શાહરુખ ખાનની આગામી ફિલ્મ રઈશ ગુજરાતના દારૂ માફિયા અને મુંબઈ બ્લાસ્ટ સાથે સંકળાયેલા ડોન અબ્દુલ લતીફના જીવન પર આધારિત છે. જો કે ખુદ શાહરુખ ખાન અને ફિલ્મના નિર્દેશક રાહુલ ધોળકિયાએ આ બાબતથી સ્પસ્ટ ઇન્કાર કરી દીધો છે. જો કે આ બધા વચ્ચે ફિલ્મના ટ્રેલરમાં લતીફના જીવન સાથેની સમાનતા નજરે પડે છે. રઈશમાં કેટલું સાચું અને કેટલી કલ્પના છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. જો કે તે પૂર્વે આવો અમે તમને શાહરૂખના રઈશનું વાસ્તવિક જીવન અને તસ્વીરોથી અવગત કરાવી દઈએ.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
શાહરુખ ખાનની ફિલ્મ રઈશમાં જે પાત્ર તેમણે ભજવ્યું છે. તેનું વાસ્તવિક નામ અબ્દુલ લતીફ છે. જેનો જન્મ વર્ષ ૧૯૫૧માં થયો હતો. તે આઠ ભાઈ બહેનના પરિવારમાં ઉછર્યો હતો. લતીફે ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો હતો. લતીફના પણ અન્ય અપરાધીઓની જેમ અબ્દુલ અજીજ, મોહમ્મદ ઇલીયાસ, મોહમ્મદ હનીફ અને રહમાન જેવા અલગ અલગ નામ હતા.જે સમય સમય પર અલગ અલગ સ્થાને ઉપયોગ કરતો હતો.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
લતીફે ગેરકાનૂની ધંધામાં શરુઆત ગેરકાયદે દારુ વેચનારના ત્યાંથી કરી હતી. જો કે થોડા જ સમયમાં તે ગુજરાતનો સૌથી મોટો શરાબ માફિયા બની ગયો હતો. તેવા સમયે અપરાધની દુનિયામાં પોતાની મજબુત જગ્યા બનાવવા માટે લતીફે રાજકારણમાં પ્રવેશ કર્યો.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
રાજકારણમાં પ્રવેશ કરતાંની સાથે જ અમદાવાદ શહેરમાં મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારમાં કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં લતીફ વર્ષ ૧૯૮૬-૮૭ માં દરિયાપુર, જમાલપુર, કાલુપુર, રાયખડ અને શાહપુર વોર્ડમાં એક સાથે ચુંટણીમાં વિજય મેળવ્યો હતો. જે તેની લોકચાહનાનું એક ઉદાહરણ માનવામાં આવે છે.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
જો કે અબ્દુલ લતીફના જીવનમાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે તેની મુલાકાત અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ જોડે થઈ. મીડિયા અહેવાલ મુજબ દાઉદે લતીફને કુરાનની કસમ આપી હતી તે તેને વફાદાર રહેશે.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
આના પછી લતીફનું નામ વર્ષ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ સાથે પ્રથમ વાર સામે આવ્યું હતું. જેમાં વર્ષ ૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટ પૂર્વે ગુજરાતના પોરબંદર બેટ પરથી દાઉદ ઇબાહીમે પાકિસ્તાનથી અત્યઆધુનિક હથિયારોનું એક ક્ન્સાઈમેન્ટ પાકિસ્તાનથી મંગાવ્યું હતું. જેને સલામત રીતે મુંબઈ પહોચાડવાની જવાબદારી લતીફે નિભાવી હતી.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટમાં આમાંથી કેટલાક હથીયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે આતંકી ગતિવિધિમાં સામેલ થવા બદલ લતીફ પર ટાડાનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ ધરપકડ થાય તે પૂર્વે જ લતીફ વિદેશ ભાગી ગયો હતો.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
અબ્દુલ લતીફ ત્યાર બાદ ૧૯૯૫માં ભારત પરત ફર્યો હતો અને દિલ્હીમાં છુપાઈને રહેતો હતો. જયારે ગુજરાત એટીએસએ એ જ વર્ષે તેને દિલ્હીમાં એક ટેલીફોન બુથ પરથી ઝડપી પાડ્યો હતો. લતીફ સતત બે વર્ષ સુધી અમદાવાદની સાબરમતી જેલમાં રહ્યો હતો. તેમજ આ દરમ્યાન તે જેલમાંથી પણ પોતાનો કારોબાર ચલાવતો હતો.
વાંચો ... શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની
જો કે ૨૯ નવેમ્બર ૧૯૯૭ના રોજ અબ્દુલ લતીફને પૂછતાછ માટે જેલમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. જયારે પુછતાછ બાદ પરત ફરતી વખતે લતીફે પેશાબ જવાનું બહાનું કરીને ભાગવાની કોશિષ કરી હતી. તે સમયે પોલીસ સાથે ઝપાઝપી અને ગોળીબાર તેનું મોત થયું હતું. અબ્દુલ લતીફ માત્ર ૪૬ વર્ષનું ઉમંરે એનકાઉન્ટરમાં માર્યો ગયો હતો. લતીફનું એનકાઉન્ટર નરોડા રેલ્વે ફાટક નજીકના એક ખંડેર જેવા મકાનમાં થયું હતું.
The post વાંચો … શાહરૂખ ખાનના Raees ની આ છે અસલી કહાની appeared first on Vishva Gujarat.