હિના ખાન
ટીવીનો ફેમસ શો 'યે રિશ્તા ક્યાં કહેલાતા હે' માંથી અક્ષરાની વિદાય થવાની છે. આ દરમિયાન તે લાસ્ટ એપિસોડમાં ઈમોશનલ થઇ ગઈ અને રડવા લાગી. અક્ષરાનો અંતિમ એપિસોડમાં રીલ બર્થ ડે છે, જેમાં તે સિતારની સાથે ભજન ગાતી નજર આવી રહી છે.
હિના ખાન
વાસ્તવમાં સીરીયલના અંતિમ એપિસોડના શૂટિંગમાં અક્ષરાને ભજન ગાતા દરમિયાન ઈમોશનલ થવાનું હતું પરંતુ સિરીયલમાંથી તેની કાયમી વિદાઈને યાદ કરી અક્ષરા ઈમોશનને કંટ્રોલ કરી શકી નહિ અને રડવા લાગી.
હિના ખાન
ઉલ્લેખનીય છે કે, સિરીયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ના ફેંસ માટે બેડ ન્યૂઝ છે. આ સિરીયલની લીડ એક્ટ્રેસ અક્ષરા ઉર્ફે હિના ખાન આ શોમાં જોવા મળશે નહિ. સ્ટાર પ્લસ પર આવતી આ સિરીયલ ઘરદીઠ લોકપ્રિય છે. તેમાં અક્ષરાનું કેરેક્ટર લોકો વધારે પસંદ કરી રહ્યા છે.
હિના ખાન
થોડા મહિના પહેલા સિરીયલના મેકર્સ અને લીડ એક્ટ્રેસ વચ્ચે ઝઘડા થયા છે. હિના ખાન પ્રમાણે તે પોતાના કેરેક્ટરને લઈને ખુશ નથી. તેણે આ વિશે ઘણી ફરિયાદ પણ કરી છે અને તેણે શો છોડવાની પણ ધમકી પણ આપી છે.
હિના ખાન
હવે અંતે મેકર્સ અને ચેનલે નક્કી કર્યું છે કે, તેઓ આ કેરેકટરનો અંત લાવશે. આ સિરીયલમાં છેલ્લે અક્ષરામરી જશે અને તેની સાથે યે રિશ્તા ક્યાં કહેલાતા હે સિરીયલના સૌથી જૂના કેરેક્ટરનો અંત આવશે.
The post સિરીયલ ‘યે રિશ્તા….’ માંથી Akshara ની વિદાઈ, લાસ્ટ એપિસોડમાં થઈ ભાવુક! appeared first on Vishva Gujarat.