્સુક છે. ફિલ્મના પ્રીમિયર માટે એક શ્રેષ્ઠ રેડ કાર્પેટની યોજના બનાવવામાં આવી છે. ૨૭ એપ્રિલે તે રંગીન સાંજને ધ્યાનમાં રાખી આ ફિલ્મના સેટથી મોટા પ્રોજેક્ટ અને કલાકૃતિઓ પહેલાથી ખરીદી લેવામાં આવી છે જેથી આ સમારોહને વધારે આકર્ષિત બનાવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી.

The post Baahubali 2 ગ્રાંડ પ્રીમિયર માટે તૈયાર, જાણો સંપૂર્ણ વિગત appeared first on Vishva Gujarat.

હવે થશે કપિલ શર્માની છુટ્ટી, Sunil Grover નો માસ્ટર પ્લાન તૈયાર!

0
0

Sunil Grover making a comeback on TV with his own show

કોમેડિયન કપિલ શર્મા અને Sunil Grover ના વિવાદને એક મહિના કરતા પણ વધારે સમય થઇ ગયો છે, છતાં પણ આ વિવાદ બંધ થવાનું નામ લઇ રહ્યો નથી. એક તરફ Sunil Grover કપિલ શર્માના શોમાં પરત આવવા માંગતા નથી તો બીજી તરફ, એવી ખબર સામે આવી રહી છે કે સુનીલ ગ્રોવર પોતાનો એક નવો કોમેડી શો લાવી રહ્યા છે. આ શોમાં સુનીલની સાથે અલી અસગર અને ચંદન પ્રભાકર પણ હશે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે, કેટલાક ફેમસ કોમેડિયન્સ પણ આ શોમાં નજર આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, મેકર્સ સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મેકર્સની સામે અન્ય ચેનલ્સની પણ ઓફર્સ છે. સોની ટીવી પણ પોતે સુનીલ ગ્રોવરનાં શોમાં દિલચસ્પી બતાવી રહી છે.

સુનીલના શોમાં અલી અસગર અને ચંદન પ્રભાકર સિવાય સુગંધા મિશ્રા પણ કમબેક કરશે તેવી ખબર છે. સુગંધા મિશ્રા પણ કપિલના શોને અલવિદા કહી ચૂકી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સુનીલ ગ્રોવરનો શો પણ એક સેલિબ્રિટી શો હશે પરંતુ કપિલના શો કરતા એકદમ અલગ હશે. શો નું નામ સુનીલ ગ્રોવરનાં નામ પર રાખવામાં આવશે નહિ કારણકે સુનીલ એવું નથી ઇચ્છતા. આ શો જૂનમાં લોન્ચ થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની લડાઈથી બધા દુઃખી છે. તેમાં એક નામ રિશી કપૂરનું પણ છે. તમને જણાવી દઈએ કે ,રિશી કપૂર એક ખાસ એપિસોડમાં નીતુ કપૂરની સાથે આ શો પર આવ્યા હતા અને બંને અહીં ખૂબ એન્જોય કર્યું હતું. જો કે, પોતાની તરફથી પહેલ કરતા રિશી કપૂરે બંનેનું પેચઅપ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે એક ટ્વીટ કરી કે, IPL માં કપિલ શર્મા તો દેખાઈ રહ્યા છે પરંતુ તેમના જોડીદાર સુનીલ ગ્રોવર ક્યાં છે.

તો બીજી તરફ તેના ઉત્તરમાં સુનીલ ગ્રોવરે પણ થોડા સમય પછી ટ્વીટ કરી અને આ વખતે તેમનું દર્દ છલકી ઉઠ્યું. તેમણે લખ્યું કે, તે ઈજા થવાના કારણે રિટાયર થઇ ગયા છે અને પાછા ફિલ્ડ પર આવી શકશે નહિ. સુનીલ ગ્રોવરની આ વાતથી લાગે છે કે, કપિલ શર્માના વ્યવહારથી તે હજુ પણ દુઃખી છે. તેની સાથે તેમણે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે, કપિલ શર્મા સાથેના વિવાદ પછી તેઓ શોમાં પરત આવશે નહિ.

The post હવે થશે કપિલ શર્માની છુટ્ટી, Sunil Grover નો માસ્ટર પ્લાન તૈયાર! appeared first on Vishva Gujarat.

૪ મે એ લોન્ચ થશે Oppo F3, બાહુબલી સાથે કરી પાર્ટનરશિપ

0
0

Oppo F3 Launch in India on May 4 and Partnership with Bahubali

Oppo ભારતમાં ૪ મે નાં રોજ ડ્યુઅલ સેલ્ફી કેમરાવાળો સ્માર્ટફોન F3 લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપનીએ તેને લોન્ચ કરવા માટે બાહુબલી સાથે પાર્ટનરશિપ કરી છે. આ સ્માર્ટફોનનાં ફ્રંટમાં બે લેન્સ હશે- પહેલો વાઈડ એન્ગલ લેન્સ હશે. જે સેલ્ફી માટે હશે, જ્યારે બીજો લેન્સ વ્યક્તિગત ઈન્ડીવિઝ્યુઅલ સેલ્ફી માટે છે.

ઓપ્પોએ દાવો કર્યો છે કે, ઓપ્પો F3 માં શ્રેષ્ઠ યુઝર એક્સપીરીયન્સ માટે હાઈ એન્ડ પરફોર્મન્સ સાથે ઓપ્ટીમાઈઝ્ડ સોફ્ટવેર આપવામાં આવશે.

ઓપ્પોનાં ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ સ્કાઈ લી એ કહ્યું છે કે, 'યંગર જનરેશન પોતાની લાઈફને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને સોશલાઈઝ થઇ રહી છે. સેલ્ફી અને ગ્રુપ સેલ્ફી આ વાતને જ અલગ દર્શાવે છે. F3 આપણા તરફથી નવો સેલ્ફી કેમરો અને ગ્રુપ કેમરા ને વધારે નેચરલ, સુંદર અને સરળતાથી કેપ્ચર થવા લાયક બનાવશે.'

નોંધનીય છે કે, Oppo F3 Plus પહેલાથી જ લોન્ચ થઇ ચુક્યો છે, જેમાં પણ ૧૬ મેગાપિક્સેલ + ૮ મેગાપિક્સેલ ફ્રંટ કેમરા આપવામાં આવ્યો છે. જેની કિંમત ૩૦,૯૯૦ રૂપિયા છે.

ઓપ્પો F3 માં પણ ૧૬ મેગાપિક્સેલ અને ૮ મેગાપિક્સેલ ડ્યુઅલ સેલ્ફી કેમરા હોવાની સંભાવના છે. તે સિવાય રિયર કેમરો ૧૩ મેગાપિક્સેલ હોઈ શકે છે. જાહેર છે કે, આ હાઈ એન્ડ સ્માર્ટફોન છે. તો તેમાં 4GB રેમ સાથે 64GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. જેની બેટરી ૩,૨૦૦mAh હોવાની ખબર છે.

The post ૪ મે એ લોન્ચ થશે Oppo F3, બાહુબલી સાથે કરી પાર્ટનરશિપ appeared first on Vishva Gujarat.

સુનીલ ગ્રોવરની ગેરહાજરીએ Kapil Sharma શોના ૧૦૦ માં એપિસોડને ઝાંખો પાડ્યો

0
0

The Kapil Sharma Show

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલ વિવાદના કારણે The Kapil Sharma Show સતત ચર્ચામાં છે અને આ શોની ટીઆરપી પણ સતત ઘટી રહી છે. પરંતુ તે દરમિયાન 'The Kapil Sharma Show' નાં ફેંસ માટે એક ગુડ ન્યૂઝ છે. 

ધ કપિલ શર્મા શો

ગુડ ન્યૂઝ છે કે, આ શોએ ૧૦૦ એપિસોડ પૂર્ણ કરી દીધા છે. આ ખાસ અવસર પર કપિલ શર્માએ ટીમની સાથે સેલિબ્રેશન કર્યું પરંતુ સુનીલ ગ્રોવરની ગેરહાજરીનાં લીધે મહેફિલ ફિક્કી રહી હતી.

ધ કપિલ શર્મા શો

કપિલ શર્માએ તેમના શોના ૧૦૦ એપિસોડ પૂરા થવા પર એક ખાસ મહેમાનને શો પર બોલાવ્યા હતા. આ ખાસ અવસર પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઇનવાઈટ કરવામાં આવી હતી. આ ખાસ એપિસોડમાં સુમોના ચક્રવર્તી અને કીકુ શારદા પણ જોવા મળ્યા હતા.

ધ કપિલ શર્મા શો

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી પોતાના કોમેડી શોથી લોકોને હસાવનાર કોમેડી કિંગ કપિલ શર્મા મુશ્કેલીમાં આવી ગયા છે. 'ધ કપિલ શર્મા શો' માં કામ કરનાર કોમેડિયન સુનીલ ગ્રોવર અને કપિલની વચ્ચે હાથાપાઈ થઇ હતી અને નશામાં ધૂત કપિલ શર્માએ સુનીલ ગ્રોવરને ખરી-ખોટી સંભળાવી હતી.

ધ કપિલ શર્મા શો

 બંનેની વચ્ચે થયેલ આ વિવાદ પર કપિલ શર્માએ સ્પષ્ટતા કરી હતી. કપિલે એક ફેસબુક પોસ્ટ દ્ધારા તેમની વાત કહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ ટ્વીટર પર પણ કોમેડિયન સુનીલ ગ્રોવરની માફી માંગી હતી અને કહ્યું કે, પાજી તમે હર્ટ થયા હોઉં તો માફ કરજો. તમે જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છુ. આ ઘટનાથી હું પણ દુખી છુ. 

ધ કપિલ શર્મા શો

The post સુનીલ ગ્રોવરની ગેરહાજરીએ Kapil Sharma શોના ૧૦૦ માં એપિસોડને ઝાંખો પાડ્યો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images