Kapil Sharma
કોમેડિયન કપિલ શર્મા લાગે છે સુનીલ ગ્રોવરને શોમાં મિસ કરી રહ્યા છે. તાજેતરમાં કપિલે સોશિયલ મીડિયા પર ફેંસ સાથે વાત કરી હતી. તે દરમિયાન કપિલ શર્માને પૂછવામાં આવ્યું કે, તે સુનીલ ગ્રોવરને શો પર ક્યારે પરત લાવી રહ્યા છે. તો કપિલે તેના ઉત્તરમાં કહ્યું કે, જ્યારે પણ તેમનું મન થાય.... હું તો તેમને ઘણીવાર પરત આવવા માટે કહી ચૂક્યો છુ. તમને જણાવી દઈએ કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની સાથે ફ્લાઈટમાં ઝઘડો થયો હતો. આ ઝઘડા પછી સુનીલ ગ્રોવર આ શોમાં પરત આવ્યા નથી.
કપિલ શર્મા
કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે કેટલાક મહિના પહેલા થયેલ ઝઘડા પછી વધારે ચર્ચામાં રહ્યા હતા. કપિલ શર્માના શોને અલવિદા કહ્યા પછી સુનીલ ગ્રોવર ઇન્ડિયામાં થનાર તેમના લાઈવ પરફોર્મન્સ પર વધારે ધ્યાન આપી રહ્યા છે. પરંતુ તેમના ફ્યુચર પ્લાનને લઈને હજુ ચુપ્પી સાધી રાખી છે. કપિલનો શો છોડ્યા પછી સુનીલને ઘણીબધી ચેનલો તરફથી પોતાનો કોમેડી શો કરવાની ઓફર મળી છે. ખબરો મુજબ, સુનીલને સોની ચેનલ તરફથી ઓફર આવી હતી અને સુનીલ આ ઓફરને ગંભીરતાથી લઇ રહ્યા છે.
કપિલ શર્મા
ખાસ વાત એ છે કે, કપિલ શર્માનો શો પણ સોની ચેનલ પર પ્રસારિત થાય છે. જો કે, સુનીલે હજુપણ આ વાતનો ખુલાસો કર્યો નથી. તાજેતરમાં તેમણે કહ્યું કે, 'રિન્કુ દેવી અત્યારે મેટરનિટી લિવ પર છે અને બહુ જલ્દી તેમના ફેંસને ખુશખબરી આપશે. જો કે, અત્યારે સુનીલ તેમના લાઈવ પરફોર્મન્સમાં વધારે વ્યસ્ત છે. તેમણે આ વાતને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, મને હંમેશાથી લાઈવ ઓડિયન્સની સામે પરફોર્મ કરવું સારું લાગે છે. આ કારણે તેમાં મારા માટે કોઈ નવી વાત નથી.
કપિલ શર્મા
થોડા સમય પહેલા એવી ખબર સામે આવી હતી કે, કપિલ શર્માનો શો બંધ થવાનો છે. તેના બે કારણ જણાવવામાં આવી રહ્યા હતા. એક કે, શોને હવે તેટલા રેટિંગ મળી નથી રહ્યા જેટલા પહેલા મળતા હતા અને બીજું કારણ સલમાન તેમનો હિટ શો 'દસ કા દમ' લઈને આવના હતા. જો કે, હવે એવી ખબરો સામે આવી રહી છે કે, કપિલ શર્માનો શો હજુ થોડા દિવસ સુધી ચાલતો રહેશે. તેના માટે તેના માટે કપિલે સલમાનનો આભાર માનવો જોઈએ. હવે તમે પૂછશો કેમ તો તેનું કારણ છે સલમાન ખાનનો અપકમિંગ શો 'દસ કા દમ' થોડા દિવસ પછી ટીવી પર શરુ થશે, જેના કારણે કપિલ શર્માનાં શોને થોડો વધારે સમય મળી જશે.
The post સુનીલ ગ્રોવરની શોમાં વાપસી પર જાણો Kapil Sharma એ શું કહ્યું….. appeared first on Vishva Gujarat.