પાકિસ્તાની કલાકારોનું સમર્થન કરવા પર સલમાન ખાન પર ચારેય તરફ હુમલો થઇ રહ્યો છે. રાજ ઠાકરેએ કહ્યું કે, સલમાન ખાન નકલી ગોળીઓ ખાય છે. શિવસેનાએ કહ્યું કે, સલીમ પોતાના પુત્રને ઘરમાં બંધ રાખે.
ભાજપ સાંસદ અને ગાયક મનોજ તિવારીએ સલમાન ખાનના આ નિવેદનને ખોટું ગણાવ્યું છે, પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ વિષે કેમ નથી બોલતા સલમાન ખાન. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાની કલાકારોનું સમર્થન કરતા સલમાન ખાને કહ્યું હતું કે, તે કલાકાર છે આતંકવાદી નથી. એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, ભારતીય ટીવી સીરીયલો અને ફિલ્મોમાં કામ કરનાર પાકિસ્તાન કલાકાર જાસુસ પણ હોઈ શકે છે. પાકિસ્તાન કલાકારોને લઈને સલમાન ખાનના નિવેદનનો યોગી આદિત્યનાથે બચાવ કર્યો છે. આદિત્યનાથે કહ્યું કે, લડાઈ કલાકારો વિરુદ્ધ નહિ પરંતુ આતંકીઓ વિરુદ્ધ છે.
ત્યારે રાઉતે પાકિસ્તાન વિરુદ્ધ ઉભા રહેવા માટે સલમાન ખાનના પિતા સલીમ ખાનની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, એક તરફ સલીમ ખાન 'વંદે માતરમ' ના નારા લગાવે છે, પાકિસ્તાન વિરુદ્ધ ઉભા હોય છે અને મુસ્લિમ ધર્મની ખામીઓ પર બોલે છે, ત્યારે સલમાન ખાન પણ તે પરિવાર છે અને મૂર્ખતાપૂર્ણ વાત કરે છે.
તમને જણાવી દઈએ કે, રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ એ સર્જીકલ સ્ટ્રાઈકથી પહેલા પણ પાકિસ્તાની કલાકારોને ભારત છોડવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, આવું નહિ કરો તો ઘરમાં ઘૂસીને મારીશું. ઉલ્લેખનીય છે કે, કરણ જૌહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' માં પાકિસ્તાન કલાકાર ફવાદ ખાન છે. શાહરૂખ ખાનની આવનાર ફિલ્મ રઈસમાં મહીરા ખાન અભિનય કરી રહી છે. બંને પાછા પાકિસ્તાન જતા રહ્યા છે.
ત્યારે સલમાન ખાનના નિવેદન પર ફિલ્મ જગતમાંથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ફિલ્મ નિર્દેશક શ્યામ બેનેગલનું કહેવું છે કે, પાકિસ્તાની કલાકારોને પાછા જવા માટે કહેવું યોગ્ય નથી. જયારે સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીનું કહેવું છે કે, આ નિર્ણય સરકારનું કામ છે. આ પહેલા સૈફ અલી ખાન અને કરણ જોહર પણ પાકિસ્તાની કલાકારોના બોલીવુડમાં કામ કરવા પર સમર્થન કરી ચુક્યા છે. જયારે ઇન્ડિયન મોશન પીચર્સ પ્રોડ્યુસર એસોસિયેશને પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનો ઇનકાર કર્યો છે.
જાણીતા કલાકાર સુહેલ સેઠ સલમાન ખાન વિરુદ્ધ છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે જો પાકિસ્તાની કલાકાર વિઝા પર આવે છે તો તેમના કેટલાક આતંકવાદી પણ વિઝા લઈને ભારત આવે છે. વિઝાના આધાર પર તેમના બેશરમ વ્યવહારની માફી નથી મળી શકતી. આગળ જાણો સર્જીકલ સ્ટ્રાઈક પર બોલીવુડ સિતારાઓએ શું શું કહ્યું છે?
The post પાકિસ્તાની કલાકારોના મુદ્દા પર Salman ના નિવેદનનો યોગી આદિત્યનાથે કર્યો બચાવ appeared first on Vishva Gujarat.