Kapil Sharma ની મુસીબતો બંધ થવાનું નામ લઇ રહી નથી. એકવાર ફરીથી Kapil Sharma વિવાદોમાં ઘેરાયા છે. આ વિવાદ સિદ્ધુની ખુરશીને લઈને છે. વાત એમ છે કે, સિદ્ધુ બીમાર હતા અને તેમને વધારે તાવ હતો. તેવામાં કપિલ શર્માના શોનું રવિવારનું શૂટિંગ રોકાઈ ગયું હતું. પરંતુ કપિલ શર્માએ સિદ્ધુની પરત આવવાની રાહ જોઈ નહિ અને તેમની જગ્યાએ અર્ચના પૂરણ સિંહને લેવાનું વિચાર્યું.
આ વાતથી સિદ્ધુ નાખુશ થઇ ગયા અને તેમણે કપિલને ફોન કરી ખરી-ખોટી સંભાળવી. કપિલ શર્માએ સિદ્ધુને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે કંઈ સાંભળવા માંગતા હતા નહિ. પ્રાપ્ત માહિતી મુજબ, સિદ્ધુ દ્ધારા આ પ્રકારની નારાજગી વ્યક્ત કર્યા પછી કપિલની ટીમે તાત્કાલિક અર્ચના પૂરણ સિંહને ફોન કર્યો અને જણાવ્યું કે, તેમને શૂટિંગ માટે આવવાનું નથી. આ શોમાં મહેમાનના રૂપમાં જેકલીન ફર્નાડીઝ અને સિદ્ધાર્થ મલ્હોત્રા સામેલ થવાના હતા.
ઘણા સમયથી ખબર આવી રહી હતી કે, સુનીલ ગ્રોવરનાં ગયા પછીથી 'ધ કપિલ શર્મા શો' ની ટીઆરપી ઘણી ઘટી ગઈ છે. પરંતુ મીડિયા સૂત્રો પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારથી ભારતી સિંહ અને ચંદન પ્રભાકરે શોમાં એન્ટ્રી લીધી છે, ત્યારથી આ શો ની ટીઆરપી ફરીથી વધી છે. ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો ફરીથી ટોપ ૧૦ રેંકિંગમાં પરત આવી ગયો છે.
થોડા મહિના પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે જે લડાઈ થઇ હતી તેના કારણે કપિલ શર્માના શોની ટીમ બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. શોના કેટલાક કલાકાર કપિલ શર્માની સાથે વફાદારી નિભાવતા જોવા મળ્યા તો બીજી તરફ, કેટલાક કલાકાર શો છોડી અલગ થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કોમેડિયન કૃષ્ણા અભિષેક સોની ટીવી પર 'કોમેડી કંપની' નામનો એક નવો કોમેડી શો લઈને આવ્યા છે. 'ધ કપિલ શર્મા શો' નો ભાગ રહેલ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે આ નવા કોમેડી શોનો ભાગ છે. જો કે, સુનીલ ગ્રોવર આ નવા શોનો કાયમી હિસ્સો હશે નહિ.
The post OMG! એકવાર ફરીથી વિવાદોમાં ઘેરાયા કોમેડિયન Kapil Sharma appeared first on Vishva Gujarat.