Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

હાર્ટ અટેકના કારણે સલમાન ખાનના ફ્રેન્ડ અને એક્ટર Inder Kumar નું નિધન

$
0
0

Inder Kumar

બોલિવુડ એક્ટર Inder Kumar હવે આ દુનિયામાં રહ્યા નથી. સલમાન ખાન અને સની દેઓલ જેવા સ્ટાર્સ સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકેલ બોલિવુડ એક્ટર Inder Kumar ના નિધનના સમાચારથી બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, શુક્રવારે વહેલી સવારે ૨ વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું છે. ઇન્દર કુમાર અંધેરીમાં તેમના ઘરમાં બેહોશીની સ્થિતિમાં મળ્યા હતા. જ્યારે તેમને ડોક્ટરની પાસે લઇ જવામાં આવ્યા તો ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

ઇન્દરે બોલિવુડમાં લગભગ 20 ફિલ્મો કરી છે. સલમાન ખાનની સાથે 'તુમકો ના ભૂલ પાએંગે' અને 'વોન્ટેડ' જેવી ફિલ્મોમાં તેમણે યાદગાર રોલ પ્લે કર્યો છે. ઇન્દર અત્યારે તેમની અપકમિંગ ફિલ્મ 'ફટી પડી હે યાર' ના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મમાં તેમની સાથે કોમેડિયન સુનીલ પાલ પણ હાજર હતા. ઇન્દર પર થોડા સમય પહેલા રેપનો આરોપ પણ લાગ્યો હતો. ત્યારબાદ તે વધારે વિવાદમાં હતા. આજે એટલે કે, શુક્રવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ યારી રોડ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

The post હાર્ટ અટેકના કારણે સલમાન ખાનના ફ્રેન્ડ અને એક્ટર Inder Kumar નું નિધન appeared first on Vishva Gujarat.


તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ…

$
0
0

Bollywood

તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ...

arjun-kapoor

બોલિવુડ સ્ટાર્સના ફેન તેમની દરેક વાત જાણવા માંગતા હોય છે જેવી કે તેમની દરેક ફિલ્મ, દરેક સ્ટાઈલ અને તેમની દરેક વસ્તુ. ત્યાં સુધી કે તેમની લાઈફસ્ટાઈલ કેવી છે અને તેઓ રિયલ લાઈફમાં કેવી રીતે રહે છે. ઘણા ફેંસ એવા પણ હોય છે જેમનું સપનું બોલિવુડ સ્ટાર્સનું ઘર જોવાનું હોય છે. આજે અમે બતાવીશું બોલિવુડ એક્ટર્સના ઘરની ઝલક..

અર્જુન કપૂર :
બોલિવુડમાં તાજેતરમાં પોતાની ઓળખાણ બનાવનાર એક્ટર અર્જુન કપૂરનું ઘર કન્ટેપરરી બેઝ છે.

સોનાક્ષી સિન્હા

sonakshi-sinha

હસીન અદાકારા સોનાક્ષી સિન્હા પોતાના માતા-પિતા અને ભાઈ સાથે જૂહુમાં આવેલ રામાયણ બંગલામાં રહે છે. ફોટામાં તમે તેના ઘરના ઇન્ટીરિયરનો એક નમૂનો જોઈ શકો છો.

સંજય દત્ત

sanjay-dutt

પાલી હિલ્સમાં હાજર 'ઈમ્પીરિયલ હાઈટ્સ' બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક્ટર સંજય દત્ત પોતાના પરિવારની સાથે રહે છે.

સૈફ અલી ખાન

kareena

સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂરની સાથે બાંદ્રાના 'ફોર્ચ્યુન હાઈટ્સ' માં રહે છે. આ સિવાય તે પટૌડી પેલેસ અને ભોપાલમાં પણ ઘણી પ્રોપર્ટીના માલિક છે.

રેખા

rekha

સદાબહાર એક્ટ્રેસ રેખાનું ઘર બાંદ્રામાં છે. આ ઘર સંપૂર્ણ રીતે વાંસના વૃક્ષોથી ઘેરાયેલું છે જેનાથી તે જોવું શક્ય નથી કે અંદરથી આ ઘર કેવું નજર આવે છે.

અમિતાભ બચ્ચન

big-b

અમિતાભ બચ્ચન તેમના પૂરા પરિવારની સાથે જલસામાં રહે છે પરંતુ બચ્ચન પરિવારનું રિયલ હાઉસ પ્રતીક્ષા છે. પ્રતીક્ષા સંપૂર્ણ રીતે હરિયાળીથી ઘેરાયેલુ છે.

શાહરૂખ ખાન

shahrukh

શાહરૂખ ખાનનું ઘર મન્નત એક લગ્ઝરી હાઉસનો જીવતો જાગતો નમૂનો છે. શાહરૂખે આ હેરીટેજ પ્રોપર્ટી એક ટ્રસ્ટ પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેમાં રિનોવેટ કરી લેવામાં આવ્યું હતું.

હેમા માલિની

hema

ફેમસ આર્કિટેક્ટ દ્ધારા ડિઝાઈન કરવામાં આવેલ હેમા માલિનીનો આ બંગલો મુંબઈની વચ્ચે જૂહુમાં હાજર છે. તેમનો ગોરેગાંવમાં પણ એક બંગલો છે.

સલમાન ખાન

salman

સલમાન ખાન તેના પૂરા પરિવારની સાથે છેલ્લા ૪૦ વર્ષથી મુંબઈના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ' માં રહે છે.

અનિલ કપૂર

anil

અનિલ કપૂર તેમની પત્ની અને બાળકો સાથે જુહુમાં રહે છે. તેમનું ઘર ઈંટીરિયર ટ્રેડીશનલ અને વેસ્ટર્ન બંને સ્ટાઈલનું મિશ્રણ કહેવામાં આવે છે.

 

 

The post તમે પણ નિહાળો Bollywood સ્ટાર્સના આ લક્ઝુરીયસ હાઉસ… appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડ અભિનેતા Sanjay Dutt નો જન્મદિવસ

$
0
0

Today Bollywood Actress Sanjay Dutt Happy Birthday

બોલીવુડ અભિનેતા Sanjay Dutt નો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા Sanjay Dutt ૫૮ વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ ૨૯ જુલાઈ, ૧૯૫૯ના રોજ મુંબઈમાં થયો હતો. આમ તો, ક્યારેક પડદા પર ભજવેલા પાત્ર ફિલ્મ સ્ટાર્સની જિંદગીથી ખુબ જ નજીક હોય છે, એવું જ સુનીલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્ત સાથે થયું છે. સંજય દત્તે ઘણી વાર પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી છે અને દર્શકોને તેમની ભૂમિકા ખુબ જ પસંદ આવી છે અને તેમને ખુબ જ પ્રશંસા મેળવી છે.

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

જયારે જયારે સંજય દત્તે પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવી છે ત્યારે એમના પાત્ર અને અભિનયની ખુબ જ પ્રશંસા કરવામાં આવી છે, પછી તે ભલેને 'વાસ્તવ'નો રઘુ હોય કે પછી 'અગ્નિપથ'નો કાંચા, સંજયે પડદા પર ભયનો અલગ જ ચેહરો ભજવ્યો છે પરંતુ અસલ જિંદગીમાં એમનું જીવન ખુબ જ ઉથલ પાથલથી ભરેલું છે.

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

સંજય દત્તની ખોટી આદતોને કારણે એમના પિતા સુનીલ દત્તને ઘણી જગ્યાઓ પર અકળામણ ઉઠાવવી પડી, સંજય દત્તને કારણે તેમને કોર્ટના છ્કાર પણ લગાવવા પડ્યા. કયારેક સંજયની ડ્રગ્સ આદતને કારણે તો ક્યારેક મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં નામ આવવા પર, સુનીલ દત્તની ફજેતી થઈ. સંજય દત્તે પોતાના અપરાધને કારણે જેલમાં સજા ભોગવી હતી.

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

સંજય દત્ત બોલીવુડમાં પોતાની કારકિર્દીની શરૂઆતની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ તેની માતા નરગીસ બીમાર પાડી હતી. સંજયે ૧૯૮૧માં પોતાની પહેલી ફિલ્મ 'રોકી'ની શુટિંગ પૂરી કરી લીધી અને તે પોતાની ફિલ્મ 'રોકી' રિલીઝ થવાની રાહ જોઈ રહ્યો હતો. આ સમયગાળા દરમિયાન નરગીસની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને એમને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવી હતી. સંજય દત્ત બેવડી સમસ્યાઓથી ઘેરાયેલો હતો અને જે દિવસે સંજયની ફિલ્મ રિલીઝ થવાની હતી ઠીક એના ત્રણ દિવસ પહેલા જ નરગીસનું મૃત્યુ થઈ ગયું હતું. સંજય દત્ત અત્યારે કુંટુંબની સાથે સમય વિતાવી રહ્યા છે.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

બોલીવુડ અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ

The post આજે છે બોલીવુડ અભિનેતા Sanjay Dutt નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

કપિલ શર્માનો શો છોડવા પર Bharti Singh એ કર્યો ખુલાસો

$
0
0

Bharti Singh

કપિલ શર્મા અને તેમનો શો અત્યારે સતત ચર્ચામાં છે. શુક્રવારે એવી ખબર સામે આવી હતી કે, Bharti Singh કપિલ શર્માના શોને અલવિદા કહેશે. પરંતુ હવે એવી ખબર સામે આવી રહી છે કે, Bharti Singh એ કપિલનો શો છોડ્યો નથી અને તે બહુ જલ્દી શાહરૂખ સાથે આગામી એપિસોડનું શૂટિંગ કરશે. પ્રાપ્ત માહિતી મુજબ, ભારતીએ જણાવ્યું કે, તે કપિલનો શો છોડી રહી નથી. તેમજ ભારતી અને કીકુની વચ્ચે કોઈ વિવાદ નથી. ભારતીએ કપિલને પહેલાથી જણાવી દીધું હતું કે, તે તેમના શોમાં ત્યાં સુધી કામ કરશે, જ્યાં સુધી તેમનો શો કોમેડી દંગલ શરુ થતો નથી. ભારતીએ કોમેડી દંગલ કપિલના શોમાં આવ્યા પહેલા સાઈન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ટેલીવિઝનના કોમેડી કિંગ કપિલ શર્માના આજકાલ દિવસો ખરાબ ચાલી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે, કપિલ શર્માએ હવે કામ કરતા વધારે તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. થોડા દિવસ પહેલા કપિલ શર્માની તબિયત અચાનક સેટ પર ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલમાં એડમીટ કરવા પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ, ફિલ્મ સિટી સ્ટુડિયોમાં કપિલ શર્માના શોનું શૂટિંગ અનિલ કપૂર અને અર્જુન કપૂર સાથે થવાનું હતું.

તમને જણાવી દઈએ કે, અગાઉ પણ લો બીપીના કારણે કપિલ શર્મા બીમાર થઇ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કપિલ શર્માને તેમના 'ધ કપિલ શર્મા શો' માટે પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ હેઠળ શાહરૂખ ખાનની સાથે તેમની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' માટે શૂટિંગ કરવાનું હતું. પરંતુ અચાનક બીમાર થવાના કારણે શાહરૂખની સાથે 'ધ કપિલ શર્મા' શો નું શૂટિંગ રદ કરવું પડ્યું હતું.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

The post કપિલ શર્માનો શો છોડવા પર Bharti Singh એ કર્યો ખુલાસો appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Lipstick Under My Burkha’ની કમાણી જાણી થઈ જશો આશ્ચર્યચકિત!

$
0
0

Lipstick Under My Burkha

અલંકૃતા શ્રીવાસ્તવને તેમની ફિલ્મ 'Lipstick Under My Burkha' ને રીલીઝ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ફિલ્મે રીલીઝ થવાની સાથે દર્શકો સુધી પોતાની પહોચ બનાવી અને રીલીઝ થયાના લગભગ ૪ દિવસની અંદર પોતાનો ખર્ચ પણ નીકાળી લીધો છે. 'લિપસ્ટિક અંડર માય બુર્ખા' એ શાનદાર પ્રદર્શન કરતા એક અઠવાડિયામાં જ લગભગ ૧૧ કરોડનો બિઝનેસ કરી લીધો છે. ગયા શુક્રવારે બોક્સ ઓફિસ પર બે ફિલ્મો રીલીઝ થઇ હતી. એક લિપસ્ટિક અંડર માય બુર્ખા છે તો બીજી ફિલ્મ છે મુન્ના માઈકલ. જો વાત કરવામાં આવે લિપસ્ટિક અંડર માય બુર્ખાની તો આ ફિલ્મને સતત દર્શકો તરફથી પ્રેમ મળી રહ્યો છે.

લિપસ્ટિક અંડર માય બુર્ખા ફિલ્મની સ્ટોરી બુઆજી ઉર્ફે ઉષા (રત્ના પાઠક શાહ), લીલા(અહાના કુમરા), શિરીન (કોંકણા સેન શર્મા) અને રિહાના(પ્લાભિતા) ની છે જે ભોપાલના એક મહોલ્લામાં રહે છે. બુઆજીને રોમેન્ટિક નોવેલ વાંચવાનો શોખ છે, લીલાનું સપનું છે કે તે ફોટોગ્રાફર અરશદ (વિક્રાંત મસ્સી) ની સાથે શહેર છોડી દિલ્હી ભાગી જાય. શીરીન તેના પતિ (સુશાંત સિંહ) અને ત્રણ બાળકો સાથે બંધક જીવન ગુજારે છે અને ખાનગીમાં તે સેલ્સ વુમનનું કામ કરે છે. ઘણાબધા પ્રતિબંધ હોવા છતાં રિહાના અંગ્રેજી સોંગની દિવાની છે અને ઘરમાંથી બહાર નીકળ્યા પછી તે પોતાની દુનિયામાં જતી રહે છે. ફિલ્મમાં આ ચારેય મહિલાઓના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ બતાવ્યા છે અને છેલ્લે ફિલ્મની સ્ટોરી તેના અંજામ સુધી પહોચે છે. જેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ છે અને ફિલ્મમાં સમાજમાં મહિલાઓ પ્રતિ થઇ રહેલ રૂઢિવાદી વ્યવહારનો એક તરફ કટાક્ષ કરવામાં આવ્યો છે. ફિલ્મનું ડીરેક્શન, લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલની છે. તેની સાથે ગામડાની લાઈફને પણ ખૂબ સારી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું મ્યુઝિક ફિલ્મની સ્ટોરી સાથે મેચ થાય છે. ફિલ્મમાં દરેક કિરદારનું પરફોર્મન્સ જબરદસ્ત છે.

The post ફિલ્મ ‘Lipstick Under My Burkha’ ની કમાણી જાણી થઈ જશો આશ્ચર્યચકિત! appeared first on Vishva Gujarat.

આજે છે બોલીવુડના સિંગર Sonu Nigam નો જન્મદિવસ

$
0
0

Today Bollywood Singer Sonu Nigam Birthday

બોલીવુડ સિંગર Sonu Nigam


આજે બોલીવુડના ગાયક Sonu Nigam નો જન્મદિવસ છે. સ્ટેજ શોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરીને સફળતાની બુલંદીઓ સુધી પહોચવાવાળા હિન્દી સિનેમાના સુપ્રસીદ્ધ ગાયક સોનું નિગમ પોતાના ગીતોથી આજે પણ શ્રોતાઓના દિલો પર રાજ કરી રહ્યા છે. સોનું નિગમનો જન્મ હરિયાણાના ફરીદાબાદ શહેરમાં ૩૦ જુલાઈ ૧૯૭૩ના રોજ થયો હતો. નાનપણથી જ સોનું નિગમનો લગાવ સંગીત તરફ હતો અને તે પણ પોતાના માતા-પિતાની જેમ ગાયક બનવા માંગતા હતા.

બોલીવુડ સિંગર સોનું નિગમ

સોનું નિગમ ૧૯ વર્ષની ઉમરમાં ગાયક બનવાનું સપનું લઈને પોતાના પિતા સાથે મુંબઈ આવી ગયા હતા. ત્યાં તેમને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાના જીવનના ભરણપોષણ માટે તે સ્ટેજ પર મોહમદ રફીના ગાયેલા ગીતો ગાતા હતા. આ સમયગાળા દરમિયાન પ્રસિદ્ધ કંપની ટી.સિરીઝે એમની પ્રતિભાને જાણીને એમના ગાયેલા ગીતોનું આલ્બમ 'રફી કી યાદે' લોન્ચ કર્યું હતું.

બોલીવુડ સિંગર સોનું નિગમ

સોનું નિગમે ગાયકના રૂપમાં પોતાની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'જનમ'થી કરી હતી પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ રીલીઝ થઇ શકી નહિ. લગભગ પાંચ વર્ષ સુધી તેઓ મુંબઈમાં ગાયક બનવા માટે સંઘર્ષ કર્યો હતો. આશ્વાસન તો બધા આપી છે પરંતુ કામ કરવાનો મોકો કોઈ આપતું નહોતું. આ બધાની વચ્ચે સોનું નિગમે બી અને સી ગ્રેડવાળી ફિલ્મોમાં ગીત ગાયા પરંતુ આ ફિલ્મોથી એમને કોઈ ફાયદો થયો નહિ.

બોલીવુડ સિંગર સોનું નિગમ

સોનું નિગમ માટે ૧૯૯૫નું વર્ષ ખુબ જ મહત્વનું સાબિત થયું અને એમને નાના પડદા પરનો કાર્યક્રમ 'સારેગામા'માં હોસ્ટ તરીકે કામ કરવાનો મોકો મળ્યો હતો. આ વચ્ચે તેમની મુલાકાત ટી સીરીઝના માલિક ગુલશન કુમાર સાથે થઇ જેમને એમની પ્રતિભાને ઓળખીને પોતાની ફિલ્મ 'બેવફા સનમ'માં ગાયકના રૂપમાં કામ કરવાનો મોકો આપ્યો હતો. આ ફિલ્મનું એક ગીતે 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા' ખુબ જ પ્રશંસા મેળવી હતી. ફિલ્મ અને ગીતની સફળતા બાદ તે ગાયકના રૂપમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખાણ બનાવવામાં સફળ રહ્યા હતા.

જુઓ આગળ વધુ ફોટોસ....

બોલીવુડ સિંગર સોનું નિગમ

બોલીવુડ સિંગર સોનું નિગમ

બોલીવુડ સિંગર સોનું નિગમ

The post આજે છે બોલીવુડના સિંગર Sonu Nigam નો જન્મદિવસ appeared first on Vishva Gujarat.

આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ!

$
0
0

TV

અસ્મિતા સૂદ અને પર્લ વી. પુરી

shmita

સામાન્ય રીતે આપણા ફેવરેટ TV  સ્ટાર્સ તેમના જીવનની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે અને આ કારણે તેમના ફેંસ જાણી શકે છે કે તેમની ફેમિલી અને રિયલ લાઈફમાં શું ચાલી રહ્યું છે. તેમાંથી ઘણા લોકો તેમની લવ લાઈફને લઈને ઓપન હોય છે અને આ કારણે તેમના રિલેશનશિપને લઈને ચર્ચા થાય છે. પરંતુ ઘણા TV સેલેબ્સ એવા હોય છે જે પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવા માંગે છે.

તે લોકોને ડેટિંગનું ચક્કર એટલું મોંઘુ પડે છે કે લોકોને જાણે જોઈ તેમની લવ લાઈફ છુપાવી પડે છે. ખેર કારણ કંઈ પણ હોય, પરંતુ ઘણા સ્ટાર્સ એવા પણ છે જે એક-બીજાને સિક્રેટલી ડેટ કરી રહ્યા છે અથવા આ અફવાહોનું બજાર ગરમ રહે છે. તો આજે અમે તમને જણાવીએ નાના પડદાની એવી કઈ જોડીઓ છે જેના વિશે તમે નથી જાણતા કારણકે તેમનો પ્રેમ એક સિક્રેટ છે.

કૃણાલ કરણ કપૂર અને શ્રીતી ઝા

krunal

જિજ્ઞાસા સિંહ અને અંકિત બઠલા

jignasha

કપિલ શર્મા અને પ્રીતિ સિમોસ

kapil

કરણ ટેકર અને ક્રિસ્ટલ ડિસોઝા

karan

કરણ વાહી અને કરિશ્મા કોટક

karishma kotak

મોહિત રૈના અને મૌની રોય

mohit

રૂબીના દિલેક અને અભિનવ શુક્લા

rubina

જેનિફર વિંગેટ અને સાહબાન અઝીમ

jeeny

તનીષા મુખર્જી અને સિદ્ધાર્થ

tanisha

 

The post આ TV સેલેબ્સ એકબીજાને સિક્રેટલી કરી રહ્યા છે ડેટ! appeared first on Vishva Gujarat.

આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું….

$
0
0

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka1

ટીવી સિરીયલ 'યે હે મોહબ્બતે' ની ઈશિતા ઉર્ફે દિવ્યાંકા ત્રિપાઠીએ ૮ જુલાઈએ વિવેક દહિયા સાથે મેરેજ કરી નવા જીવનની શરૂઆત કરી છે. મેરેજ પછી દિવ્યાંકાએ મુંબઈમાં જ એક ૩ BHK નો ફ્લેટ ખરીધો હતો અને હવે તે તેના પતિ વિવેક સાથે ત્યાં રહે છે. દિવ્યાંકાનું આ નવું ઘર ખૂબ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka2

દિવ્યાંકાએ મેરેજ પછી મુંબઈમાં રહેવાનું મન બનાવ્યું હતું. તેના માટે તેમણે ગોરેગાંવમાં લગભગ ૧૨૬૦ સ્કવેર ફિટનું એક ઘર ખરીધું છે. આ ઘરનું ઈંટીરિયર વધારે સુંદર છે. આ સિવાય તેણે ઘરમાં ટ્રોફી રાખવા માટે અલગ જગ્યા બનાવી છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka3

દિવ્યાંકાના નવા ઘરની દિવાલો પર ગોલ્ડન કલરનુ પેન્ટ કરાવવામાં આવ્યું છે. આ સિવાય ઘરનું ફર્નિચર પણ આલીશાન છે. એટલું જ નહિ ઘરનું સિલીગ પણ બહુ સુંદર છે. ઘરના એક ખૂણામાં સુંદર મંદિર પણ છે જેનું નકશીકામ પણ સુંદર છે.

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka4

ઉલ્લેખનીય છે કે, ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા તાજેતરમાં લગ્ન ગ્રંથી થી  જોડાયા છે. બંને ભોપાલમાં લગ્નના સાત ફેરા લીધા હતા. આ ફંક્શનમાં દિવ્યાંકા અને વિવેકની ફેમિલી અને કેટલાક ખાસ ફ્રેન્ડ્સ ત્યાં હાજર હતા. લગ્નની પહેલા સંગીત, મહેંદી અને હલ્દીની રસમ થઈ હતી. આગળની સ્લાઈડમાં જુઓ દિવ્યાંકાના આલીશાન ઘરની ઝલક.....

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka5

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka6

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka7

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka8

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka9

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka10

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka11

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka12

આ છે દિવ્યાંકા ત્રિપાઠીનું નવું ઘર

divyanka13

The post આ છે Divyanka નું નવું ઘર, અંદરથી લાગે છે કંઇક આવું…. appeared first on Vishva Gujarat.


આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં!

$
0
0

હેમા માલિની અને ઈશા દેઓલ

hema-maliniઆ તો સામાન્ય વાત છે કે, કેટલાક બાળકો પોતાના માતા-પિતાનું નામ રોશન કરતા હોય છે અને કેટલાક બાળકો તે કરી શકતા નથી. આ સ્થિતિ બોલિવુડમાં પણ છે. કેટલાક સ્ટાર્સ એવા છે જેમણે તેમના પેરેન્ટ્સ કરતા વધારે ઓળખાણ બનાવી છે. બોલિવુડમાં સોનમ કપૂર, હૃતિક રોશન અને સોનાક્ષી સિન્હા એવા સ્ટાર્સ છે જેમણે પોતાના એક્ટર પેરેન્ટ્સ કરતા પણ વધારે સફળતા પ્રાપ્ત કરી છે તો બીજી તરફ કેટલાક સ્ટાર્સના સંતાનો એવા છે જેમણે ફિલ્મોમાં સફળતા મેળવી નથી. આજે અમે તમને જણાવીશું બોલિવુડના ફ્લોપ કિડ્સ વિશે...

યશ ચોપડા અને ઉદય ચોપડા

uday

મિથુન ચક્રવર્તી અને મિમોહ ચક્રવર્તી

mithun

દેવ આનંદ અને સુનીલ આનંદ

dev-aanand

શર્મિલા ટેગોર અને સોહા અલી ખાન

shrmila

વિનોદ ખન્ના અને રાહુલ ખન્ના

vinod-khana

રાજ બબ્બર અને આર્ય બબ્બર

raj1

ફિરોઝ ખાન અને ફરદીન ખાન

fardeen

શત્રુઘ્ન સિન્હા અને લવ સિન્હા

shatrugan-sinha

 

 

The post આ છે બોલીવુડ સ્ટાર્સના ફ્લોપ સંતાનો, જે ના ટકી શક્યા બોલિવુડમાં! appeared first on Vishva Gujarat.

સુનીલ ગ્રોવર નહિ પરંતુ આ કારણે અલી અસગરે Kapil Sharma નો શો છોડ્યો

$
0
0

Kapil Sharma

થોડા મહિના પહેલા Kapil Sharma અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે Kapil Sharma ના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. કપિલ શર્માનો શો છોડનારમાં અલી અસગર પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે, અલીને ધ કપિલ શર્મા શોમાં દાદીના રોલમાં દર્શકો વધારે પસંદ કરતા હતા. એટલું જ નહિ સેલિબ્રિટીઝને પણ અલીનો આ રોલ વધારે પસંદ છે.

જો કે, અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું હતું કે, સુનીલનો સાથ આપવા માટે અલીએ કપિલ શર્માનો શો છોડ્યો હતો. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અલીને કપિલ શર્માના બદલતા વલણના કારણે વધારે મુશ્કેલી થઇ રહી હતી પરંતુ હવે સત્ય સામે આવી ગયું છે. એક ઇન્ટરવ્યૂમાં અલી અસગરે જણાવ્યું હતું કે, કપિલ શર્માના શોમાં જે વાતથી નારાજગી હતી, તે તેમનો રોલ હતો. અલીનું કહેવું છે કે, કપિલ શર્માના શોમાં તેમને જે કેરેક્ટર આપવામાં આવ્યું હતું તેમાં કોઈ ભવિષ્ય હતું નહિ. અલી તે રોલ પ્લે કરી કંટાળી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, પહેલા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સુનીલ ગ્રોવર, કૃષ્ણા અભિષેક આ નવા શોનો હિસ્સો બનશે પરંતુ હવે સુનીલ ગ્રોવર આ શોમાં ગેસ્ટ તરીકે એન્ટ્રી કરશે.

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

The post સુનીલ ગ્રોવર નહિ પરંતુ આ કારણે અલી અસગરે Kapil Sharma નો શો છોડ્યો appeared first on Vishva Gujarat.

‘Jab Harry Met Sejal’નું એડવાન્સ બુકિંગ શરુ, શું કરશે રઈસથી વધારે બિઝનેશ

$
0
0

Jab Harry Met Sejal

શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા સ્ટારર Jab Harry Met Sejal આ શુક્રવારે એટલે કે, ૪ ઓગસ્ટે રીલીઝ થઇ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઇ ગયું છે અને તેને સારો રિસ્પોન્સ પણ મળી રહ્યો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, Jab Harry Met Sejal ઓપનિંગ ડે પર જ ૨૦-૨૨ કરોડની કમાણી કરશે. તો બીજી તરફ, વિકેન્ડ પર આ ફિલ્મ ૭૫ કરોડની કમાણી કરશે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. જો આ પ્રમાણે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન રહ્યું તો જબ હેરી મેટ સેજલની કમાણી રઈસ અને દિલવાલે કરતા શ્રેષ્ઠ રહેશે.

ફિલ્મ જબ હેરી મેટ સેજલમાં શાહરૂખ એક પંજાબી ગાઈડ બન્યા છે, જેનું નામ હરવિંદર સિંહ નેહરા છે. ફિલ્મમાં શાહરૂખને બધા હેરી કહી બોલાવે છે. ફિલ્મમાં અનુષ્કા બબલી ગુજરાતી યુવતી સેજલનાં રોલમાં છે. જ્યારે સેજલ યુરોપ ટ્રીપ પર હોય છે ત્યારે તેની મુલાકાત હરવિંદર સાથે થાય છે. ત્યારબાદ બંનેને પ્રેમ થઇ જાય છે. બસ આ ફિલ્મની સ્ટોરી છે. તેની પહેલા શાહરૂખ અને અનુષ્કા 'રબ ને બના દી જોડી' અને 'જબ તક હે જાન' જેવી ફિલ્મોમાં નજર આવી આવી ચૂક્યા છે.

ફિલ્મ જબ હેરી મેટ સેજલ ઈમ્તિયાઝ અલીએ ડિરેકટ કરી છે. ફિલ્મનાં ટાઈટલને લઈને ઘણા દિવસોથી અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. પહેલા એવી ખબર સામે આવી રહી હતી કે, ફિલ્મનું નામ ધ રિંગ, રહનુમા કે રોલા રાખવામાં આવશે પરંતુ ફિલ્મના મેકર્સે વિચાર્યું કે, 'જબ હેરી મેટ સેજલ' નું નામ જ ફિલ્મ માટે ઠીક રહેશે.

The post ‘Jab Harry Met Sejal’ નું એડવાન્સ બુકિંગ શરુ, શું કરશે રઈસથી વધારે બિઝનેશ appeared first on Vishva Gujarat.

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

$
0
0

Love Affairs

બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs

Anushka Sharma & Virat Kohli

ક્રિકેટર અને બોલિવુડનો સંબંધ બહુ જૂનો છે. બોલિવુડ સ્ટાર્સનું ક્રિકેટર સાથે અફેરની ચર્ચા હંમેશા રહી છે. આ સિલસિલો આજનો નથી પરંતુ તે ૧૯ મી સદીથી ચાલતો આવી રહ્યો છે. આ અફેર્સમાં કોઈની સફર મેરેજ સુધી પહોચી તો કોઈ મઝધારમાં જ અલગ થઈ ગયા છે. પોતાની ડેટ અને અફવાહોના કારણથી દરેક કોઈ વિવાદનો ભાગ બન્યો છે. તો જાણો કેટલીક ફેમસ જોડીઓ વિષે.....

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી:

બોલિવુડની હસીના અનુષ્કા શર્મા અને ફેમસ ક્રિકેટર વિરાટ કોહલીની મુલાકાત એક શેમ્પૂની જાહેરાતમાં થઈ હતી. અફવા ત્યારે શરુ થઈ જ્યારે અનુષ્કા એક મેચ દરમિયાન વિરાટને મળવા ન્યુઝીલેન્ડ પહોચી હતી. ત્યારબાદ વિરાટ કોહલી પણ બોમ્બે વેલવેટના સેટ પર અનુષ્કાને મળવા પહોચ્યો હતો.

ગીતા બસરા અને હરભજન સિંહ

Geeta Basra & Harbhajan Singh

આ ન્યૂ મેરિડ કપલે પોતાના રિલેશનશિપની માહિતી મીડિયા સામે કબૂલી હતી જેના કારણે હરભજનને ઘણીવાર એવોર્ડ શો દરમિયાન મજાકનો ભાગ બનવો પડ્યો હતો.

નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સ

Neena Gupta & Vivian Richards

લેજેન્ડરી ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ અને બોલિવુડ એક્ટ્રેસ નીના ગુપ્તા ગોપનીય રૂપે રિલેશનશિપમાં રહ્યા હતા. તેમના રિલેશનશિપ ઘણા ચર્ચામાં રહ્યા હતા, જો કે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ શક્યા નહિ.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

Yuvraj Singh and Hazel Keech

યુવરાજ હંમેશા પોતાના લવ સર્કલને કારણે ચર્ચામાં બની રહ્યા છે, ભલે પછી તે કીમ શર્મા હોય અથવા દીપિકા પાદુકોણ. તાજેતરમાં યુવરાજનું નામ બ્રિટિશની મોડલ હેઝલ કીચની સાથે પણ જોડાયું અને આ સંબંધ ઘણો આગળ વધ્યો અને થોડા સમય પહેલા જ આ કપલે સગાઈ કરી પોતાના રિલેશનશિપની મીડિયા સામે કબૂલાત કરી.

ઝહીર ખાન અને ઈશા શેરવાની

Isha Sharvani & Zaheer Khan

આ જોડીએ ૮ વર્ષની પોતાની રિલેશનશિપની મજબૂરીઓના કારણે ખતમ કરી દીધી હતી. તેમણે પોતાના સંબંધમાં ઘણા ઉતાર-ચઢાવનો પણ સામનો પણ કર્યો છે. જો કે, બધા લોકો આ કપલના મેરેજની અપેક્ષા કરી રહ્યા હતા પરંતુ તેમણે પોતાના બ્રેકઅપના ન્યૂઝ આપી બધાને હેરાન આકરી દીધા હતા.

અમૃતા અરોડા અને અને ઉસ્માન અફઝલ

Amrita Aroraબોલિવુડની મુન્ની મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડાનું અફેર ઇંગ્લેન્ડના ક્રિકેટર ઉસ્માન અફઝલ સાથે હતું. આ જોડી ઘણીવાર ઇવેન્ટ દરમિયાન કેમેરામાં કેદ થઈ હતી પરંતુ એક વર્ષ પછી તેમણે પોતાના રસ્તા બદલી લીધા.

જીન્નત અમાન અને ઇમરાન ખાન

Zeenat Aman & Imran Khan

૭૦ ના દાયકાની સેક્સી ડીવા જીન્નત અમાને પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાનના પ્રેમમાં દિવાની થઈ ગઈ હતી. રાષ્ટ્રીય અવરોધો અને ગલતફેમીના કારણે આ કપલને અલગ થવું પડ્યું હતું.

રીના રોય અને મોહસીન ખાન

Reena Roy & Mohsin Khan

બોલિવુડ એક્ટ્રેસ રીના રોયે પાકિસ્તાની ક્રિકેટર સાથે મેરેજ કરવાનો નિર્ણય લીધો હતો. મેરેજ પછી રીના રોયએ પોતાનું ફિલ્મી કરિયર છોડી દીધું અને પોતાના પરિવારને સમય આપ્યો પરંતુ ટૂંક સમયમાં જ આ સંબંધ તલાક પર ખતમ થઈ ગયો.

મોહમ્મદ અઝહરૂદ્દીન અને સંગીતા બિજલાની

Sangeeta Bijlani & Mohammad Azharuddin

આ કપલે જાહેરમાં મીડિયાની સામે પોતાના રિલેશનશિપને કબૂલી હતી. અફવાહોએ આગ ત્યારે પકડી જ્યારે સંગીતા ઘણીવાર મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી પરંતુ તેનો પ્રભાવ અઝહરૂદ્દીન ના પ્રદર્શન પર પડ્યો હતો.

અમૃતા સિંહ અને રવિ શાસ્ત્રી

amruta singh and ravi shashtri

ડેશિંગ ક્રિકેટર રવિ શાસ્ત્રી બોલિવુડની ચમેલી અમૃતા સિંહના પ્રેમમાં પાગલ થઈ ગયા અને આ જોડીએ કેમેરાની સામે પણ પોતાના સંબંધને કબૂલ્યો હતો પરંતુ આ સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. ત્યારબાદ રવિ શાસ્ત્રીએ રિતુ અને અમૃતા સિંહે બોલિવુડના નવાબ સૈફ અલી ખાન સાથે મેરેજ કર્યા હતા.

The post બોલિવુડ એક્ટ્રેસ અને ક્રિકેટરના Love Affairs appeared first on Vishva Gujarat.

Kapil Sharma ની ટક્કરમાં ફિક્કો રહ્યો કૃષ્ણા અભિષેકનો નવો શો

$
0
0

Kapil Sharma

Kapil Sharma ના શોની ઓછી ટીઆરપી જોઈ એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે, આ શો બંધ થઇ જશે. પરંતુ ચેનલે Kapil Sharma નો શો બંધ ના કરતા તેની હરીફમાં બીજો એક નવો કોમેડી શો શરુ કર્યો છે. આ શોનું નામ ડ્રામા કંપની છે. તેમાં કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, સુગંધા મિશ્રા, અલી અસગર જોવા મળી રહ્યા છે. પરંતુ આ શોની ટીઆરપીમાં કોઈ વધારો થયો નથી. એટલું જ શો બંધ થવાની ખબર પણ સામે આવી રહી છે.

કૃષ્ણા અભિષેકનો શો 'ધ ડ્રામા કંપની' વધારે પ્રયત્ન પછી પણ દર્શકોને હસાવવામાં સફળ રહ્યો નથી. શોમાં ભલે કોમેડિયન સ્ટાર્સની ભરમાર છે પરંતુ દર્શકોને હસાવવામાં આ શો નિષ્ફળ નીવડ્યો છે. પહેલા કૃષ્ણા અને સુદેશની જોડી જોઇને લોકોનું હસવું રોકાતું હતું નહિ પરંતુ હવે આ જોડી બોર કરે છે. તેવામાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, જો હજુ આગળ કેટલાક એપિસોડ સુધી શોની ટીઆરપી વધશે નહિ તો શો બંધ થઇ જશે

ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.

The post Kapil Sharma ની ટક્કરમાં ફિક્કો રહ્યો કૃષ્ણા અભિષેકનો નવો શો appeared first on Vishva Gujarat.

Bigg Boss નું નવું એલાન, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ

$
0
0

Bigg Boss

કલર્સ પર પ્રસારિત થનાર શો Bigg Boss સીઝન ૧૧ બહુ જલ્દી શરુ થવાની છે. ટેલીવિઝન પર સૌથી ફેમસ આ શો એકવાર ફરીથી ચર્ચામાં છે. આ વખતે શોમાં એક નવો ટ્વીસ્ટ પણ જોડાઈ રહ્યો છે. કોમન મેન આ શો સાથે જોડાશે પરંતુ તેમને પૈસા આપવામાં આવશે નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, જે કોમન મેન આ શોમાં ભાગ લેશે તેમને પૈસા આપવામાં આવશે નહિ. તેઓ ફ્રીમાં બિગબોસ સાથે જોડાશે. આ લોકો બિગબોસના ઘરમાં થયેલ ટાસ્ક અને સારી ટીઆરપીના લીધે જ સ્પેશિયલ બોનસથી ફક્ત પૈસા કમાવી શકશે. તમને જણાવી દઈએ કે, આ વખતે એવા કન્ટેસ્ટંટની શોધ કરવામાં આવી છે, જેઓ એક ફેમિલીના હોય. આવા જ કેટલાક કન્ટેસ્ટંટ અને તેમની ફેમિલીને સિલેક્ટ પણ કરી લેવામાં આવી છે જેઓ બિગબોસના ઘરમાં એન્ટ્રી કરશે. તો હવે જોવું રહ્યું કે, શોના આ નવા ડ્રામાથી કેટલી ટીઆરપી વધે છે.

બિગબોસ સીઝન ૧૦ માં તમે જોયું હશે કે સેલિબ્રિટીઝ અને કોમનર્સ આ રિયાલીટી શોનો ભાગ બન્યા હતા. એક તરફથી આ શો નિર્માતાઓ માટે મોટુ રિસ્ક હતું કે, દસમી સીઝનમાં સેલિબ્રિટીઝ અને કોમનર્સને એકસાથે લાવવામાં આવ્યા હતા. તેની પહેલાની બધી સિઝનમાં બિગબોસનાં ઘરનો ભાગ ફક્ત સેલિબ્રિટી જ બન્યા છે. મનવીર ગુર્જર બિગબોસ ૧૦ નો વિજેતા બન્યો છે. જેમાં સેલિબ્રિટીઝને ટક્કર આપી કોમન મેન મનવીર ગુર્જરે આ ટ્રોફી તેના નામે કરી લીધી હતી. તમને જણાવી દઈએ કે, આ સીઝનને પણ સલમાન ખાન જ હોસ્ટ કરવાના છે.

સુપરસ્ટાર સલમાન ખાન આ શો ને છેલ્લા સાત વર્ષથી હોસ્ટ કરી રહ્યા છે. આટલા દિવસોમાં સલમાન ખાને ઘણા સારા અને ખરાબ કન્ટેસ્ટંટને જોયા છે. શો ની પેટર્ન પ્રમાણે સલમાન ખાન દર અઠવાડિયાના અંતમાં 'વિકેન્ડ કા વાર' એપિસોડમાં આવે છે. વિકેન્ડમાં બિગબોસના ટાસ્કમાં સારું પરફોર્મ કરનાર કન્ટેસ્ટંટના સલમાન વખાણ કરે છે. તેની સાથે જે કન્ટેસ્ટંટ ટાસ્કમાં સારું પરફોર્મ કરતા નથી અને ખરાબ વર્તાવ કરે છે તો તેને ફટકાર પણ લગાવે છે.

The post Bigg Boss નું નવું એલાન, શોમાં આવશે આ મોટો ટ્વીસ્ટ appeared first on Vishva Gujarat.

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

$
0
0

Arjun Bijlani

Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun

ટીવી સિરીયલ 'નાગિન' માં રિતિકનો રોલ પ્લે કરી ફેમસ થયેલ Arjun Bijlani નો નાનો પુત્ર પણ તેમના નકશે કદમ પર ચાલે છે. અયાનની ક્યારે, ક્યાં અને કેવી રીતે ટીવી પર એન્ટ્રી કરશે તેના વિશે અર્જુને કંઈ જણાવ્યું નથી. Arjun Bijlani નો પુત્ર એકદમ ક્યુટ છે.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun1

જો કે, આપણે બધા જાણીએ છે કે, અર્જુન ડાંસ રિયાલીટી શો 'ઝલક દિખલા જા' ની નવમી સીઝનનો ભાગ બન્યા હતા અને આ શો ના એક ખાસ સેગમેન્ટમાં બધા કન્ટેસ્ટંટે પોતાની ફેમિલીમાંથી કોઈ એક મેમ્બર સાથે ડાંસ કરવાનો હતો.

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun2

અર્જુને આ સ્પેશિયલ પરફોર્મન્સ માટે તેના પુત્રની પસંદગી કરી હતી અને 'બજરંગી ભાઈજાન' ના સોંગ પર ડાંસ કરવાનો નિર્ણય લીધો. તમને જણાવી દઈએ કે, અર્જુન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ છે અને તેઓ ઘણીવાર તેમના પુત્રની ક્યુટ ફોટો શેર કરતા હોય છે.  આગળ જુઓ વધુ ફોટા...

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun3

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun4

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun5

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun6

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun7

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun8

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun9

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun10

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun11

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun12

અર્જુન બિજલાનીએ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos

arjun13

The post Arjun Bijlani એ શેર કર્યા તેના પુત્ર અયાનના ક્યુટ Photos appeared first on Vishva Gujarat.


બાબા રામદેવની સાથે ટીવી પર ભજન ગાતી નજર આવશે Sonakshi Sinha, જાણો કેમ?

$
0
0

Sonakshi Sinha

ટેલીવિઝનની દુનિયામાં આજકાલ મોટા ભાગના લોકો રિયાલીટી શો જોવાનું પસંદ કરે છે અને આ કારણે અલગ-અલગ પ્રકારના રિયાલીટી શો આવતા રહે છે. આ પ્રકારે એક અલગ કોન્સેપ્ટની સાથે બહુ જલ્દી એક નવો રિયાલીટી શો આવવાનો છે. તમને જણાવી દઈએ કે, આ શોમાં જજ તરીકે સોનાક્ષી સિન્હા નજર આવશે. આ શોનું નામ 'ઓમ શાંતિ ઓમ' છે અને તમને આ શોમાં બધા ભક્તિ કરતા જોવા મળશે.

એટલું જ નહિ આ શોમાં તમને સોનાક્ષીની સાથે બાબા રામદેવ પણ જજના રૂપમાં નજર આવશે. તેની સાથે શોમાં ફેમસ સિંગ કનિકા કપૂર અને રવજીયાની પણ આવશે નજર. તમને જણાવી દઈએ કે, શૂટિંગ પવઈના એક સ્ટુડિયોમાં થઇ રહ્યું છે અને શોના ફર્સ્ટ એપિસોડમાં રણવીર સિંહ, મોની રોય અને બાદશાહ પણ નજર આવશે. આ શો બહુ જલ્દી લાઈફ ઓકે પર આવશે અને આ શોને 'દંગલ' માં આમિર ખાનના ભત્રીજાના રોલમાં કામ કરી ચૂકેલ અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે.

The post બાબા રામદેવની સાથે ટીવી પર ભજન ગાતી નજર આવશે Sonakshi Sinha, જાણો કેમ? appeared first on Vishva Gujarat.

Shraddha Kapoor સ્ટારર ફિલ્મ ‘હસીના પારકર’ની રીલીઝ ડેટ ટળી

$
0
0

Shraddha Kapoor

એકવાર ફરીથી Shraddha Kapoor સ્ટારર ફિલ્મ 'હસીના પારકર' ની રીલીઝ ડેટ આગળ વધી ગઈ છે. જો કે, હજુ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. તેની પાછળનું કારણ પણ થોડું વિચિત્ર છે. ફિલ્મના ડિરેકટર અપૂર્વ લાખિયા કહે છે કે, અમે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારી રહ્યા છીએ, કારણકે અમને પૂરતી સ્ક્રીન અને એવું બોક્સ ઓફિસ મળે જ્યાં ફિલ્મ વધારે ચાલે. જો કે, ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનું કારણ બીજું લાગે છે. ૧૧ ઓગસ્ટના દિવસે અક્ષય કુમારની ફિલ્મ ટોઈલેટ-એક પ્રેમકથા રીલીઝ થવાની છે. તો બીજી તરફ, શાહરૂખ ખાનની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' ૪ ઓગસ્ટે રીલીઝ થશે. આ કારણે ફિલ્મના ડિરેક્ટર ઈચ્છતા નથી કે, બે મોટી ફિલ્મોની વચ્ચે તેમની ફિલ્મ ફસાઈ જાય અને બોક્સ ઓફિસ પર કોઈ કમાલ કરી શકે નહિ.

ઉલ્લેખનીય છે કે, દાઉદ ઈબ્રાહીમની બહેન હસીના પાર્કરનાં જીવન પર બનેલ ફિલ્મ 'હસીના પાર્કર' નું ટ્રેલર આજે રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં શ્રધ્ધા કપૂરનો બોલ્ડ અંદાજ જોઈ તમે હેરાન થઇ જશો. ટ્રેલરમાં શ્રદ્ધાની એક્ટિંગ અને તેના ડાયલોગ્સ પણ વધારે દમદાર છે. એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરે તેમના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મનું ટ્રેલર શેર કરતા લખ્યું કે, હું ફિલ્મના ટ્રેલરને પોસ્ટ કરતા વધારે ઉત્સાહિત અને તેની સાથે નર્વસ પણ છુ. ફિલ્મમાં શ્રદ્ધાનો લૂક ડિફરન્ટ છે અને તેના માટે તેણે ઘણું વજન વધાર્યું છે. આ ફર્સ્ટ ટાઈમ હશે જ્યારે શ્રદ્ધા કપૂર નેગેટિવ રોલ પ્લે કરતા નજર આવશે. તેની સાથે આ ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ શ્રદ્ધા કપૂર ૪ બાળકોની માતાનો રોલ પ્લે કરતા નજર આવશે. તેની પહેલા શ્રદ્ધા મોટાભાગે રોમેન્ટિક રોલ પ્લે કરતા નજર આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા મહીને બોલિવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરની અપકમિંગ ફિલ્મ 'હસીના: ધ ક્વીન ઓફ મુંબઈ' નું નવું પોસ્ટર રિલીઝ થયું હતું. આ નવા પોસ્ટરમાં શ્રદ્ધા બુર્ખામાં નજર આવી હતી. પોસ્ટર પર લખ્યું છે, ૮૮ કેસ નોંધાયા છે પરંતુ કોર્ટમાં હાજરી ફક્ત એકવાર. શ્રદ્ધા કપૂરે આ પોસ્ટર ટ્વીટર પર શેર કર્યું હતું. તમને જણાવી દઈએ કે, હસીના પાર્કરનું ૬ જુલાઈ ૨૦૧૪ નાં રોજ મોત થયું હતું. હસીનાની વિરુધ્ધ ૮૮ કેસ રજીસ્ટર હતા પરંતુ તે તેના જીવનમાં ફક્ત એક જ વાર કોર્ટમાં ગઈ હતી. ખબરોની માનીએ તો હસીના તેના ભાઈના ૧૦૦૦ કરોડના અંડરવર્લ્ડ એમ્પાયર સંભાળતી હતી.

The post Shraddha Kapoor સ્ટારર ફિલ્મ ‘હસીના પારકર’ ની રીલીઝ ડેટ ટળી appeared first on Vishva Gujarat.

‘Saath Nibhana Saathiya’ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

$
0
0

Saath Nibhana Saathiya

'Saath Nibhana Saathiya' ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી

tannya1

ફેમસ ટીવી સિરીયલ 'Saath Nibhana Saathiya' ની એક્ટ્રેસ તાન્યા શર્માને તો તમે ઓળખતા જ હશો. તાન્યાએ ઘણા ટીવી શોઝ કર્યા છે પરંતુ પહેલા તેને લીડ રોલ મળતો ન હતો.

તાન્યા શર્મા

tannya2

તાન્યાએ ટીવી શો 'અફસર બિટિયા' થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાના આ રોલથી લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. અત્યારે તે ટીવી શો 'સાથ નિભાના સાથિયા' માં મીરાંના રોલમાં નજર આવી રહી છે.

તાન્યા શર્મા

tannya3

તાન્યાનો જન્મ દિલ્હીમાં ૨૭ ડિસેમ્બર ૧૯૯૫ ના રોજ થયો હતો અને તેની ઉંમર માત્ર ૨૧ વર્ષ છે. તાન્યાએ શરૂઆતનો અભ્યાસ કર્યા પછી માસ મીડિયાથી ગ્રેજ્યુએશન કર્યું છે અને હજુ પણ તેનું લક્ષ્ય પબ્લિક રિલેશનમાં માસ્ટર કરવાનું છે.

તાન્યા શર્મા

tannya4

બહુ નાની ઉંમરમાં પોતાની ઓળખાણ બનાવનાર આ એક્ટ્રેસ જેટલી ટીવીમાં હોટ છે વાસ્તવમાં પણ તેટલી હોટ છે.

તાન્યા શર્મા

tannya5

તેની પહેલા તાન્યાએ નિર્દેશક શ્રવણ કુમાર દ્ધારા બનાવવામાં આવેલ ફિલ્મ Love States માં પણ કામ કર્યું છે.

તાન્યા શર્મા

tannya6

સોશિયલ એકાઉન્ટ પર પણ તાન્યાના ફેંસ વધી ગયા છે. તેની સુંદરતાના ઘણા દિવાના છે. તમને જણાવી દઈએ કે, તાન્યાને સેલ્ફી અને પાર્ટી કરવાનો વધારે શોખ છે. સમય મળતા જ તે ઘણીવાર સેલ્ફી લેતી હોય છે. આગળ જુઓ વધુ ફોટા...

તાન્યા શર્મા

tannya7

તાન્યા શર્મા

tannya8

તાન્યા શર્મા

tannya9

તાન્યા શર્મા

tannya10

તાન્યા શર્મા

tannya11

 

The post ‘Saath Nibhana Saathiya’ ની મીરાં રિયલ લાઈફમાં છે કંઇક આવી appeared first on Vishva Gujarat.

ડિહાઈડ્રેશનના કારણે Dilip Kumar ને હોસ્પિટલમાં કરવામાં આવ્યા એડમીટ

$
0
0

Veteran actor Dilip Kumar admitted in Hospital

બોલિવુડ એક્ટર Dilip Kumar ને ડીહાઈડ્રેશનના કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલીપ કુમારને યુરોલોજિકલ સમસ્યા પણ છે. જો કે, અત્યારે તે સ્વસ્થ છે. તેમણે પરિવાર સાથે ભોજન પણ કર્યું. દિલીપ કુમારને થોડા કલાક માટે આઈસીયુ લઇ જવામાં આવશે. બોલિવુડ એક્ટર દિલીપકુમારની તબિયત છેલ્લા ઘણા સમયથી સારી રહેતી નથી અને દિલીપ કુમારનાં ફેંસ દરેક સમયે તેમની સ્વસ્થ થવાની પ્રાર્થના કરતા હોય છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિલીપ કુમારને બુધવારે ૧૨ વાગ્યે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઈસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. આ સિવાય દિલીપ કુમારના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દિલીપ કુમારની સાથે તેમની પત્ની સાયરા બાનો પણ છે.

તમને જણાવી દઈએ કે, બોલિવુડ એક્ટર દિલીપ કુમાર અત્યારે બીમારીવશ રહે છે અને તેમના ફેંસ તેમની તબિયતની દરેક ક્ષણની માહિતી જાણવા માંગે છે. જેના માટે હવે દિલીપ કુમાર સોશિયલ મીડિયા સાથે જોડાઈ ગયા છે. જી હાં, સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક દ્ધારા દિલીપકુમાર તેમના ફેંસની સાથે ઈંટરેક્ટ કરશે અને દિલીપ કુમારે સાયરા બાનોની સાથે એક વિડીયો શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ટ્રેજેડી કિંગથી ફેમસ અભિનેતા દિલીપ કુમારને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ જણાવ્યું હતું કે, તેમને પગમાં સોજા હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરની એક ટીમ તેમની સારવારની સાથે તેમના પર દેખરેખ પર રાખી રહી છે. દિલીપકુમારને શરદી અને ખાંસી પણ છે.

The post ડિહાઈડ્રેશનના કારણે Dilip Kumar ને હોસ્પિટલમાં કરવામાં આવ્યા એડમીટ appeared first on Vishva Gujarat.

B’DaySpcl! ‘ગુત્થી’થી ફેમસ થયેલ Sunil Grover નો આજે છે બર્થડે

$
0
0

સુનીલ ગ્રોવર

sunil grover6

ફેમસ કોમેડી શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ની 'ગુત્થી' એટલે કે સુનીલ ગ્રોવર ૪૦ વર્ષના થઇ ગયા છે. સુનીલે વર્ષ ૨૦૦૦થી બોલીવુડમાં કામ કરવાનું શરુ કર્યું હતું, પરંતુ ઓળખાણ તેમને 'ગુત્થી'ના પાત્રએ અપાવી છે.

સુનીલ ગ્રોવર

sunil grover1

'ગુત્થી'નું પાત્ર સુનીલની કારકિર્દીમાં એટલું લાભદાયી થયું છે કે એનો અંદાજો પણ લગાવી શકાય નહિ. આજે પણ જ્યારે સુનીલ ગ્રોવરને લઈને વાત થાય છે ત્યારે તેમને 'ગુત્થી' જ તરીકે બોલાવવામાં આવે છે.

સુનીલ ગ્રોવર

sunil drover5

સુનીલ ગ્રોવર અત્યારે કપિલ શર્માના નવા 'ધ કપિલ શર્મા શો' માં ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. ડૉ. ગુલાટી તરીકે સુનીલ ગ્રોવર લોકોને હસાવવામાં સફળ સાબિત થયા છે.

સુનીલ ગ્રોવર

sunil grover2

સુનીલનો જન્મ ૩ ઓગષ્ટ ૧૯૭૭ના રોજ હરિયાણાના સિરસા જીલ્લામાં થયો હતો. સુનીલ, આમીર ખાન અને અજય દેવગન જેવા બોલીવુડ સ્ટાર્સ સાથે અભિનય કરી ચુક્યા છે, પરંતુ તેમને સાચી ઓળખાણ 'ગુત્થી'ના પાત્રએ અપાવી છે.

સુનીલ ગ્રોવર

sunil grover3

સ્ટેન્ડ અપ કોમેડિયન સુનીલ ગ્રોવર પાછલા કેટલાક વર્ષોથી 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' માં 'ગુત્થી'ના પાત્રને કારણે ફેમસ થયા છે.

સુનીલ ગ્રોવર

sunil grover4

વીતેલા કેટલાક વર્ષો દરમિયાન સુનીલ ટીવીના લોકપ્રિય બની ગયા છે, જેને શો છોડવા પર પણ ખુબ જ ચર્ચાઓ થઇ તો તેમની વાપસીને લઈને પણ ચર્ચાઓ શરુ થઇ હતી. આવું બહુ ઓછા ટીવી અભિનેતાઓ સાથે જોવા મળ્યું છે, જે આટલા લાંબા સમય સુધી સમાચારોમાં છવાયા હોય.

સુનીલ ગ્રોવર

sunil grover5

સુનીલ ગ્રોવરે વર્ષ ૨૦૦૦માં અજય દેવગન અને કાજોલ સ્ટારર ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'થી પોતાની કારકિર્દી શરુ કરી હતી. આ ફિલ્મમાં સુનીલે એક નાઈની ભૂમિકા ભજવી હતી.

સુનીલ ગ્રોવર

sunil grover7

એના પછી સુનીલ એકવાર ફરી અજય દેવગન સાથે ફિલ્મ 'ધ લેજેન્ડ ઓફ ભગતસિંહ 'માં જોવા મળ્યા હતા. આ તે સમય હતો જયારે સુનીલ બોલીવુડમાં પોતાનું સ્ટેટ્સ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.

સુનીલ ગ્રોવર

sunil grover8

૨૦૦૮માં આવેલી આમીર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'ગજની'માં સુનીલ ગ્રોવરે આમીર ખાન અને અસીન સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં સુનીલે સંપતની ભૂમિકા ભજવી હતી જે અસીનનો મિત્ર હોય છે.

સુનીલ ગ્રોવર

sunil grover10

સુનીલ ગ્રોવર 'જીલા ગાઝીયાબાદ' અને 'હિરોપંતી'માં પણ નજર આવી ચુક્યા છે. આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ અક્ષય કુમારની ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક'માં પણ સુનીલે જોરદાર ભૂમિકા ભજવી હતી.

સુનીલ ગ્રોવર

sunil grover9

The post B’DaySpcl! ‘ગુત્થી’ થી ફેમસ થયેલ Sunil Grover નો આજે છે બર્થડે appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live


Latest Images