Quantcast
Channel: Bollywood Gupsup – Vishva Gujarat
Viewing all 3988 articles
Browse latest View live

Baahubali 2 એ તોડ્યો દંગલનો રેકોર્ડ, ૧ દિવસમાં ૧૦ લાખથી વધુ ઓનલાઈન ટિકિટ બુક!

$
0
0

Baahubali 2

Baahubali 2 જોવા દર્શકોમાં કેટલી આતુરતા છે તે ઓનલાઈન ટિકિટનાં વેચાણથી સામે આવી ગયું છે. Baahubali 2 ફિલ્મે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં પણ રેકોર્ડ બનાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૨૪ કલાકમાં બાહુબલી 2 ની ૧૦ લાખ કરતા વધારે ટિકિટ બુક થઇ છે. આ પ્રમાણે આ ફિલ્મે આમિર ખાનની ફિલ્મ દંગલની ટિકિટ બુકિંગનો રેકોર્ડ પણ તોડી દીધો છે. તમને જણાવી દઈએ કે, દંગલનાં ઓપનિંગ વિકેન્ડની નજીક લગભગ ૩૫ ટકા ઓનલાઈન ટિકિટનાં માધ્યમથી કમાઈ હતી.

એક ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપનીએ એક નિવેદન જારી કરી જણાવ્યું કે, બાહુબલી 2 એ ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે જૂના બધા રેકોર્ડ તોડી દીધા છે. તે વેબસાઈટનાં અહેવાલથી જ માહિતી મળી કે, ફક્ત તેની પર અત્યાર સુધી ૧૦ લાખ કરતા વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે અને આ વેચાણ ફક્ત ૧ દિવસમાં થયું છે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે. બાહુબલી ૨ નું ટ્રેલર શાનદાર છે પરંતુ ટ્રેલર જોઈ દર્શકોને હજુ પણ આ પ્રશ્નનો ઉત્તર ના મળ્યો કે, 'કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ટ્રેલરમાં શ્રેષ્ઠ લોકેશન્સ, વોર સીન્સ અને શાનદાર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ બતાવામાં આવ્યા છે.

એવું લાગી રહ્યું છે કે, આ ફિલ્મની સાથે એક નવો રેકોર્ડ બનશે અને તેના માટે ફિલ્મની આખી ટીમ સખત મહેનત કરી છે. ફિલ્મના ડિરેક્ટરે જણાવ્યું કે, 'બાહુબલી ૨' માં નવી ટેકનીકનો શાનદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલાક એવા પ્રોપ્સ યુઝ કરવામાં આવ્યા છે. જે જોવામાં એકદમ રિયલ લાગે છે. ફિલ્મને જોતા સમયે દર્શકોને ખબર પડશે નહિ કે, સ્ક્રીન પર દેખાતી વસ્તુ રિયલ છે કે નકલી. બાહુબલીનો બીજો ભાગ 'બાહુબલી: ધ કનક્લુજન' ૨૮ એપ્રિલે રીલીઝ થવાનો છે.

The post Baahubali 2 એ તોડ્યો દંગલનો રેકોર્ડ, ૧ દિવસમાં ૧૦ લાખથી વધુ ઓનલાઈન ટિકિટ બુક! appeared first on Vishva Gujarat.


‘જોલી એલએલબી 2’પર થયેલ કેસમાં દિલ્હી હાઈકોર્ટ Akshay Kumar ને આપી રાહત

$
0
0

Delhi High Court exempts Akshay Kumar from appearance in defamation case

દિલ્હી હાઈકોર્ટે એક્ટર અક્ષય કુમારને ત્યાની નીચલી અદાલતમાં સુનવણી દરમિયાન વ્યક્તિગત પેશીથી બુધવારે છુટ આપી દીધી છે. ફિલ્મ 'જોલી એલએલબી 2' ની ટીમની વિરુદ્ધ દાખલ માનહાનિનાં એક કેસમાં Akshay Kumar એ કોર્ટમાં હાજર થવાનું હતું. જસ્ટિસ મુક્તા ગુપ્તાએ સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી ચૂકેલ બોલિવુડ એક્ટર Akshay Kumar ને વ્યક્તિગત પેશીમાંથી મુક્તિ આપતા કહ્યું કે, અક્ષય કુમાર કોર્ટમાં પોતાના વકીલ દ્ધારા ઉપસ્થિત નોંધાવી શકે છે.

નીચલી કોર્ટે ૮ ફેબ્રુઆરીએ 'જોલી એલએલબી ૨' નાં નિર્માતા ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, કાર્યકારી નિર્માતા નરેન કુમાર, નિર્દેશક સુભાષ કપૂર, અન્નુ કપૂર અને અક્ષય કપૂર સિવાય અન્ય લોકોને માનહાનિ સંબંધી કેસમાં કોર્ટની સમક્ષ ઉપસ્થિત રહેવાનો આદેશ આપ્યો હતો. આ કેસ બાટા શૂઝ કંપનીએ દાખલ કર્યો હતો. અક્ષયે આ આદેશની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પડકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ફૂટવેર કંપની 'બાટા' એ બ્રાંડના નામની મજાક ઉડાવવા બદલ ફિલ્મના પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર સુભાષ કપૂર, અક્ષય કુમાર અને અન્નુ કપૂરને લીગલ નોટીસ મોકલી હતી. વાત જાણે એમ છે કે, ફિલ્મ જોલી એલએલબી ૨નાં ટ્રેલરમાં અન્નુ કપૂર, અક્ષય કુમારને કહે છે કે, 'બાટાના જૂતા પહેરી અને ટુચ્ચીસો ટેરીકોટનો શર્ટ પહેરી અમારી સાથે લડી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી યુપીમાં રહેતા એક મિડલ ક્લાસ આદમીની છે જે વકાલતથી પોતાનું ઘર ચલાવે છે. તેવામાં ફિલ્મમાં દરેક નાની-મોટી મિડલ ક્લાસ મુશ્કેલી દર્શકને બતાવે છે.

The post ‘જોલી એલએલબી 2’ પર થયેલ કેસમાં દિલ્હી હાઈકોર્ટ Akshay Kumar ને આપી રાહત appeared first on Vishva Gujarat.

જુઓ….બોલીવુડ અભિનેત્રી Radhika Apte ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

$
0
0

Instagram pics of Bollywood actress Radhika Apte

બોલીવુડ અભિનેત્રી Radhika Apte ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી Radhika Apte પોતાની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. સોશિયલ મીડિયા પર તે પોતાની બોલ્ડ તસ્વીરો શેર કરતી રહે છે. રાધિકા આપ્ટેએ તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની બોલ્ડ ફોટોસ શેર કરી છે. તો આવો જોઈએ તેમની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો...

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેએ આ તસ્વીરોમાં ગ્લેમરસ લુકમાં અને સુંદર દેખાઈ રહી છે.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

ઉલ્લેખનીય છે કે, રાધિકા આપ્ટેએ પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫ માં ફિલ્મ વાહ લાઈફ હો તો એસીથી કરી હતી. તેમ છતાં ફિલ્મમાં તેમનો રોલ ઘણો નાનો હતો, રાધિકા આપ્ટે ફિલ્મોના સિવાય થિયેટર પણ કરતી હતી, તેમના થિયેટરના દરમિયાન અભિનેતા રાહુલ બોસે અનિતા ઓબેરાયના પ્લે બોમ્બે બ્લેકમાં જોવા મળી હતી.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રાહુલ બોસેને રાધિકા આપ્ટેની પરફોર્મન્સ એટલી પસંદ આવી કે તેમણે પોતાની આગામી ફિલ્મ અંતહીનના નિર્દેશક અનિરુદ્ધ રોય ચૌધરીને રાધિકા આપ્ટેને ફિલ્મમાં લેવા માટેની ભલામણ કરી દીધી હતી. ફિલ્મ અંતહીનમાં રાધિકા આપ્ટેના સિવાય, શર્મિલા ટૈગોર, અપર્ણા સેન, રહલ બોસ પણ જોવા મળ્યા હતા.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

વર્ષ ૨૦૧૨ માં રાધિકા આપ્ટે બ્રિટીશ સંગીતકાર બેન્ડિકટ ટેલરની સાથે લગ્ન કર્યા હતા. રાધિકા આપ્ટેની બેન્ડિકટ ટેલરની સાથે મુલાકાત લંડનમાં થઈ હતી, જયારે તે કન્ટેમ્પરરી ડાંસનો અભ્યાસ લેવા ગઈ હતી.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

રાધિકા આપ્ટે અત્યાર સુધી ઘણી મરાઠી નાટકો શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. રાધિકા આપ્ટે અનુરાગ કશ્યપ અને સુજોય ઘોષની શોર્ટ ફિલ્મ્સમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે. રાધિકા આપ્ટે હિન્દી ફિલ્મોના સિવાય બંગાળી, મરાઠી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ સક્રિય અભિનેત્રી છે.

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

બોલીવુડ અભિનેત્રી રાધિકા આપ્ટેની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો

The post જુઓ….બોલીવુડ અભિનેત્રી Radhika Apte ની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો appeared first on Vishva Gujarat.

Baahubali 2 ની ટિકિટ બુક કરાવતા પહેલા જાણી લો તેનો રિવ્યુ

$
0
0

First Movie Review Of Prabhas-Rana’s Baahubali 2 out

Baahubali 2 વિદેશી સમીક્ષકોએ ફિલ્મ જોઈ લીધી છે અને તેનો રિવ્યુ પણ આપી દીધો છે. હવે બસ એક દિવસ પછી દર્શકોનો ઇન્તઝાર ખતમ થઇ જશે. Baahubali 2 ફિલ્મનો ફર્સ્ટ રિવ્યુ સામે આવી ગયો છે. દુબઈમાં બાહુબલી 2 ની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. ત્યાં ફિલ્મના કલાકાર પ્રભાસ અને અનુષ્કા પણ હાજર હતા. યુએઈનાં ફિલ્મ સમીક્ષક ઉમેર સંધૂએ ફર્સ્ટ રિવ્યુ આપ્યો અને ટ્વીટર પર પોતાના વિચાર પણ શેર કર્યા છે.

ફિલ્મ વિશે જણાવતા ઉમેરે કહ્યું કે, બાહુબલી 2 નો એક સીન વધારે ભવ્ય છે. આ ફિલ્મની તુલના હોલિવુડની ફિલ્મ સાથે કરી શકાય છે. ભવ્ય સેટ, વીએફએક્સ, સાઉન્ડ, એડિટ, સિનેમેટોગ્રાફી અને સૌથી મહત્વપૂર્ણ છે ફિલ્મના સંવાદ અને સ્ક્રીનપ્લે. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીનપ્લે વધારે શાનદાર છે. પ્રભાસની એક્ટિંગ દમદાર છે. ફિલ્મના અન્ય એક્ટર્સ જેવા કે, અનુષ્કા અને તમન્નાએ પણ સારી એક્ટિંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલી 2 એક શાનદાર પ્રીમિયર માટે તૈયાર છે. ફિલ્મનાં નિર્માતાનો દાવો છે કે, ૨૭ એપ્રિલે મુંબઈમાં આયોજિત થનાર આ ભવ્ય પ્રીમિયર આંતરરાષ્ટ્રીય પ્રીમિયરને ટક્કર આપતા નજર આવશે. આ ભવ્ય આયોજનમાં પૂરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આવવાની સંભાવના છે. તેની સાથે ટીમ બાહુબલી ભવિષ્યમાં ભારતીય પ્રીમિયર માટે તેને એક ઉદાહરણ બનાવવા માટે ઉત્સુક છે. ફિલ્મના પ્રીમિયર માટે એક શ્રેષ્ઠ રેડ કાર્પેટની યોજના બનાવવામાં આવી છે. ૨૭ એપ્રિલે તે રંગીન સાંજને ધ્યાનમાં રાખી આ ફિલ્મના સેટથી મોટા પ્રોજેક્ટ અને કલાકૃતિઓ પહેલાથી ખરીદી લેવામાં આવી છે જેથી આ સમારોહને વધારે આકર્ષિત બનાવી શકાય.

પ્રાપ્ત માહિતી મુજબ, 'બાહુબલી: ધ કનક્લુજન' ને ફક્ત ભારતમાં ૬૫૦૦ સ્ક્રીન્સમાં રીલીઝ કરવામાં આવશે. આ સિવાય નોર્થ અમેરિકામાં ૭૫૦ સ્ક્રીન્સ અને દુનિયાના લગભગના લગભગ 30 દેશોમાં ૧૦૦૦ સ્ક્રીન્સ પર રીલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ફિલ્મના બંને ભાગને મળી લગભગ ૪૫૦ કરોડનો ખર્ચ થયો છે. બાહુબલી ૨ ના થિયેટર રાઈટ નોર્થ અમેરિકાના ડિસ્ટ્રિબ્યુટર્સ ગ્રેટ ઇન્ડિયા ફિલ્મ્સને ૭ મિલિયન ડોલરમાં વેચવામાં આવ્યા છે. જ્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ફિલ્મ ત્યાં ૧૫ મિલિયન ડોલરનો ફાયદો કરશે. તેની પહેલા નોર્થ અમેરિકાથી આમિર ખાનની દંગલે લગભગ ૧૨ મિલિયન કમાવ્યા હતા.

The post Baahubali 2 ની ટિકિટ બુક કરાવતા પહેલા જાણી લો તેનો રિવ્યુ appeared first on Vishva Gujarat.

લાંબી માંદગી બાદ બોલિવુડ એક્ટર Vinod Khanna નું નિધન

$
0
0

Vinod Khanna

બોલિવુડ એક્ટર Vinod Khanna નું આજે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. Vinod Khanna ૭૦ વર્ષના હતા. પ્રાપ્ત માહિતી મુજબ, તેઓ ઘણા સમયથી કેન્સર પીડિત હતા પરંતુ તેમના પરિવારે આ વિશે પુષ્ટિ કરી નથી. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તેઓ વધારે અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. વિનોદ ખન્નાનો જન્મ ૭ ઓકટોબર, ૧૯૪૬ નાં રોજ પેશાવર, પાકિસ્તાનમાં થયો હતો પરંતુ વિભાજન પછી તેમનો પરિવાર મુંબઈ આવી વસી ગયો.  વિનોદ ખન્ના રાજનીતિમાં પણ સફળ રહ્યા છે. તેઓ પંજાબનાં ગુરુદાસપુરનાં સાંસદ તરીકે લોકસભામાં લોકપ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. 

તમને જણાવી દઈએ કે, બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ વિનોદ ખન્નાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિનોદ ખન્નાનાં શરીરમાંથી પાણી ઘટી જવાના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્ર છે અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના. અક્ષય ખન્ના બોલિવુડમાં સક્રિય છે.

વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા. વિનોદ ખન્નાએ ૧૯૭૧ માં સોલો લીડ રોલમાં ફિલ્મ 'હમ તુમ ઔર વો' માં કામ કર્યું હતું.

The post લાંબી માંદગી બાદ બોલિવુડ એક્ટર Vinod Khanna નું નિધન appeared first on Vishva Gujarat.

વિનોદ ખન્નાનાં સન્માનમાં ‘Baahubali 2’નું પ્રીમિયર થયું કેન્સલ!

$
0
0

Bahubali 2 Premiere Cancelled after Vinod Khanna's Death

જ્યારથી વિનોદ ખન્નાના નિધનની ખબર જ્યારથી મીડિયામાં સામે આવી છે ત્યારથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં ડૂબેલી છે. તમને જણાવી દઈએ કે, આજે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ 'Baahubali 2' નું સ્પેશિયલ પ્રીમિયર મુંબઈ અને દિલ્હીમાં રાખવામાં આવ્યું હતું. જે વિનોદ ખન્નાના દેહાંત પછી કેન્સલ કરી દેવામાં આવ્યું છે. કરણ જોહરે પોતે ટ્વીટ કરી આ વાતની માહિતી મીડિયાને આપી છે કે, વિનોદ ખન્નાનાં સમ્માનમાં Baahubali 2 નું પ્રીમિયર કેન્સલ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ બાહુબલી-2 આવતીકાલથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેનું સ્પેશિયલ પ્રીમિયર આજે રાત્રે રાખવામાં આવ્યું છે. જ્યાં મીડિયા સિવાય બાહુબલીની ટીમ અને બોલિવુડનાં ફેમસ કલાકાર હાજર રહેવાના હતા.

ઉલ્લેખનીય છે કે, બોલિવુડ એક્ટર વિનોદ ખન્નાનું આજે મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે. વિનોદ ખન્ના ૭૦ વર્ષના હતા. પ્રાપ્ત માહિત મુજબ, તેઓ ઘણા સમયથી કેન્સર પીડિત હતા પરંતુ તેમના પરિવારે આ વિશે પુષ્ટિ કરી નથી. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તેઓ વધારે અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ વિનોદ ખન્નાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિનોદ ખન્નાનાં શરીરમાંથી પાણી ઘટી જવાના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્ર છે અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના. અક્ષય ખન્ના બોલિવુડમાં સક્રિય છે.

The post વિનોદ ખન્નાનાં સન્માનમાં ‘Baahubali 2’ નું પ્રીમિયર થયું કેન્સલ! appeared first on Vishva Gujarat.

ફિલ્મ ‘Raabta’નાં ટાઈટલ સોંગમાં કૃતિ સેનન પર ભારે પડી દીપિકા પાદુકોણ

$
0
0

Raabta

સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની અપકમિંગ ફિલ્મ 'Raabta' બહુ જલ્દી સિલ્વર સ્ક્રીન પર દસ્તક આપવાની છે. તે દરમિયાન ફિલ્મ Raabta નું નવું ટાઈટલ સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં દીપિકા પાદુકોણ તેનો જલવો વિખેરતી નજર આવી રહી છે. આ સોંગનું ટાઈટલ છે કુછ તો હે તુજસે રાબ્તા. આ સોંગમાં નાં સુશાંત સિંહ રાજપૂત છે અને નાં કૃતિ સેનન પરંતુ દીપિકા પાદુકોણ તેમાં ડાંસ કરતા નજર આવી રહી છે.

તેની પહેલા બુધવારે આ સોંગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરમાં દીપિકાની ઝલકે ધમાલ મચાવી દીધી હતી. તો બીજી તરફ આ સોંગની વાત કરવામાં આવે તો ટાઈટલ સોંગ નિકિતા ગાંધીએ ગયું છે. જ્યારે તેને પ્રીતમે કંપોઝ કર્યું છે. આ સોંગ અમિતાભ ભટ્ટાચાર્ય અને ઈર્શાદ કામિલે લખ્યું છે.

તમને જણાવી દઈએ કે, ફિલ્મ રાબ્તા 9 જૂને રિલીઝ થશે. ફિલ્મ રાબ્તાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેને ઘણા લોકોએ જોયું છે. જો વાત કરવામાં આવે તાજેતરમાં રિલીઝ થયેલ 'રાબ્તા' નાં ટ્રેલરની તો એક્શન-રોમાંસથી ભરપૂર આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની મોહબ્બતની સ્ટોરી એક જન્મમાં નહિ પરંતુ જન્મો-જનમમાં જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપૂતની અપકમિંગ ફિલ્મ 'રાબ્તા' માં દિગ્ગજ અભિનેતા રાજકુમાર રાવ એકદમ અલગ જ લૂકમાં નજર આવશે. રાજકુમાર રાવનું આ લૂક જોઈ બધા આશ્ચર્યચકિત થઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અપકમિંગ ફિલ્મ 'રાબ્તા' માં રાજકુમાર રાવ ૩૨૪ વર્ષના વૃધ્ધનાં રોલમાં નજર આવશે. રાજકુમાર રાવે ફિલ્મમાં પોતાના કિરદારનો લૂક ટ્વીટર પર શેર કર્યો છે જેને જોઈ તેમને ઓળખવા પણ મુશ્કેલ છે.

The post ફિલ્મ ‘Raabta’ નાં ટાઈટલ સોંગમાં કૃતિ સેનન પર ભારે પડી દીપિકા પાદુકોણ appeared first on Vishva Gujarat.

બોલિવુડ દિગ્ગજ Vinod Khanna નાં અંતિમ સંસ્કારમાં સામેલ થયા બોલિવુડ સ્ટાર્સ

$
0
0

Bollywood Stars Who Paid Their Last Respects to Actor Vinod Khanna

બોલિવુડમાં એક જમાનામાં રાજ કરનાર એક્ટર Vinod Khanna હવે આપણી વચ્ચે રહ્યા નથી. આજે સવારે ૧૧.૨૦ વાગ્યે મુંબઈની એચએન ફાઉન્ડેશન હોસ્પિટલમાં Vinod Khanna નું નિધન થયું છે. વિનોદ ખન્ના ૭૦ વર્ષના હતા. પ્રાપ્ત માહિતી મુજબ, તેઓ ઘણા સમયથી કેન્સર પીડિત હતા પરંતુ તેમના પરિવારે આ વિશે પુષ્ટિ કરી નથી. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તેઓ વધારે અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. આજે વિનોદ ખન્નાનાં અંતિમ સંસ્કાર વર્લી સ્મશાન ઘાટમાં કરવામાં આવ્યા છે. વિનોદ ખન્નાનો પુત્ર અક્ષય ખન્ના પણ પિતાની અંતિમ યાત્રામાં સામેલ થયો હતો. આ સિવાય તેમનો બીજો પુત્ર રાહુલ ખન્ના અને પુત્રી સાક્ષી ખન્ના પણ પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયા છે.

વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રિશી કપૂર, રાહુલ ઢોળકિયા, જેકી શ્રોફ, ગુલઝાર, સુભાષ ઘાઈ, સરોજ ખાન, કબીર બેદી, ચંકી પાંડે, રણધીર કપૂર, દિયા મિર્ઝા સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. વિનોદ ખન્નાનો જન્મ ૭ ઓકટોબર, ૧૯૪૬ નાં રોજ પેશાવર, પાકિસ્તાનમાં થયો હતો પરંતુ વિભાજન પછી તેમનો પરિવાર મુંબઈ આવી વસી ગયો. વિનોદ ખન્ના રાજનીતિમાં પણ સફળ રહ્યા છે. તેઓ પંજાબનાં ગુરુદાસપુરનાં સાંસદ તરીકે લોકસભામાં લોકપ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, બોલિવુડનાં દિગ્ગજ એક્ટર્સમાં સામેલ વિનોદ ખન્નાની અચાનક તબિયત ખરાબ થવાના કારણે મુંબઈની એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલ તરફથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિનોદ ખન્નાનાં શરીરમાંથી પાણી ઘટી જવાના કારણે તેમને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્ર છે અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના. અક્ષય ખન્ના બોલિવુડમાં સક્રિય છે.

વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા.

The post બોલિવુડ દિગ્ગજ Vinod Khanna નાં અંતિમ સંસ્કારમાં સામેલ થયા બોલિવુડ સ્ટાર્સ appeared first on Vishva Gujarat.


૨૦૨૦ માં રિલીઝ થશે 1000 કરોડનાં બજેટમાં બનેલ આ ફિલ્મ

$
0
0

UAE Billionaire To Invest Rs 1000 Cr To Make 'Mahabharata'

યુએઈનાં રહેવાસી એક ભારતીય વેપારી ભારતની સૌથી મોટી મોશન ફિલ્મ 'ધ મહાભારત' નાં નિર્માણ માટે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ ફિલ્મનું નિર્દેશન જાહેરાત ફિલ્મ નિર્માતા વી એ શ્રીકુમાર મેનન કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ બે ભાગમાં કરવામાં આવશે અને તેનું શૂટિંગ સપ્ટેમ્બર ૨૦૧૮ માં શરુ થઇ જશે અને ૨૦૨૦ ની શરૂઆતમાં તે રિલીઝ થશે.

ફિલ્મનો બીજો ભાગ પ્રથમ ભાગ પ્રદર્શિત થવાના ૯૦ દિવસ પછી જારી કરવામાં આવશે. આ ફિલ્મ મુખ્યરૂપે અંગ્રેજી, હિંદી, મલયાલમ, કન્નડ, તમિલ અને તેલુગુ અને પ્રમુખ વિદેશી ભાષાઓમાં બનાવવામાં આવશે. ફિલ્મમાં એકેડમી પુરસ્કાર વિજેતાઓ સહિત વિશ્વ સિનેમાની કેટલીક મહાન હસ્તીઓ પણ સામેલ થશે. આ ફિલ્મમાં ભારતીય સિનેમાની સાથે હોલિવુડનાં કેટલાક મોટા સ્ટાર્સ પણ નજર આવશે.

આ ફિલ્મ બોલિવુડ અને હોલિવુડને ટારગેટ કરી તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં દેશના નામી કલાકારોની સાથે હોલિવુડનાં એવોર્ડ વિનર એક્ટર્સ પણ નજર આવશે. સ્ટાર કાસ્ટની જવાબદારી દુનિયાનાં ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટરને મળી છે. નોવેલ મહાભારતને ભીમની નજરથી બતાવવામાં આવી છે.

કંપનીનાં ફાઉન્ડર અને ચેરમેન બીઆર શેટ્ટીએ કહ્યું કે, ગ્લોબલ લેવલ પર પ્રાચીન મહાભારતને બતાવવાનો પ્રોજેક્ટ અનોખો છે. ધ મહાભારતમાં સામેલ કેરેક્ટર દુનિયામાં પોતાની છાપ છોડશે. તે મેક ઇન ઇન્ડીયાના કોન્સેપ્ટ પર તૈયાર થઈ રહી છે. આશા છે કે, ફિલ્મ ૧૦૦ થી વધારે લેંગ્વેજમાં બનાવી તૈયાર થશે. જેને દુનિયાનાં 3 બિલીયન લોકો જોઈ શકશે.

The post ૨૦૨૦ માં રિલીઝ થશે 1000 કરોડનાં બજેટમાં બનેલ આ ફિલ્મ appeared first on Vishva Gujarat.

સોનમ કપૂરના “Beautiful”ફોટા

$
0
0

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 1
ફિલ્મ પ્રેમ રતન ધન પાયોને લઈને અભિનેત્રી સોનમ કપૂરહાલ ફરી એકવાર ચર્ચામાં છે. સોનમ કપૂર ભારતની સૌથી વધુ લોકપ્રિય સેલીબ્રીટી છે.

સોનમ કપૂરે અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મફેર એવોર્ડ નોમીની હતી અને બે સ્ટારડસ્ટ એવોર્ડ્સ પણ જીત્યાં છે. સોનમ કપૂરે ભણસાલીની રોમેન્ટિક ફિલ્મ સાવરિંયા સાથે ૨૦૦૭ માં તેના અભિનયની શરૂઆત કરી હતી. બોક્સ ઓફિસ પર નિષ્ફળ હોવા છતાં, સોનમ કપૂર કામગીરી તેના ફિલ્મફેર શ્રેષ્ઠ મહિલા નવોદિત પુરસ્કાર માટે નામાંકન મળ્યું હતું. રોમેન્ટિક નાટક રાંઝણા (૨૦૧૩) માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે નામાંકન માટે તેના પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. તે પણ અત્યંત સફળ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ (2013) માં થોડા સમય માટે દર્શાવવામાં આવ્યા હતી અને રોમેન્ટિક કોમેડી Khoobsurat (2014) માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જુઓ આગળ વધુ ફોટોસ....

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 2

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 3

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 4

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 5

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 6

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 7

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 8

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 9

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 10

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 11

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 12

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 13

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 14

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 15

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 16

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 17

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 18

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 19

Beautiful Photos of Actress Sonam Kapoor

Beautiful Photos actress Sonam Kapoor 20

The post સોનમ કપૂરના “Beautiful” ફોટા appeared first on Vishva Gujarat.

આજે સમગ્ર દુનિયાને ખબર પડી જશે કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો?

$
0
0

Baahubali

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baahubali 2' આજે રિલીઝ થઇ રહી છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી જશે કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? બાહુબલી ૧ નાં આ સીને બધાને છેલ્લા ૨ વર્ષથી હેરાન કરી નાખ્યા છે. દરેક લોકો તે જાણવા માંગે છે બાહુબલી ૧ નાં અંતિમ સીનમાં કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. જેનો ઉત્તર તમને આજે ફિલ્મ જોઇને મળી જશે.

તમને જણાવી દઈએ કે, ગઈકાલે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ 'બાહુબલી 2' નું સ્પેશિયલ પ્રીમિયર મુંબઈ અને દિલ્હીમાં રાખવામાં આવ્યું હતું. જે વિનોદ ખન્નાના દેહાંત પછી કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. કરણ જોહરે પોતે ટ્વીટ કરી આ વાતની માહિતી મીડિયાને આપી હતી કે, વિનોદ ખન્નાનાં સમ્માનમાં બાહુબલી 2 નું પ્રીમિયર કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

બાહુબલી 2 જોવા દર્શકોમાં કેટલી આતુરતા છે તે ઓનલાઈન ટિકિટનાં વેચાણથી સામે આવી ગયું છે. ફિલ્મે ઓનલાઈન ટિકિટ બુક કરવામાં પણ રેકોર્ડ બનાવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૨૪ કલાકમાં બાહુબલી 2 ની ૧૦ લાખ કરતા વધારે ટિકિટ બુક થઇ છે. આ પ્રમાણે આ ફિલ્મે આમિર ખાનની ફિલ્મ દંગલની ટિકિટ બુકિંગનો રેકોર્ડ પણ તોડી દીધો છે.

તમને જણાવી દઈએ કે, દંગલનાં ઓપનિંગ વિકેન્ડની નજીક લગભગ ૩૫ ટકા ઓનલાઈન ટિકિટનાં માધ્યમથી કમાઈ હતી. એક ઓનલાઈન ટિકિટ બુકિંગ કંપનીએ એક નિવેદન જારી કરી જણાવ્યું કે, બાહુબલી 2 એ ઓનલાઈન ટિકિટ બુકિંગ મામલે જૂના બધા રેકોર્ડ તોડી દીધા છે. તે વેબસાઈટનાં અહેવાલથી જ માહિતી મળી કે, ફક્ત તેની પર અત્યાર સુધી ૧૦ લાખ કરતા વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે અને આ વેચાણ ફક્ત ૧ દિવસમાં થયું છે.

ઉલ્લેખનીય છે કે, બાહુબલીની અપાર સફળતા પછી લોકોને 'બાહુબલી ૨'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાનદાર સ્પેશિયલ ઈફેક્ટસની સાથે 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે અને હવે એવી ખબર પણ સામે આવી રહી છે કે, બાહુબલી કરતા બાહુબલી ૨ વધારે રોચક હશે.

The post આજે સમગ્ર દુનિયાને ખબર પડી જશે કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

OMG! તમિલનાડુમાં Baahubali 2 નાં શો રદ થવાના કારણે આક્રોષિત થયા લોકો

$
0
0

Baahubali 2 Morning shows cancelled all across Tamil Nadu

ગભગ બે વર્ષના લાંબા ઇન્તઝાર પછી Baahubali 2 આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. પરંતુ તે દરમિયાન તમિલનાડુમાં ફિલ્મના બધા શો રદ કરવામાં આવ્યા છે. આ કારણે આખી રાત સિનેમા ઘરોમાં લાઈનમાં ઉભેલા લોકો ગુસ્સે થઇ ગયા છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, Baahubali 2 નાં બધા શો ચેન્નઈમાં પણ રદ કરવામાં આવ્યા છે. એવી ખબર સામે આવી રહી છે કે, કે પ્રોડક્શન (તમિલમાં બાહુબલીનાં ડિસ્ટ્રીબ્યુટર) અને પ્રોડ્યુસર્સ વચ્ચે પૈસાને લઈને સહમતિ બની નથી. આ કારણે બધા શો રદ કરવા પડ્યા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે,ચેન્નઈનાં ઘણા સિનેમાહોલે બાહુબલી 2 નાં શો કેન્સલ કરી દીધા છે. કારણકે તેમને રિલીઝ કરવાની મંજૂરી મળી નથી. શો રદ થવાના કારણે લોકો ગુસ્સે થઇ ગયા છે. સિનેમાઘરોની બહાર લોકોની ભીડ જામી છે અને લોકો બબાલ મચાવી રહ્યા છે. તેમને રોકવા માટે ચેન્નઈમાં ઘણી જગ્યા પર પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો છે.

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બાહુબલી 2' આજે રિલીઝ થઇ રહી છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી જશે કે, કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? બાહુબલી ૧ નાં આ સીને બધાને છેલ્લા ૨ વર્ષથી હેરાન કરી નાખ્યા છે. દરેક લોકો તે જાણવા માંગે છે બાહુબલી ૧ નાં અંતિમ સીનમાં કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. જેનો ઉત્તર તમને આજે ફિલ્મ જોઇને મળી જશે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ 'બાહુબલી 2' નું સ્પેશિયલ પ્રીમિયર મુંબઈ અને દિલ્હીમાં રાખવામાં આવ્યું હતું. જે વિનોદ ખન્નાના દેહાંત પછી કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. કરણ જોહરે પોતે ટ્વીટ કરી આ વાતની માહિતી મીડિયાને આપી હતી કે, વિનોદ ખન્નાનાં સમ્માનમાં બાહુબલી 2 નું પ્રીમિયર કેન્સલ કરી દેવામાં આવ્યું છે.

The post OMG! તમિલનાડુમાં Baahubali 2 નાં શો રદ થવાના કારણે આક્રોષિત થયા લોકો appeared first on Vishva Gujarat.

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર Beyoncé

$
0
0

Pop Star Beyonce posts Baby Bump Pics on Instagram

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર Beyoncé

પોપ સ્ટાર Beyoncé તેની પ્રેગ્નન્સીના કારણે ચર્ચાઓમાં છે. Beyoncé એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઘણી વખત એક્ટીવ જોવા મળી રહી છે. તાજેતરમાં બેયોન્સેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની પ્રેગ્નન્સી દરમિયાનની તસ્વીરો પોસ્ટ કરી છે. તો આવો જોઈએ તેમની ઇન્સ્ટાગ્રામ તસ્વીરો....

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પોપ સ્ટાર Beyoncé એ માતા બનવાની ખુશીમાં તેણે એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે એક મરુન રંગની બ્રા અને એક ફૂલોના બેડ પર બેઠેલી દેખાઈ રહી છે.

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેયોન્સે ફોટોશૂટની એક તસ્વીર સોશિયલ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “We would like to share our love and happiness. We have been blessed 2 times over. We are incredibly grateful that our family will be growing by 2, and we thank you for your well wishes. – The Carters.”

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

તમને જણાવી દઈએ કે, બેયોન્સે અને તેમના પતિ જે જેડની પહેલા પણ એક પુત્રી છે. તેમનું પુત્રીનું નામ બ્લુ આઈવી છે.
જુઓ આગળ વધુ ફોટોસ....

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર બેયોન્સે

The post બેબી બંપ ફ્લોન્ટ કરતા નજર આવી પોપ સ્ટાર Beyoncé appeared first on Vishva Gujarat.

Movie Review: ખતમ થયો સસ્પેન્સ, જાણો કટપ્પાએ Baahubali ને કેમ માર્યો?

$
0
0

Prabhas Starrer Baahubali 2 - The Conclusion Movie Review

આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Baahubali 2' આજે સિનેમાઘરોમા રિલીઝ થઇ ગઈ છે. તેની સાથે જ ૨ વર્ષ પછી લોકોને તે પ્રશ્નનો ઉત્તર મળી જશે કે, કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે....

ફિલ્મની સ્ટોરી ત્યાંથી શરુ થાય છે જ્યાં બાહુબલી ૧ ની સ્ટોરી પૂર્ણ થઇ હોય છે અને શિવા ઉર્ફે મહેન્દ્ર બાહુબલી (પ્રભાસ) ને કટપ્પા (સત્યરાજ) તે બતાવવાનો પ્રયત્ન કરે છે કે, અંતે મહારાજા અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ) ની હત્યા કેવી રીતે થઇ હતી. ત્યારે ફિલ્મની સ્ટોરીમાં ફલેશબેક આવી જાય છે અને તે સમયનો ઉલ્લેખ થાય છે જ્યારે માહિષ્મતિનાં સામ્રાજ્યમાં અમરેન્દ્ર બાહુબલીનો રાજ્યાભિષેક થવાનો હોય છે. પરંતુ આ વાત ભ્લ્લાલદેવ (રાણા દગ્ગુબત્તી) ને પસંદ આવતી નથી. જેના કારણે તે તેના પિતાની સાથે મળીને અમરેન્દ્ર બાહુબલીને મારવા માટેનો પ્લાન બનાવે છે. જેમાં કટપ્પાને આગળ કરી દેવામાં આવે છે અને મહારાણી શિવગામી (રામ્યા કૃષ્ણન) ને ખોટા શબ્દો બોલી તેમની સાથે વિશ્વાસઘાત કરે છે. તેની સાથે જ ફિલ્મની સ્ટોરીમાં દેવસેના(અનુષ્કા શેટ્ટી) ની એન્ટ્રી થાય છે. હવે કેવી પરિસ્થિતિઓમાં અંતગર્ત બાહુબલીનું કતલ થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

ફિલ્મનું ડિરેકશન અને લોકોશન્સ કમાલનાં છે. ફિલ્મની સૌથી મોટી ખાસિયત છે કે, આ સ્ટોરી પ્રથમ ભાગમાં એવી જગ્યા પર અધૂરી છોડવામાં આવી હતી કે, ત્યારબાદ લોકોને એક પ્રશ્નનો ઉત્તર જાણવાની આતુરતા હતી કે, અંતે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો? ફિલ્મ દરમિયાન તેનો ઉત્તર દિલચસ્પ રીતે જાણવા મળે છે. ફિલ્મમાં પ્રભાસ અને રાણા દગ્ગુબત્તીનું પરફોર્મન્સ ઘણું શાનદાર છે. તો બીજી તરફ, અનુષ્કા શેટ્ટી તમને વધારે સરપ્રાઈઝ કરશે. તમન્ના ભાટિયા અને સત્યરાજનું કામ પણ સહજ છે. અન્ય કિરદારોનો અભિનય પણ સારો છે.

ફિલ્મ જોવી કે નહિ?
જો તમે બાહુબલીનો ભાગ ૧ જોયો છે તો તે સ્ટોરીને પૂરી કરવા માટે તમે આ ફિલ્મ જરૂર જોઈ શકો છો.

The post Movie Review: ખતમ થયો સસ્પેન્સ, જાણો કટપ્પાએ Baahubali ને કેમ માર્યો? appeared first on Vishva Gujarat.

મુશ્કેલીમાં ફસાયા Shilpa Shetty અને રાજ કુંદ્રા, નોંધાઈ FIR

$
0
0

FIR Against Shilpa Shetty, Raj Kundra In Cheating Case

બોલિવુડમાં કંઇક ને કંઇક હલચલ હંમેશા મચી રહેતી હોય છે. પછી ભલે આ હલચલ કોઈ ફિલ્મની રિલીઝને લઈને હોય અથવા સ્ટાર્સની પર્સનલ લાઈફને લઈને હોય. હિંદી સિનેમા હંમેશા ચર્ચામાં રહે છે. હવે ફેમસ બોલિવુડ એક્ટ્રેસ Shilpa Shetty અને તેમના પતિ રાજ કુંદ્રા મુશ્કેલીમાં ઘેરાતા નજર આવ્યા છે. બોલિવુડની એક્ટ્રેસ Shilpa Shetty અને તેમના પતિ રાજ કુંદ્રાની વિરુધ્ધ મહારાષ્ટ્ર પોલીસે FIR નોંધાવી છે. શિલ્પા અને તેમના પતિ પર ભિવંડીનાં એક કપડા વેપારીની સાથે ૨૪ લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. ભિવંડી નિવાસી કપડાના વેપારીએ પોલીસમાં આ કેસ દાખલ કર્યો છે. વેપારીનો આરોપ છે કે, શિલ્પા અને રાજે વેપારીના નામ પર ૨૪ લાખ રૂપિયાની વસૂલી કરી છે પરંતુ ત્યારબાદ તેમણે વેપારીને તે પૈસા આપ્યા નહિ.

પોલીસનું કહેવું છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બિગ ડીલ નામની એક કંપનીના નિર્દેશક છે. તેમણે ચાદરોનાં વેચાણ માટે મલોટિયા ટેક્સટાઈલ્સ પાસેથી પૈસા લીધા છે. પરંતુ પછી તેઓ મલોટિયા ટેક્સટાઈલને પૈસા પરત કર્યા નહિ. પોલીસના ડેપ્યુટી કમિશનર મનોજ પાટિલે જણાવ્યું કે, શિલ્પા અને રાજ કુંદ્રા પર વિશ્વાસઘાત કરવાના કારણે કલમ ૪૦૬ અને છેતરપિંડીનાં આરોપમાં કલમ ૪૨૦ લગાવી છે.

The post મુશ્કેલીમાં ફસાયા Shilpa Shetty અને રાજ કુંદ્રા, નોંધાઈ FIR appeared first on Vishva Gujarat.


Vinod Khanna નાં અંતિમ સંસ્કારમાં બોલિવુડનાં યંગ સ્ટાર્સની ગેરહાજરી, રિશી કપૂરે ટ્વીટર પર વ્યક્ત કર્યો ગુસ્સો

$
0
0

Vinod Khanna

બોલિવુડમાં એક જમાનામાં રાજ કરનાર એક્ટર Vinod Khanna હવે આપણી વચ્ચે રહ્યા નથી. ગઈકાલે સવારે ૧૧.૨૦ નાં રોજ મુંબઈની એચએન ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. ગઈકાલે સાંજે વર્લી સ્મશાન ઘાટમાં Vinod Khanna અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિનોદ ખન્નાના અંતિમ સંસ્કારમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, રિશી કપૂર, રાહુલ ઢોળકિયા, જેકી શ્રોફ, ગુલઝાર, સુભાષ ઘાઈ, સરોજ ખાન, કબીર બેદી, ચંકી પાંડે, રણધીર કપૂર, દિયા મિર્ઝા સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતા.

બોલિવુડનાં ફેમસ એક્ટર રિશી કપૂરે યંગ જનરેશનનાં નવા સ્ટાર્સ પર ટ્વીટર પર લતાડ લગાવી કે, નવા સ્ટાર્સને શરમ આવવી જોઈએ કે કોઈ પણ વિનોદ ખન્નાને શ્રદ્ધાંજલિ આપી નહિ. આગામી ટ્વીટમાં રિશી કપૂરે લખ્યું કે, જ્યારે હું મરીશ તો મારે માની લેવાનું કે, કોઈ મને ખભો આપશે નહિ. અત્યારના નવા બોલિવુડ સ્ટાર્સથી હું વધારે નાખુશ છુ. તેમણે એવું પણ લખ્યું કે, ચમચાઓ પ્રિયંકા ચોપડાની પાર્ટીમાં સામેલ હતા પરંતુ વિનોદ ખન્નાની શવ યાત્રામાં કોઈ પહોચ્યું નહિ.

ઉલ્લેખનીય છે કે, વિનોદ ખન્ના ૭૦ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી કેન્સર પીડિત હતા પરંતુ તેમના પરિવારે આ વિશે પુષ્ટિ કરી નથી. તાજેતરમાં તેમનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તેઓ વધારે અસ્વસ્થ દેખાઈ રહ્યા હતા. વિનોદ ખન્નાનો જન્મ ૭ ઓકટોબર, ૧૯૪૬ નાં રોજ પેશાવર, પાકિસ્તાનમાં થયો હતો પરંતુ વિભાજન પછી તેમનો પરિવાર મુંબઈ આવી વસી ગયો. વિનોદ ખન્ના રાજનીતિમાં પણ સફળ રહ્યા છે. તેઓ પંજાબનાં ગુરુદાસપુરનાં સાંસદ તરીકે લોકસભામાં લોકપ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

વિનોદ ખન્નાએ મેરે અપને, કુર્બાની, પૂરબ ઔર પશ્ચિમ, રેશમા ઔર શેરા, હાથ કી સફાઈ, હેરા ફેરી, મુકદ્દર કા સિકંદર જેવી ઘણી શાનદાર ફિલ્મો કરી છે. વિનોદ ખન્નાનું નામ એવા એક્ટર્સમા સામેલ હતું જેમણે શરૂઆત તો વિલનના રોલથી કરી હતી પરંતુ પછી હીરો બની ગયા હતા.

The post Vinod Khanna નાં અંતિમ સંસ્કારમાં બોલિવુડનાં યંગ સ્ટાર્સની ગેરહાજરી, રિશી કપૂરે ટ્વીટર પર વ્યક્ત કર્યો ગુસ્સો appeared first on Vishva Gujarat.

મોડલ પ્રીતિ જૈને રચ્યું Madhur Bhandarkar ના મર્ડરનું ષડ્યંત્ર, થઇ 3 વર્ષની સજા

$
0
0

Model Preeti Jain convicted for plotting to murder filmmaker Madhur Bhandarkar

મુંબઈ સેશન્સ કોર્ટે મોડલ અને એક્ટ્રેસ પ્રીતિ જૈનને ફિલ્મમેકર Madhur Bhandarkar ની હત્યાનું ષડ્યંત્ર રચવાના આરોપમાં દોષિત જણાવી ત્રણ કેસમાં સજા સંભળાવી છે. પ્રીતિ જૈનની સાથે-સાથે કોર્ટે બે અન્ય લોકોને પણ આ કેસમાં સજા સંભળાવી છે. જ્યારે બે લોકોને બરી કરવામાં આવ્યા છે. મોડલ પ્રીતિ જૈન પર આરોપ હતો કે, તેણે વર્ષ ૨૦૦૫ માં અંડરવર્લ્ડ ડોનથી નેતા બની ચૂકેલ અરુણ ગવલીને Madhur Bhandarkar ની હત્યા માટે સુપારી આપી હતી. પ્રીતિએ ગવલીનાં ગુર્ગેને તેના માટે ૭૦ હજાર રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા.

આ કેસનો ખુલાસો તે સમયે થયો જ્યારે પ્રીતિએ ભંડારકર પર ફિલ્મમાં રોલ આપવાના નામ પર તેની સાથે યૌન શોષણ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ લગાવ્યા હતા. પ્રીતિએ મધુર ભંડારકરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને તેમની ધરપકડ કરવાની માંગણી કરી હતી. પ્રીતિએ પોલીસને પુરાવા તરીકે મધુર ભંડારકરની તરફથી તેમને મોકલવામાં આવેલ કેટલાક એસએમએસ પણ બતાવ્યા હતા. તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૦૬ માં આ કેસનો રિપોર્ટ ફાઈલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભંડારકરને ૨૦૦૭ માં ક્લીન ચીટ આપવામાં આવી હતી.

ભંડારકરને ક્લીન ચીટ મળ્યા પછી પ્રીતિએ હાર માની નહિ અને તેણે અંધેરી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. ૨૦૦૯ માં અંધેરી કોર્ટે કેસ પર ધ્યાન આપતા આ રિપોર્ટને ખોટો જણાવ્યો હતો. કોર્ટે તપાસ અધિકારીને ફરીથી રિપોર્ટ ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. પ્રીતિ દ્ધારા રજૂ કરવામાં આવેલ પુરાવાના આધાર પર કોર્ટે કેસ સેશન્સ કોર્ટમાં ચલાવવાનો આદેશ આપ્યો હતો. સેશન્સ કોર્ટને આદેશની વિરુધ્ધ ભંડારકર સુપ્રીમ કોર્ટ ગયા હતા. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરની વિરુદ્ધ બળાત્કાર કેસ ચલાવવાના મુંબઈની સેશન્સ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો.

The post મોડલ પ્રીતિ જૈને રચ્યું Madhur Bhandarkar ના મર્ડરનું ષડ્યંત્ર, થઇ 3 વર્ષની સજા appeared first on Vishva Gujarat.

કપિલ શર્માને ટક્કર આપવા માટે Sunil Grover બનશે આ શોના હોસ્ટ!

$
0
0

Sunil Grover

Sunil Grover બહુ જલ્દી સોની ચેનલ પર પ્રસારિત થનાર શો 'એન્ટરટેનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા' ને હોસ્ટ કરવાના છે. વર્ષ ૨૦૧૪ પછી આ શોને હવે આ વર્ષે સોની ચેનલ એકવાર ફરીથી લઈને આવી રહી છે. આ વખતે શોની છઠ્ઠી સીઝન હશે. અનુ માલિક અને ફરહાન ખાન આ વખતે શોનાં જજીસ હોવાના છે. કપિલ શર્મા અને Sunil Grover ની લડાઈ પછી હવે સુનીલને પોતાના સોલો શોની તલાશ છે. ખબરોની માનીએ તો પોસ્ટ આઈપીએલ સુનીલનો બ્રાંડ ન્યૂ શો લોન્ચ કરવાની ફિરાકમાં છે. 'એન્ટરટેનમેન્ટ કે લિએ કુછ ભી કરેગા' ને લાસ્ટ ટાઈમ કૃષ્ણા અભિષેક અને મોના સિંહે હોસ્ટ કર્યો હતો પરંતુ સુનીલની પોપ્યુલારિટીને ધ્યાનમાં રાખી તેમને આ વખતે તક મળી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, ફેમસ રિયાલીટી શો 'ધ કપિલ શર્મા શો' ને તાજેતરમાં ૧૦૦ એપિસોડ પૂર્ણ કરવાની ખુશી પર ગ્રહણ લાગી ગયું છે. સોની ટીવીએ કપિલનાં શોને ઓફ એર કરવાનું મન બનાવી દીધું છે. સોની ટીવી કપિલનાં શોને આગળ રિન્યુ કરવાનો ઇનકાર કરી દીધો છે. આ ખબરની સાથે જ કપિલ શર્માને બહુ મોટો ઝટકો લાગ્યો છે. જો કે, છેલ્લા ઘણા સમયથી કપિલ શર્મા તે દરેક પ્રયત્ન કરી ચૂક્યા છે જેનાથી શો છોડી ચુકેલા કલાકાર ફરીથી શોમાં પરત આવે અને શોની ટીઆરપી વધે. પરંતુ કપિલ શર્મા આવું કરવામાં નિષ્ફળ રહ્યા છે અને સોની ટીવીને કપિલનાં શો વિરુદ્ધ મોટો નિર્ણય લીધો છે.

સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની લડાઈની સૌથી વધારે અસર 'ધ કપિલ શર્મા શો' નાં રેટિંગ્સ પર પડી છે. ગયા અઠવાડિયે શોની ટીઆરપી ઘણી ડાઉન થઇ ગઈ હતી. કપિલ શર્માનાં કારણે તેમના શોમાંથી સુનીલ ગ્રોવર, અલી અસગર, ચંદન પ્રભાકર અને સુગંધા મિશ્રા શો છોડી જતા રહ્યા છે. તેનાથી આ શોની ટીઆરપી પર વધારે અસર પડી છે અને ટીઆરપી ચાર્ટમાં શો ચોથા નંબરથી દસમાં નંબર પર પહોચી ગયો છે.

The post કપિલ શર્માને ટક્કર આપવા માટે Sunil Grover બનશે આ શોના હોસ્ટ! appeared first on Vishva Gujarat.

Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

$
0
0

Bollywood

 આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર

sushmita

ઘણીવાર એવું જોવા મળે છે કે, બોલિવુડ સ્ટાર્સ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાના કો-સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને પોતાના જીવનસાથીને ઠગતા હોય છે. પરંતુ ફિલ્મી દુનિયામાં તે સામાન્ય વાત થઇ ગઈ છે. અહીં તો બોલિવુડ સ્ટાર્સના ઘણા અફેર હોય છે. આજે અમે તે સ્ટાર્સ વિશે વાત કરી રહ્યા છીએ જેમના એક કરતા વધારે અફેર રહ્યા છે.

વિક્રમ ભટ્ટ અને સુસ્મિતા સેન:
ફિલ્મ દસ્તકના શૂટિંગ દરમિયાન સુષ્મિતા સેન વિક્રમ ભટ્ટના પ્રેમમાં પડી ગઈ હતી. જો કે, વિક્રમ ભટ્ટ પહેલાથી જ મેરિડ હતા. આ વાતને લઈને વિક્રમ ભટ્ટ પોતે કન્ફયુઝ થઈ ગયા હતા.

આમિર ખાન અને કિરણ રાવ

aamir

આમિર ખાન અને કિરણ રાવ :
આમિર ખાને તેમની બાળપણની ફ્રેન્ડ રીના દત્ત સાથે ૧૯૮૬ માં મેરેજ કર્યા હતા પરંતુ આ મેરેજ ૧૬ વર્ષ સુધી ટક્યા હતા. ત્યારબાદ તેમના તલાક થઇ ગયા હતા. રીના દત્તાએ આરોપ લગાવ્યો હતો કે, આમિરનું કોઈ અન્ય સાથે અફેર છે.

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો

saif

સૈફ અલી ખાન અને રોસા કેટલાનો :
સૈફ અલી ખાને તેના ફર્સ્ટ મેરેજ અમૃતા સિંહ સાથે કર્યા હતા જે તેમના કરતા 12 વર્ષ મોટી હતી. ત્યારબાદ સૈફ એક વિદેશી મોડલના પ્રેમમાં પડી ગયા અને ત્યારબાદ તેમણે કરીના કપૂર સાથે મેરેજ કરી લીધા.

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય

shatrughan

શત્રુઘ્ન સિન્હા અને રીના રોય :
શત્રુઘ્ન સિન્હાએ પૂનમ સિન્હા સાથે મેરેજ કર્યા હોવા છતાં તે રીના રોયને ડેટિંગ કરી રહ્યા છે એવા ન્યૂઝ સાંભળવા મળ્યા હતા.

ગોવિંદા અને રાણી મુખરજી

govinda

ગોવિંદા અને રાણી મુખરજી :
ગોવિંદા અને રાણી ફિલ્મ 'હદ કરદી આપને' ના સેટ પર એકબીજાને ક્લોઝ આવ્યા હતા. પરંતુ તે સમયે ગોવિંદા પહેલાથી જ સુનીતા આહૂજા સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા હતા.

બોની કપૂર અને શ્રીદેવી

4

બોની કપૂર અને શ્રીદેવી:
બોની કપૂર પહેલાથી જ મેરિડ હોવા છતાં શ્રીદેવીએ તેમની સાથે મેરેજ કર્યા હતા.

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન

arjun-kapoor

અર્જુન કપૂર અને મલાઇકા અરોડા ખાન:
અર્જુન કપૂર સલમાનની બહેન અર્પિતાને ડેટ કરી રહ્યા હતા પરંતુ ત્યારે પણ તેમના અફેરની ચર્ચા મલાઈકા અરોડા ખાન સાથે થવા લાગી હતી.

 

 

The post Shocking! આ Bollywood સ્ટાર્સે મેરિડ હોવા છતાં પણ કર્યું અફેર appeared first on Vishva Gujarat.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

$
0
0

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 1
મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 2

રિયા પોતાના મિત્રોની સાથે ગોવાની સુંદરતાનો આનંદ માણવા પહોંચી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 3

રિયાની આ તસ્વીર અશ્વેમ બીચની છે. જે હોલીડે એન્જોય કરવા માટે એક શાનદાર લોકેશન તરીકે માનવામાં આવે છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 4

રિયા સેને ગોવાના દરિયાનો પણ આનંદ માણ્યો હતો.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 5

મોડલ અને અભિનેત્રી રિયા સેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર ગોવા ટ્રીપની કેટલીક તસ્વીરો શેર કરી છે.

રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો

Riya Sen share pics of Goa Trip on Instagram 6

The post રિયા સેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ગોવા ટ્રીપની તસ્વીરો appeared first on Vishva Gujarat.

Viewing all 3988 articles
Browse latest View live




Latest Images