પ્રત્યુષા બેનર્જી
નાના પડદાની ફેમસ એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીની મોતના થોડા મહિનાઓ પછી પણ તેના મોતનું રહસ્ય ઉકેલાયું નથી. આ કેસમાં હવે રાહુલ અને પ્રત્યુષાની વચ્ચે ફોન પર થયેલ અંતિમ વાતચીતનો એક કોલ રેકોર્ડ સામે આવ્યો છે.
પ્રત્યુષા બેનર્જી
૩ મિનિટના આ ઓડિયોથી સ્પષ્ટ ખબર પડે છે કે, આત્મહત્યા પહેલા પ્રત્યુષા કેટલી પરેશાન હતી કે તે રાહુલને વારંવાર ગાળ આપી રહી હતી અને કહી રહી હતી કે, મારી મોત માટે તુ જવાબદાર હોઈશ.
પ્રત્યુષા બેનર્જી
એક સમાચારપત્ર પ્રમાણે પ્રત્યુષા અને રાહુલની વચ્ચે થયેલ આ વાતચીતની ટ્રાન્સક્રિપ્ટની કોપી મળી છે, જેમાં પ્રત્યુષા રાહુલ પર તેને બદનામ કરવાનો આરોપ લગાવી રહી છે અને ખૂબ પરેશાન લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રત્યુષાએ ૧ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.
પ્રત્યુષા બેનર્જી
ઉલ્લેખનીય છે કે, ‘બાલિકા વધૂ’ સિરિયલમાં આનંદીનું પાત્ર ભજવતી ૨૪ વર્ષની પ્રત્યુષા બેનર્જી એક એપ્રિલે ગોરેગાંવમાં આવેલા તેના ઘરેથી મૃત અવસ્થામાં મળી આવતાં ટીવી જગતમાં શોકની ઘેરી લાગણી ફરી વળી હતી.
પ્રત્યુષા બેનર્જી
જેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે તે દરમિયાન ૧૪ કલાકની પૂછપરછ બાદ પ્રત્યુષાના બોયફ્રેન્ડ રાજ સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રત્યુષા બેનર્જી
પ્રત્યુષા બેનર્જી સુસાઇડ કેસને લઈને શકનાં ઘેરામાં રાહુલ રાજને પોલીસે ઘણા સવાલો પણ કર્યા હતા. પ્રત્યુષા બેનર્જીનાં બોયફ્રેન્ડ રાહુલ રાજે બોમ્બે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી. જે પર સુનવણી કરતા બોમ્બે હાઈકોર્ટે તેની જામીન અરજી સ્વીકારી લીધી હતી.
પ્રત્યુષા બેનર્જી
છેલ્લા કેટલાક દિવસોમાં રાહુલે કબુલ કરી લીધું છે કે હા, પ્રત્યુષા તેના જ બાળકની માતા બનવાની હતી. રાહુલે વધુમાં કહ્યું કે, પ્રત્યુષાએ અને પોતે મળીને અબોર્શનનો નિર્ણય લીધો હતો.
પ્રત્યુષા બેનર્જી
તેવું અમે એટલા માટે કર્યું હતું કારણ કે અમે લગ્ન કર્યા નહોતા. અમે લીવઈનમાં રહેતા હતા. રાહુલે કહ્યું કે, ભવિષ્યને જોતા આ નિર્ણય લીધો હતો કારણ કે અમે નવેમ્બરમાં લગ્ન કરવાના હતા.
પ્રત્યુષા બેનર્જી
આ સાથે રાહુલે ખુલાસો કર્યો હતો કે, પ્રત્યુષાને ડ્રગ્સ લેવાની આદત પડી ગઈ હતી. સાથે તે ફાઇનાન્સિયલ સ્ટ્રેસથી પસાર થઇ રહી હતી. રાહુલે કહ્યું કે, દારુ પીધા પછી પ્રત્યુષા પોતાના પર કંટ્રોલ ખોઈ બેસતી હતી. પ્રત્યુષાના મોટા ભાગના મિત્રો આ વાત જાણતા હતા.
પ્રત્યુષા બેનર્જી
પ્રત્યુષા પર બેંકોનું પણ ઘણું દેવું વધી ગયું હતું. પોતાના કામથી તે જેટલું કમાતી હતી તે બધાજ રૂપિયા તેની માતાના એકાઉન્ટમાં જમા થતા હતા.
પ્રત્યુષા બેનર્જી
જો કે, પ્રત્યુષાની બોડીની કેમિકલ એનાલીસીસ રેપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રત્યુષા સુસાઇડ વખતે ઘણી જ નશામાં હતી. તે સાથે તેની બોડીમાં આલ્કોહોલની માત્રા પણ વધારે મળી હતી.
The post સુસાઈડ પહેલા Pratyusha-રાહુલનો ફોન પર થયો હતો ઝઘડો, અંતિમ કોલમાં થયો ખુલાસો appeared first on Vishva Gujarat.